SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૭ મા પહેલાં તે ધન, યૌવન, જીવન, કુટુંબના સંગને પાણીનાં ટીપાં સમાન અનિત્ય જાણી, આત્મહિતરૂપ કાર્યમાં પ્રવર્તન કરે. સંસારના જેટલા જેટલા સંબંધ છે તેટલા તેટલા બધા વિનાશિક છે. એવી રીતે અનિત્ય વિચારણા વિચારા. પુત્ર, પૌત્રો, સ્ત્રી, કુટુંબાકિ કોઈ પરલેાક સાથે ગયા નથી અને જશે નહીં. પેાતાનાં ઉપાર્જન કરેલ પુણ્યપાપાદિક કર્મ સાથે આવશે. આ જાતિ કુળ રૂપાર્દિક તથા નગરાદિકના સંબંધ દેહની સાથે જ વિનાશ થશે. તે અનિત્ય ચિંતવના ક્ષણ માત્ર પણ વિસ્મરણ ન થાય. જેથી પરથી મમત્વ છૂટી આત્મકાર્યમાં પ્રવૃત્તિ થાય એવી અનિત્ય ભાવનાનું વર્ણન કર્યું. ૧ અશરણ અનુપ્રેક્ષા હવે અશરણ અનુપ્રેક્ષા ચિંતવીએ છીએ. ૧૯ આ સંસારમાં કોઈ દેવ, દાનવ, ઇન્દ્ર, મનુષ્ય એવા નથી કે જેના ઉપર યમરાજાની ફાંસી નથી પડી. મૃત્યુને વશ થતાં કોઈ આશરે નથી. આયુષ્ય પૂર્ણ થવાના કાળમાં ઇન્દ્રનું પતન ક્ષણ માત્રમાં થાય છે. જેના અસંખ્યાત દેવ આજ્ઞાકારી સેવક છે, જે હજારા રિદ્ધિવાળા છે, જેને સ્વર્ગમાં અસંખ્યાત કાળથી નિવાસ છે, રાગ ક્ષુધા તૃષાદિક ઉપદ્રવ રહિત જેનું શરીર છે, અસંખ્યાત ખળ પરાક્રમના જે ધારક છે, આવા ઇંદ્રનું પતન થઈ જાય ત્યાં પણ અન્ય કોઈ શરણ નથી. જેમ ઉજ્જડ વનમાં વાઘે ગ્રહણ કરેલ હરણના બચ્ચાની કોઈ રક્ષા કરવાને સમર્થ નથી, તેમ મૃત્યુથી પ્રાણીની રક્ષા કરવાને કોઈ સમર્થ નથી. આ સંસારમાં પૂર્વે અનંતાનંત પુરુષ પ્રલયને પ્રાપ્ત થયા છે. ફાઈ શરણુ છે ? કોઇ એવાં ઔષધ, મંત્ર, યંત્ર અથવા દેવદાનવાદિક નથી કે જે એક ક્ષણ માત્ર કાળથી રક્ષા કરે. જો કોઈ દેવ, દેવી, વૈદ, મંત્ર, તંત્રાદિક એક મનુષ્યની મરણથી રક્ષા કરત, તે મનુષ્ય અક્ષય થઈ જાત. માટે મિથ્યા બુદ્ધિને છેડી અશરણ અનુપ્રેક્ષા ચિંતવેા. મૂઢ લેાક એવા વિચાર કરે છે કે મારા સગાના હિતને ઇલાજ ન થયા, ઔષધ ન આપ્યું, દેવતાનું શરણ ન લીધું, ઉપાય કર્યા વિના મરી ગયા, એવા પોતાના સ્વજનના શાક કરે છે. પણ પોતાના શૈાચ નથી કરતા કે હું જમની દાઢની વચ્ચે બેઠો છું. જે કાળને કરાડો ઉપાયથી પણ ઇંદ્ર જેવા પણ ન રાકી શકયા, તેને ખાપડું માણસજાત તે શું રોકશે? જેમ ખીજાનું મરણ થતાં જોઈએ છીએ તેમ મારું પણ અવશ્ય થશે. જેમ ખીજા જીવાને સ્રી, પુત્રાદ્દિકના વિયેાગ દેખીએ છીએ, તેમ મારે પણ વિવેગમાં કઈ શરણુ નથી. અશુભકર્મની ઉદીરણા થતાં બુદ્ધિનાશ થાય છે, પ્રબળ કર્મના ઉદય થતાં એકે ઉપાય કામ નથી આવતા. અમૃત વિષ થઈ પરિણમે છે, તણખલું પણ શસ્ત્ર થઈ પરિણમે છે, પેાતાના વહાલા મિત્ર પણ વેરી થઇ પરિણમે છે, અશુભના પ્રખળ ઉડ્ડયના વશથી બુદ્ધિ વિપરીત થઈ પેાતે પોતાના જ ઘાત કરે છે. જ્યારે શુભ કર્મના ઉદય થાય છે, ત્યારે મૂર્ખને પણ પ્રખળ બુદ્ધિ ઊપજે છે. કર્યા વિના સુખકારી અનેક ઉપાય પાતાની મેળે પ્રગટ થાય છે. વૈરી મિત્ર થઈ જાય છે, વિષ પણ અમૃત પરિણમે છે. જ્યારે પુણ્યના ઉદય થાય ત્યારે સમસ્ત ઉપદ્રવકારી વસ્તુઓ નાના પ્રકારના સુખ કરવાવાળી થાય છે. તે પુણ્યકર્મના પ્રભાવ છે. પાપના ઉદયથી હાથમાં આવેલું ધન ક્ષણમાત્રમાં નાશ થઈ જાય છે. પુણ્યના ઉદયથી ઘણી દૂર હાય તે વસ્તુ પણ પ્રાપ્ત થઇ જાય છે. લાભાંતરાયના ક્ષયાપશમ થાય ત્યારે, વિના યત્ને નિધિરત્ન પ્રગટ થાય છે. પાપ ઉદય થાય ત્યારે સુંદર આચરણ કરતા હોય તેને પણ દોષ, કલંક આવી પડે છે, અપવાદ અપયશ થાય છે. યશ નામકર્મના ઉદયથી સમસ્ત અપવાદ દૂર થઈ દોષ ગુણરૂપ થઇ પરિણમે છે. સંસાર છે તે પુણ્યપાપના ઉયરૂપ છે. પરમાર્થથી બન્ને ઉદય (પુણ્ય-પાપ) પરના કરેલા અને આત્માથી ભિન્ન જાણીને તેના જાણુનાર અથવા સાક્ષી માત્ર રહેા, હર્ષે અને ખેદ કરેા નહીં. પૂર્વે બંધ કરેલ કર્યું તે હવે ઉડ્ડય આવ્યાં છે. પેાતાનાં કર્યાં દૂર નથી થતાં. ઉદય આવ્યા પછી ઇલાજ નથી. કર્મનાં ફળ, જે જન્મ, જરા, મરણ, રોગ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy