SearchBrowseAboutContactDonate
Page Preview
Page 920
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ આત્યંતર પરિણામ અવલેકન–હાથોંધ ૩ જડ ચેતનાત્મક સંપૂર્ણ ભરપૂર લેક છે. ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલ એ જડ દ્રવ્ય છે.. જીવ દ્રવ્ય ચેતન છે. ધર્મ, અધર્મ, આકાશ, કાળ એ ચાર અમૂર્ત દ્રવ્ય છે. વસ્તુતાએ કાળ ઔપચારિક દ્રવ્ય છે. 'ધર્મ, અધર્મ, આકાશ એકેક દ્રવ્ય છે. કાળ, પુદ્ગલ અને જીવ અનંત દ્રવ્ય છે. [હાથનેધ ૩, પૃષ્ઠ ૫૫] દ્રવ્ય ગુણપર્યાયાત્મક છે. [હાથોંધ ૩, પૃષ્ઠ ૫૭] . પરમ ગુણમય ચારિત્ર (બળવાન અસંગાદિ સ્વભાવ) જોઈએ. પરમ નિર્દોષ શ્રત. પરમ પ્રતીતિ. પરમ પરાક્રમ. પરમ ઇન્દ્રિયજય. ૧ મૂળનું વિશેષપણું. ૨ માર્ગની શરૂઆતથી અંતપર્યંતની અદ્ભુત સંકળના. ૩ નિર્વિવાદ– ૪ મુનિધર્મપ્રકાશ. ૫ ગૃહસ્થધર્મપ્રકાશ. ૬ નિગ્રંથ પરિભાષાનિધિ૭ શ્રુતસમુદ્ર પ્રવેશમાર્ગ. | [હાથનેધ ૩, પૃષ્ઠ ૫૮] સ્વપર ઉપકારનું મહતકાર્ય હવે કરી લે! ત્વરાથી કરી લે! અપ્રમત્ત થા – અપ્રમત્ત થા. શું કાળનો ક્ષણવારને પણ ભરું આર્ય પુરુષોએ કર્યો છે? હે પ્રમાદ! હવે તું જા, જા. હે બ્રહ્મચર્ય! હવે તું પ્રસન્ન થા, પ્રસન્ન થા. હે વ્યવહારે દય! હવે પ્રબળથી ઉદય આવીને પણ તું શાંત થા, શાંત. હે દીર્ઘસૂત્રતા ! સુવિચારનું, ધીરજનું, ગંભીરપણાનું પરિણામ તું શા માટે થવા ઈચછે છે? હે બેધબીજ! તું અત્યંત હસ્તામલકવત્ વર્ત, વર્ત. હે જ્ઞાન! તું દુર્ગમ્યને પણ હવે સુગમ સ્વભાવમાં લાવી મૂક [હાથનેધ ૩, પૃષ્ઠ ૫૯] હે ચારિત્ર! પરમ અનુગ્રહ કર, પરમ અનુગ્રહ કર. હે વેગ ! તમે સ્થિર થાઓ; સ્થિર થાઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy