SearchBrowseAboutContactDonate
Page Preview
Page 802
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ છાયા ૭૧૩ પ્રાપ્ત થાય. જેને આત્માના વિચારરૂપી ધ્યાન છે, સતત નિરંતર ધ્યાન છે, આત્મા જેને સ્વપ્રમાં પણ જુદો જ ભાસે, કેઇ વખત જેને આત્માની ભ્રાંતિ થાય જ નહીં તેને જ પરમાત્માપણું થાય. અંતરાત્મા નિરંતર કષાયાદિ નિવારવા પુરુષાર્થ કરે છે. ચૌદમા ગુણસ્થાનક સુધી એ વિચારરૂપી ક્રિયા છે. જેને વૈરાગ્ય ઉપશમ વર્તતા હોય તેને જ વિચારવાન કહીએ. આત્મા · મુક્ત થયા પછી સંસારમાં આવતા નથી. આત્મા સ્વાનુભવગાચર છે, તે ચક્ષુથી દેખાતા નથી, ઇંદ્રિયથી રહિત એવું જે જ્ઞાન તે જાણે છે. આત્માના ઉપયેગ મનન કરે તે મન છે. વળગણા છે તેથી મન જુદું કહેવાય. સંકલ્પવિકલ્પ મૂકી દેવા તે ઉપયેગ. જ્ઞાનને આવરણ કરનારું નિકાચિત કર્મ ન ખાંધ્યું હોય તેને સત્પુરુષને માધ લાગે છે. આયુષના અંધ હોય તે રાકાય નહીં. જીવે અજ્ઞાન ગ્રહ્યું છે તેથી ઉપદેશ પરિણમે નહીં. કારણ આવરણને લીધે પરિણમવાના રસ્તા નથી. જ્યાં સુધી લેાકના અભિનિવેશની કલ્પના કર્યાં કરી ત્યાં સુધી આત્મા ઊંચા આવે નહીં; અને ત્યાં સુધી કલ્યાણ પણ થાય નહીં. ઘણા જીવા સત્પુરુષના મેધ સાંભળે છે, પણ તેને વિચારવાના ચાગ બનતા નથી. ઇન્દ્રિયાના નિગ્રહનું ન હેાવાપણું, કુળધર્મના આગ્રહ, માનશ્લાઘાની કામના, અમધ્યસ્થપણું એ કદાગ્રહ છે. તે કદાગ્રહ જયાં સુધી જીવ ન મૂકે ત્યાં સુધી કલ્યાણ થાય નહીં. નવ પૂર્વ ભણ્યા તેાય રખડ્યો! ચૌદ રાજલેાક જાણ્યા પણુ દેહમાં રહેલા આત્મા ન ઓળખ્યા; માટે રખડ્યો ! જ્ઞાનીપુરુષ બધી શંકાએ ટાળી શકે છે; પણ તરવાનું કારણ સત્પુરુષની દૃષ્ટિએ ચાલવું તે છે; અને તેા જ દુઃખ મટે. આજ પણ પુરુષાર્થ કરે તે આત્મજ્ઞાન થાય. જેને આત્મજ્ઞાન નથી તેનાથી કલ્યાણ થાય નહીં. વ્યવહાર જેના પરમાર્થ છે તેવા આત્મજ્ઞાનીની આજ્ઞાએ વર્તો આત્મા લક્ષગત થાય, કલ્યાણ થાય. જીવને અંધ કેમ પડે ? નિકાચિત વિષે.—ઉપયેગે, અણઉપયેગે. આત્માનું મુખ્ય લક્ષણ ઉપયાગ છે. આત્મા તલમાત્ર દૂર નથી; બહાર જોવાથી દૂર ભાસે છે, પણ તે અનુભવગાચર છે. આ નહીં, આ નહીં, આ નહીં, એથી જુદું જે રહ્યું તે તે છે. આકાશ દેખાય છે તે આકાશ નથી. આકાશ ચક્ષુથી દેખાય નહીં. આકાશ અરૂપી કહ્યું છે. આત્માનું ભાન સ્વાનુભવથી થાય છે. આના અનુભવગોચર છે. અનુમાન છે તે માપણી છે. અનુભવ છે તે હેાવાપણું છે. આત્મજ્ઞાન સહજ નથી. ‘પંચીકરણ, ‘વિચારસાગર' વાંચીને કથનમાત્ર માન્યાથી જ્ઞાન થાય નહીં. જેને અનુભવ થયા છે એવા અનુભવીના આશ્રયે તે સમજી તેની આજ્ઞા પ્રમાણે વર્તે તે જ્ઞાન થાય. સમજ્યા વિના રસ્તા ભારે વિકટ છે. હીરા કાઢવા માટે ખાણુ ખાવી તે મહેનત છે, પણ હીરા લેવા તેમાં મહેનત નથી. તે જ પ્રમાણે આત્મા સંબંધી સમજણુ આવવી દુર્લભ છે; નહીં તે આત્મા કંઈ દૂર નથી. ભાન નથી તેથી દૂર લાગે છે. જીવને કલ્યાણ કરવું, ન કરવું, તેનું ભાન નથી; પણ પાતાપણું રાખવું છે. ચેાથે ગુણસ્થાનકે ગ્રંથિભેદ થાય. અગિયારમેથી પડે છે તેને ‘ઉપશમસમ્યક્ત્વ' કહેવાય. લાભ ચારિત્રને પાડનારા છે. ચેાથે ગુણસ્થાનકે ઉપશમ અને ક્ષાયિક અને હાય. ઉપશમ એટલે સત્તામાં આવરણનું રહેવું. કલ્યાણુનાં ખરેખરાં કારણેા જીવને ધાર્યાંમાં નથી. જે શાસ્ત્રો વૃત્તિને સંક્ષેપે નહીં, વૃત્તિને સંકોચે નહીં પરંતુ વધારે તેવાં શાસ્ત્રોમાં ન્યાય કયાંથી હોય ? વ્રત આપનારે અને વ્રત લેનારે બન્નેએ વિચાર તથા ઉપયાગ રાખવા. ઉપયેગ રાખે નહીં, ને ભાર રાખે તા નિકાચિત કર્મ બંધાય. એછું કરવું, પરિગ્રહમર્યાદા કરવી એમ જેના મનમાં હાય તે શિથિલ કર્મ બાંધે. પાપ કર્યું કાંઈ મુક્તિ હેાય નહીં. એક વ્રત માત્ર લઇ અજ્ઞાનને કાઢવા ઇચ્છે છે તેવાને અજ્ઞાન કહે છે કે તારાં કંઇક ચારિત્ર હું ખાઈ ગયા છું; તેમાં તે શું મેટી વાત છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy