SearchBrowseAboutContactDonate
Page Preview
Page 836
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાનમાર-૧ ૭૪૭ છે, તે બંધ શી રીતે થાય છે?” તે બંધ કેવી રીતે નિવૃત્ત થાય?” અને તે બંધથી નિવૃત્ત થવું એ મેક્ષ છે એ આદિ સંબંધી વારંવાર, અને ક્ષણેક્ષણે વિચાર કર છે, અને એ પ્રમાણે વારંવાર વિચાર કરવાથી વિચાર વૃદ્ધિને પામે છે; ને તેને લીધે નિજસ્વરૂપને અંશેઅંશે અનુભવ થાય છે. જેમ જેમ નિજસ્વરૂપને અનુભવ થાય છે, તેમ તેમ દ્રવ્યનું જે અચિંત્ય સામર્થ્ય તે તેના અનુભવમાં આવતું જાય છે. તેને લઈને ઉપર બતાવેલી એવી જે શંકાઓ (જેવી કે, છેડા આકાશમાં અનંત જીવનું સમાવું, અથવા અનંત પુદ્ગલ પરમાણુનું સમાવું)નું કરવાપણું રહેતું નથી; અને તે યથાર્થ છે એમ સમજાય છે. તે છતાં પણ જે માનવામાં ન આવતું હોય તો અથવા શંકા કરવાનું કારણ રહેતું હોય તે જ્ઞાની કહે છે કે ઉપર બતાવેલ પુરુષાર્થ કરવામાં આવ્યથી અનુભવસિદ્ધ થશે. ૯૪ જીવ કર્મબંધ જે કરે છે, તે દેહસ્થિત રહેલે જે આકાશ તેને વિષે રહેલા જે સૂક્ષ્મ પુદ્ગલ તેમાંથી ગ્રહીને કરે છે. બહારથી લઈ કર્મ બાંધો નથી. - ૫ આકાશમાં ચૌદ રાજલકને વિષે સદા પુદ્ગલ પરમાણુ ભરપૂર છે; તે જ પ્રમાણે શરીરને વિષે રહેલે જે આકાશ ત્યાં પણ સૂક્ષ્મ પુદ્ગલ પરમાણુને સમૂહ ભરપૂર છે. ત્યાંથી સૂક્ષ્મ પુદ્ગલ જીવ ગ્રહી, કર્મબંધ પાડે છે. ૯૬ એવી આશંકા કરવામાં આવે કે શરીરથી લાંબે (દૂર) એટલે ઘણે છેટે એવા કેઈ કઈ પદાર્થ પ્રત્યે જીવ રાગદ્વેષ કરે તે તે ત્યાંના પુદ્ગલ ગ્રહી બંધ બાંધે છે કે શી રીતે? તેનું સમાધાન એમ થાય છે કે તે રાગદ્વેષરૂપ પરિણતિ તે આત્માની વિભાવરૂપ પરિણતિ છે, અને તે પરિણતિ કરનાર આત્મા છે, અને તે શરીરને વિષે રહી કરે છે, માટે ત્યાં આગળ એટલે શરીરને વિષે રહેલે એ જે આત્મા, તે જે ક્ષેત્રે છે તે ક્ષેત્રે રહેલાં એવાં જે પુદ્ગલ પરમાણુ તેને ગ્રહીને બાંધે છે. બહાર ગ્રહવા જ નથી. ૯૭ યશ, અપયશ, કીર્તિ જે નામકર્મ છે તે નામકર્મસંબંધ જે શરીરને લઈને છે તે શરીર રહે છે ત્યાં સુધી ચાલે છે, ત્યાંથી આગળ ચાલતાં નથી. જીવ સિદ્ધપણને પ્રાપ્ત થાય, અથવા વિરતિપણે પામે ત્યારે તે સંબંધ રહેતું નથી. સિદ્ધપણને વિષે એક આત્મા સિવાય બીજું કંઈ નથી, અને નામકર્મ એ એક જાતનું કર્મ છે, તે ત્યાં યશ અપયશ આદિને સંબંધ શી રીતે ઘટે? અવિરતિપણાથી જે કંઈ પાપક્રિયા થાય છે તે પાપ ચાલ્યું આવે છે. ૯૮ “વિરતિ એટલે “મુકાવું અથવા રતિથી વિરુદ્ધ, એટલે રતિ નહીં તે. અવિરતિમાં ત્રણ શબ્દને સંબંધ છે. અ+વિ+રતિ==નહીં+વિ=વિરુદ્ધ+રતિ=પ્રીતિ, એટલે પ્રીતિ વિરુદ્ધ નહીં તે અવિરતિ છે. તે અવિરતિપણું બાર પ્રકારનું છે. ૯ પાંચ ઇન્દ્રિય, અને છઠું મન તથા પાંચ સ્થાવર જીવ, અને એક ત્રસ જીવ મળી કુલ તેના બાર પ્રકાર છે. ૧૦૦ એ સિદ્ધાંત છે કે કૃતિ વિના જીવને પાપ લાગતું નથી. તે કૃતિની જ્યાં સુધી વિરતિ કરી નથી ત્યાં સુધી અવિરતિપણાનું પાપ લાગે છે. સમસ્ત એવા ચૌદ રાજલકમાંથી તેની પાપક્રિયા ચાલી આવે છે. ૧૦૧ કેઈ જીવ કંઈ પદાર્થ છ મરણ પામે, અને તે પદાર્થની યોજના એવા પ્રકારની હોય કે તે જેલે પદાર્થ જ્યાં સુધી રહે, ત્યાં સુધી તેનાથી પાપક્રિયા થયા કરે; તે ત્યાં સુધી તે જીવને અવિરતિપણની પાપક્રિયા ચાલી આવે છે; જોકે જીવે બીજે પર્યાય ધારણ કર્યાથી અગાઉના પર્યાય સમયે જે જે પદાર્થની યેજના કરેલી છે તેની તેને ખબર નથી તે પણ, તથા હાલના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy