SearchBrowseAboutContactDonate
Page Preview
Page 853
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૪ શ્રીમદ્ રાજચંદ્ર ૯ જીવ જે ભવની આયુષપ્રકૃતિ ભોગવે છે તે આખા ભવની એક જ બંધપ્રકૃતિ છે. તે બંધપ્રકૃતિને ઉદય આયુષની શરૂઆત થઈ ત્યારથી ગણાય. આ કારણથી તે ભવની આયુષપ્રકૃતિ ઉદયમાં છે તેમાં સંક્રમણ, ઉત્કર્ષ, અપકર્ષાદિ થઈ શકતાં નથી. ૧૦ આયુષ્યકર્મની પ્રકૃતિ બીજા ભવમાં ભેગવાતી નથી. ૧૧ ગતિ, જાતિ, સ્થિતિ, સંબંધ, અવગાહ (શરીરપ્રમાણ) અને રસ અમુક જીવે અમુક પ્રમાણમાં ભેગવવાં તેને આધાર આયુષ્યકર્મ ઉપર છે. જેમ કે, એક માણસની સે વર્ષની આયુકર્મ પ્રકૃતિને ઉદય વર્તે છે, તેમાંથી તે એસીમે વર્ષે અધૂરે આયુષે મરણ પામે તે બાકીનાં વીશ વર્ષ ક્યાં અને શી રીતે ભેગવાય ? બીજા ભવમાં ગતિ, જાતિ, સ્થિતિ, સંબંધાદિ નવેસરથી છે; એકાશીમાં વર્ષથી નથી; તેથી કરીને આયુષઉદયપ્રકૃતિ અધવચથી ત્રુટી શકે નહીં. જે જે પ્રકારે બંધ પડ્યો હોય, તે તે પ્રકારે ઉદયમાં આવવાથી કોઈની નજરમાં કદાચ આયુષ ત્રુટવાનું આવે પરંતુ તેમ બની શકતું નથી. ૧૨ સંક્રમણ, અપકર્ષ, ઉત્કર્ષાદિ કરણને નિયમ આયુકર્મવર્ગણ સત્તામાં હોય ત્યાં સુધી લાગુ થઈ શકે; પણ ઉદયની શરૂઆત થયા પછી લાગુ થઈ શકે નહીં. ૧૩ આયુઃકર્મ પૃથ્વી સમાન છે અને બીજાં કર્મો ઝાડ સમાન છે. જે પૃથ્વી હોય તે ઝાડ હોય.) ૧૪ આયુષના બે પ્રકાર છે – (૧) સોપક્રમ અને (૨) નિરુપક્રમ. આમાંથી જે પ્રકારનું બાંધ્યું હોય તે પ્રકારનું ભેગવાય છે. ૧૫ ઉપશમ સમ્યકત્વ ક્ષયે પશમ થઈ ક્ષાયિક થાય; કારણ કે ઉપશમમાં જે પ્રકૃતિઓ સત્તામાં છે તે ઉદય આવી ક્ષય થાય. ૧૬ ચક્ષુ બે પ્રકારે – (૧) જ્ઞાનચક્ષુ અને (૨) ચર્મચક્ષુ. જેમ ચર્મચક્ષુ વડે એક વસ્તુ જે સ્વરૂપે દેખાય છે તે વસ્તુ દૂરબીન તથા સૂફમદશંકાદિ યંત્રથી જુદા જ સ્વરૂપે દેખાય છે, તેમ ચર્મચક્ષુ વડે જે સ્વરૂપે દેખાય છે તે જ્ઞાનચક્ષુ વડે કઈ જુદા જ સ્વરૂપે દેખાય; ને તેમ કહેવામાં આવે તે આપણે પિતાના ડહાપણે, અહંપણે ન માનવું તે યોગ્ય નથી. ૪ મેરબી, અષાડ સુદ ૭, બુધ, ૧૯૫૬ ૧ શ્રીમાન કુંદકુંદાચાર્યે અષ્ટપાહુડ (અષ્ટપ્રાભૃત) રચેલ છે. પ્રાભૃતભેદ – દર્શનપ્રાકૃત, જ્ઞાનપ્રાભૃત, ચારિત્રપ્રાભૃત, ભાવપ્રાભૃત, ઈત્યાદિ. દર્શનપ્રાભૂતમાં જિનભાવનું સ્વરૂપ બતાવ્યું છે. શાસ્ત્રકર્તા કહે છે કે અન્ય ભાવે અમે, તમે અને દેવાધિદેવ સુધાંએ પૂર્વે ભાવ્યા છે, અને તેથી કાર્ય સર્યું નથી, એટલા માટે જિનભાવ ભાવવાની જરૂર છે. જે જિનભાવ શાંત છે, આત્માને ધર્મ છે, અને તે ભાબેથી જ મુક્તિ થાય છે. ૨ ચારિત્રપ્રાભૃત. ૩ દ્રવ્ય અને તેને પર્યાય માનવામાં નથી આવતા ત્યાં વિકલ્પ થવાથી ગૂંચવાઈ જવું થાય છે. પર્યાય નથી માનેલા તેનું કારણ તેટલે અંશે નહીં પહોંચવાનું છે. - ૪ દ્રવ્યના પર્યાય છે એમ સ્વીકારવામાં આવે છે ત્યાં દ્રવ્યનું સ્વરૂપ સમજવામાં વિકલ્પ રહેતા હોવાથી ગૂંચવાઈ જવું થાય છે, અને તેથી જ રખડવું થાય છે. - ૫ સિદ્ધપદ એ દ્રવ્ય નથી, પણ આત્માને એક શુદ્ધ પર્યાય છે. તે પહેલાં મનુષ્ય વા દેવ હતું ત્યારે તે પર્યાય હતે, એમ દ્રવ્ય શાશ્વત રહી પર્યાયાંતર થાય છે. ૬ શાંતપણું પ્રાપ્ત કરવાથી જ્ઞાન વધે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy