SearchBrowseAboutContactDonate
Page Preview
Page 843
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૪ શ્રીમદ્ રાજચંદ્ર અથવા મોક્ષમાર્ગ કેઈન શાપથી અપ્રાપ્ત થતું નથી, કે કોઈના આશીર્વાદથી પ્રાપ્ત થતું નથી. પુરુષાર્થ પ્રમાણે થાય છે, માટે પુરુષાર્થની જરૂર છે. ૧૫૮ સૂત્ર, સિદ્ધાંત, શાસ્ત્રો પુરુષના ઉપદેશ વિના ફળતાં નથી. ફેરફાર જે છે તે વ્યવહારમાર્ગમાં છે. મોક્ષમાર્ગ તે ફેરફારવાળે નથી, એક જ છે. તે પ્રાપ્ત કરવામાં શિથિલપણું છે, તેને નિષેધ કરવામાં આવ્યો છે. ત્યાં આગળ શુરવીરપણું ગ્રહણ કરવા ગ્ય છે. જીવને અમૂર્ષિત કરે એ જ જરૂરનું છે. ૧૫૯ વિચારવાન પુરુષે વ્યવહારના ભેદથી મૂંઝાવું નહીં. ૧૬૦ ઉપરની ભૂમિકાવાળા નીચેની ભૂમિકાવાળાની બરાબર નથી, પરંતુ નીચેની ભૂમિકાવાળાથી ઠીક છે. પોતે જે વ્યવહારમાં હોય તેથી બીજાને ઊંચા વ્યવહાર જોવામાં આવે તે તે ઊંચા વ્યવહારનો નિષેધ કરે નહીં, કારણ કે મેક્ષમાર્ગને વિષે કશે ફેરફાર છે નહીં. ત્રણે કાળમાં ગમે તે ક્ષેત્રમાં, એક જ સરખે જે પ્રવર્તે તે જ મોક્ષમાર્ગ, ૧૬૧ અ૫માં અલ્પ એવી નિવૃત્તિ કરવામાં પણ જીવને ટાઢ વછૂટે છે, તે તેવી અનંત પ્રવૃત્તિથી કરી જે મિથ્યાત્વ થાય છે, તેથી નિવર્તવું એ કેટલું દુર્ધર થઈ પડવું જોઈએ? મિથ્યાત્વની નિવૃત્તિ તે જ “સમ્યફવા ૧૬૨ જીવાજીવની વિચારરૂપે પ્રતીતિ કરવામાં આવી ન હોય, અને બેલવામાત્ર જ છવાજીવ છે, એમ કહેવું તે સમ્યકત્વ નથી. તીર્થંકરાદિએ પણ પૂર્વે આરાધ્યું છે તેથી પ્રથમથી જ સમ્યકત્વ તેમને વિષે છે, પરંતુ બીજાને તે કંઈ અમુક કુળમાં, અમુક નાતમાં, કે જાતમાં કે અમુક દેશમાં અવતાર લેવાથી જન્મથી જ સમ્યક્ત્વ હોય એમ નથી. ૧૬૩ વિચાર વિના જ્ઞાન નહીં. જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યકત્વ નહીં. સમ્યકત્વ વિના ચારિત્ર ન આવે, અને ચારિત્ર ન આવે ત્યાં સુધી કેવળજ્ઞાન ન પામે, અને જ્યાં સુધી કેવળજ્ઞાન ન પામે ત્યાં સુધી મેક્ષ નથી, એમ જોવામાં આવે છે. ૧૬૪ દેવનું વર્ણન. તત્ત્વ. જીવનું સ્વરૂપ. ૧૬૫ કર્મરૂપે રહેલા પરમાણુ કેવળજ્ઞાનીને દૃશ્ય છે, તે સિવાયને માટે ચોક્કસ નિયમ હોય નહીં. પરમાવધિવાળાને દ્રશ્ય થવા સંભવે છે, અને મન:પર્યવજ્ઞાનીને અમુક દેશે દૃશ્ય થવા સંભવે છે. ૧૬ પદાર્થને વિષે અનંતા ધર્મ (ગુણદિ) રહ્યા છે. તેના અનંતમા ભાગે વાણીથી કહી શકાય છે. તેના અનંતમા ભાગે સૂત્રમાં ગૂંથી શકાય છે. ૧૬૭ યથાપ્રવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ, અપૂર્વકરણ ઉપરાંત મુંજનકરણ અને ગુણકરણ છે. યુજનકરણને ગુણકરણથી ક્ષય કરી શકાય છે. - ૧૬૮ યુજનકરણ એટલે પ્રકૃતિને જવી તે. આત્મગુણ જે જ્ઞાન, ને તેનાથી દર્શન, ને તેનાથી ચારિત્ર, એવા ગુણકરણથી યુજનકરણને ક્ષય કરી શકાય છે. અમુક અમુક પ્રકૃતિ જે આત્મગુણરોધક છે તેને ગુણકરણે કરી ક્ષય કરી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy