SearchBrowseAboutContactDonate
Page Preview
Page 856
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાર–૨ ૭૭ પાછા તે સૂકમ નિગેદમાં જાય તે પણ તે “યવહારરાશિઃ અનાદિકાળથી સૂક્ષ્મ નિગોદમાંથી નિકળી કઈ દિવસ વ્યસપણે પામ્યા નથી તે અવ્યવહારરાશિ ત્રણ પ્રકારે : સંયત, અસંયત અને સંયતાસંયત અથવા સ્ત્રી, પુરુષ ને નપુસંક. ચાર પ્રકારે ? ગતિ અપેક્ષાએ. પાંચ પ્રકારે : ઇદ્રિય અપેક્ષાએ. છ પ્રકારે : પૃથ્વી, અપ, તેજસ, વાયુ, વનસ્પતિ અને વ્યસ. સાત પ્રકારે : કૃષ્ણ, નીલ, કાપત, તેજ, પત્ર, શુક્લ અને અલેશી. (ચૌદમા ગુણસ્થાનકવાળા લેવા પણ સિદ્ધ ન લેવા, કેમકે સંસારી જીવની વ્યાખ્યા છે.) આઠ પ્રકારે : અંડજ, પિતજ, જરાયુજ, સ્વેદજ, રસજ, સંમૂઈન, ઉભિજ અને ઉપપાદ. * નવ પ્રકારે : પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય અને ચિંદ્રિય. દશ પ્રકારે : પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, સંજ્ઞી અને અસંજ્ઞી પંચંદ્રિય. અગિયાર પ્રકારે ઃ સૂમ, બાદર, ત્રણ વિકલેન્દ્રિય અને પંચેંદ્રિયમાં જલચર, સ્થલચર, નભથ્થર, મનુષ્ય, દેવતા, નારક. બાર પ્રકારે : છકાયના પર્યાપ્ત તથા અપર્યાપ્ત. તેર પ્રકારે ? ઉપલા બાર ભેદ સંવ્યવહારિક તથા એક અસંવ્યવહારિક (સૂક્ષ્મ નિમેદને). ચૌદ પ્રકારે ગુણસ્થાનકઆશ્રયી, અથવા સૂક્ષ્મ, બાદર, ત્રણ વિકલેન્દ્રિય તથા સંજ્ઞી, અસંસી એ સાતના પર્યાપ્ત અને અપર્યાપ્ત. એમ બુદ્ધિમાન પુરુષોએ સિદ્ધાંતને અનુસરી જીવના અનેક ભેદ (છતા ભાવના ભેદ) કહ્યા છે. ૬ મેરબી, અષાડ સુદ ૯, શુક, ૧૯૫૬ ૧ “જાતિસ્મરણજ્ઞાન વિષે જે શંકા રહે છે તેનું સમાધાન આ ઉપરથી થશે – જેમ બાલ્યાવસ્થાને વિષે જે કાંઈ જોયું હોય અથવા અનુભવ્યું હોય તેનું સ્મરણ વૃદ્ધાવસ્થામાં કેટલાકને થાય ને કેટલાકને ન થાય, તેમ પૂર્વભવનું ભાન કેટલાકને રહે, ને કેટલાકને ન રહે. ન રહેવાનું કારણ એ છે કે પૂર્વદેહ છોડતાં બાહ્ય પદાર્થોને વિષે જીવ વળગી રહી મરણ કરે છે અને ન દેહ પામી તેમાં જ આસક્ત રહે છે, તેને પૂર્વપર્યાયનું ભાન રહે નહીં, આથી ઊલટી રીતે પ્રવર્તનારને એટલે અવકાશ રાખ્યું હોય તેને પૂર્વ ભવ અનુભવવામાં આવે છે. ૨ એક સુંદર વનમાં તમારા આત્મામાં શું નિર્મળ૫ણું છે, જે તપાસતાં તમેને વધારે વધારે સ્મૃતિ થાય છે કે નહીં? તમારી શક્તિ પણ અમારી શક્તિની પેઠે કુરાયમાન કેમ ન થાય? તેનાં કારણે વિદ્યમાન છે. પ્રકૃતિબંધમાં તેનાં કારણે બતાવ્યાં છે. “જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનનો ભેદ છે. એક માણસ વિશ વર્ષને અને બીજે માણસ સો વર્ષને થઈ મરી જાય તે બેઉ જણે પાંચ વર્ષની ઉંમરે જે જોયું અથવા અનુભવ્યું હોય તે જે અમુક વર્ષ સુધી સ્મૃતિમાં રહે, એવી સ્થિતિ હોય તે વીશ વર્ષે મરી જાય તેને એકવીસમે વર્ષે ફરીથી જમ્યા પછી સ્મૃતિ થાય, પણ તેમ થતું નથી. કારણ કે પૂર્વપર્યાયમાં તેને પૂરતાં સ્મૃતિનાં સાધને નહીં હોવાથી પૂર્વપર્યાય છેડતાં મૃત્યુ આદિ વેદનાના કારણને લઈને, નવ દેહ ધારણ કરતાં ગર્ભાવાસને લઈને, બાલપાવામાં મદ્રપણાને લઇને, અને વર્તમાન દેડમાં અતિ લીનતાને લઈને પૂર્વપર્યાયની સ્મૃતિ કરવાનો અવકાશ જ મળતું નથી, તથાપિ જેમ ગર્ભાવાસ તથા બાલપણું સ્મૃતિમાં રહે નહીં તેથી કરી તે નહોતાં એમ નથી, તેમ ઉપરનાં કારણેને લઈને પૂર્વપર્યાય સ્મૃતિમાં રહે નહીં તેથી કરી તે નહોતા એમ કહેવાય નહીં. જેવી રીતે આંબા આદિ વૃક્ષોની કલમ કરવામાં આવે છે તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy