SearchBrowseAboutContactDonate
Page Preview
Page 851
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫૯ શ્રી વ્યાખ્યાનસાર-૨ * ૧ ૧ જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હાય છે; એકલાં ન હેાય. ૨ વૈરાગ્ય શૃંગાર સાથે ન હોય, અને શૃંગાર સાથે વૈરાગ્ય ન હેાય. ૩ વીતરાગવચનની અસરથી ઇન્દ્રિયસુખ નીરસ ન લાગ્યાં તે જ્ઞાનીનાં વચના કાને પડ્યાં જ નથી, એમ સમજવું. ૪ જ્ઞાનીનાં વચને વિષયનું વમન, વિરેચન કરાવનારાં છે. પ છદ્મસ્થ એટલે આવરણુયુક્ત. ૬ શૈલેશીકરણ=શૈલ=પર્વત-ઈશ=મેટા; એટલે પર્વતામાં મેાટા મેરુ જેવા અકંપ ગુણવાળા. મેારખી, અસાડ સુદ ૪, ૧૯૫૬ છ અકંપ ગુણવાળા=મન, વચન, કાયાના યાગની સ્થિરતાવાળા. ૮ મેાક્ષમાં આત્માના અનુભવના જો નાશ થતા હેાય તે તે મેક્ષ શા કામના ? ૯ આત્માના ઊર્ધ્વ સ્વભાવ છે તે પ્રમાણે પ્રથમ ઊંચા જાય અને વખતે સિદ્ધશિલાએ ભટકાય; પણ કર્મરૂપી ખેાળે હાવાથી નીચે આવે. જેમ ડૂબેલા માણુસ ઉછાળાથી એક વખત ઉપર આવે છે તેમ. Jain Education International * સં. ૧૯૫૬ ના અસાડ–શ્રાવણમાં શ્રીમદ્ની મારખીમાં સ્થિતિ હતી તે પ્રસંગે વખતાવખત કરેલ ઉપદેશના સાર તથા પુછાયેલા પ્રશ્નોના સમાધાનની સંક્ષિપ્ત નોંધ એક મુમુક્ષુ શ્રોતાએ કરેલ તે અત્રે આપીએ છીએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy