SearchBrowseAboutContactDonate
Page Preview
Page 792
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ યા આવશ્યકતા છ પ્રકાર :- સામાયિક, ચાવીસથ્થા, વંદના, પ્રતિક્રમણ, કાયાત્સર્ગ, પ્રત્યાખ્યાન. સામાયિક એટલે સાવદ્યયેગની નિવૃત્તિ. વાચના (વાંચવું); પૃચ્છના (પૂછવું); પરિવર્તના (ફરી ફરી વિચારવું); ધર્મકથા (ધર્મવિષયની કથા કરવી) એ ચાર દ્રવ્ય છે; અને અનુપ્રેક્ષા એ ભાવ છે. પ્રથમ ચાર જો અનુપ્રેક્ષા ન આવે તે દ્રવ્ય છે. ૭૦૩ અજ્ઞાનીએ આજ કેવળજ્ઞાન નથી', મેાક્ષ નથી' એવી હીનપુરુષાર્થની વાતા કરે છે. જ્ઞાનીનું વચન પુરુષાર્થ પ્રેરે તેવું હાય. અજ્ઞાની શિથિલ છે તેથી એવાં હીનપુરુષાર્થનાં વચને કહે છે. પંચમકાળની, ભવસ્થિતિની, દેહદુર્બળતાની કે આયુષ્યની વાત કયારેય પણ મનમાં લાવવી નહીં; અને કેમ થાય એવી વાણી પણ સાંભળવી નહીં. કોઈ હીનપુરુષાથી વાર્તા કરે કે ઉપાદાનકારણ – પુરુષાર્થનું શું કામ છે ? પૂર્વે અસેાઆકેવળી થયા છે. તેા તેવી વાતાથી પુરુષાર્થહીન ન થવું. સત્સંગ ને સત્યસાધન વિના કોઈ કાળે પણુ કલ્યાણ થાય નહીં. જો પોતાની મેળે કલ્યાણુ થતું હોય તે માટીમાંથી ઘડો થવા સંભવે. લાખ વર્ષે થાય તેાપણુ ઘડો થાય નહીં, તેમ કલ્યાણુ થાય નહીં. તીર્થંકરના યાગ થયા હશે એમ શાસ્ત્રવચન છે છતાં કલ્યાણ થયું નથી તેનું કારણ પુરુષાર્થરહિતપણાનું છે. પૂર્વે જ્ઞાની મળ્યા હતા છતાં પુરુષાર્થ વિના જેમ તે યાગ નિષ્ફળ ગયા, તેમ આ વખતે જ્ઞાનીના યાગ મળ્યે છે ને પુરુષાર્થ નહીં કરો તે આ યાગ પણ નિષ્ફળ જશે. માટે પુરુષાર્થ કરવા; અને તા જ કલ્યાણ થશે. ઉપાદાનકારણ – પુરુષાર્થ શ્રેષ્ઠ છે. એમ નિશ્ચય કરવેા કે સત્પુરુષના કારણ–નિમિત્તથી અનંત જીવ તરી ગયા છે. કારણ વિના કોઈ જીવ તરે નહીં. અસેાચ્ચાકેવલીને પણ આગળ પાછળ તેવા યોગ પ્રાપ્ત થયા હશે. સત્સંગ વિના આખું જગત ડૂબી ગયું છે ! મીરાંબાઈ મહાભક્તિવાન હતાં. વૃંદાવનમાં જીવા ગાસાંઈનાં દર્શન કરવા ગયાં, ને પુછાવ્યું કે ‘દર્શન કરવા આવું ?' ત્યારે જીવા ગેસાંઈએ કહેવડાવ્યું કે ‘હું સ્ત્રીનું માં જોતા નથી.' ત્યારે મીરાંબાઈએ કહેવડાવ્યું કે વૃંદાવનમાં રહ્યાં, આપ પુરુષ રહ્યા છે. એ બહુ આશ્ચર્યકારક છે. વૃંદાવનમાં રહી મારે ભગવાન સિવાય અન્ય પુરુષનાં દર્શન કરવાં નથી. ભગવાનના ભક્ત છે તે તા સ્રીરૂપે છે, ગોપીરૂપે છે. કામને મારવા માટે ઉપાય કરે; કેમકે લેતાં ભગવાન, દેતાં ભગવાન, ચાલતાં ભગવાન, સર્વત્ર ભગવાન.’ નાભેા ભગત હતા. કોઈકે ચારી કરીને ચારીના માલ ભગતના ઘર આગળ દાટ્યો. તેથી ભગત પર ચારીના આરોપ મૂકી ફોટવાળ પકડી ગયા. કેદમાં નાંખી, ચારી મનાવવા માટે રાજ બહુ માર મારવા માંડ્યો. પણ સારા જીવ, ભગવાનના ભગત એટલે શાંતિથી સહન કર્યું. ગાસાંઈજીએ આવીને કહ્યું કે હું વિષ્ણુભક્ત છું, ચારી કાઈ ખીજાએ કરી છે એમ કહે.' ત્યારે ભગતે કહ્યું કે એમ કહીને છૂટવા કરતાં આ દેહને માર પડે તે શું ખાટું ? મારે ત્યારે હું તે ભક્તિ કરું છું. ભગવાનના નામે દેહને દંડ થાય તે સારું. એને નામે બધુંય સવળું. દેહ રાખવાને માટે ભગવાનનું નામ નહીં લેવું. ભલે દેહને માર પડે તે સારું —શું કરવા છે દેહને !’ સારા સમાગમ, સારી રીતભાત હાય ત્યાં સમતા આવે. સમતાની વિચારણા અર્થે એ ઘડીનું સામાયિક કરવું કહ્યું છે. સામાયિકમાં મનના મનોરથ અવળાસવળા ચિંતવે તે કાંઈ પણ ફળ થાય નહીં. સામાયિક મનના ઘોડા દોડતા અટકાવવા સારુ પ્રરૂપેલ છે. સંવત્સરીના દિવસસંબંધી એક પક્ષ ચેાથની તિથિના આગ્રહ કરે છે, અને બીજો પક્ષ પાંચમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy