SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૬ શ્રીમદ્ રાજચંદ્ર ૨. દ્રષ્ટાંત ઃ જેમ કોઈ ગ્રંથકાર શ્રેણિક રાજા અને ચલણરાણીનું વર્ણન કરતા હોય તે તેઓ બને આત્મા હતા અને માત્ર શ્રેણિકના ભાવ આશ્રયી તેમને સંબંધ, અગર સ્ત્રી, પુત્ર, ધન, રાજ્ય વગેરેને સંબંધ હત; તે વાત લક્ષમાં રાખ્યા પછી બોલવાની પ્રવૃત્તિ કરે એ જ પરમાર્થસત્ય. વ્યવહાર સત્ય આવ્યા વિના પરમાર્થસત્ય વચન બોલવાનું બને તેમ ન હોવાથી વ્યવહાર સત્ય નીચે પ્રમાણે જાણવાનું છે. જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જેવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા વાંચવાથી આપણને અનુભવવામાં આવ્યું હોય તેવા જ પ્રકારે યથાતથ્યપણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસંગે વચન બલવું તેનું નામ વ્યવહારસત્ય. દ્રષ્ટાંત ઃ જેમ કે અમુક માણસને લાલ અશ્વ જંગલમાં દિવસે બાર વાગ્યે દીઠો હોય, અને કેઈને પૂછવાથી તે જ પ્રમાણે યથાતથ્ય વચન બોલવું તે વ્યવહાર સત્ય. આમાં પણ કેઈ પ્રાણીના ગુનો નાશ થતા હોય, અગર ઉન્મત્તતાથી વચન બોલાયું હોય, યદ્યપિ ખરું હોય તેપણું અસત્યતુલ્ય જ છે એમ જાણી પ્રવર્તવું. સત્યથી વિપરીત તેને અસત્ય કહેવાય છે. કોધ, માન, માયા, લેભ, હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય, દુગંછા, અજ્ઞાનાદિથી બેલાય છે; ક્રોધાદિ મેહનીયના અંગભૂત છે. તેની સ્થિતિ બીજાં બધાં કર્મથી વધારે એટલે (૭૦) સિત્તેર કેડાછેડી સાગરોપમની છે. આ કર્મ ક્ષય થયા વિના જ્ઞાનાવરણાદિ કર્મ સંપૂર્ણપણે ક્ષય થઈ શકતાં નથી; જોકે ગણિતમાં પ્રથમ જ્ઞાનાવરણદિ કર્મો કહ્યાં છે, પણ આ કર્મની ઘણી મહત્ત્વતા છે, કેમકે સંસારના મૂળભૂત રાગદ્વેષનું આ મૂળસ્થાન હોવાથી ભવભ્રમણ કરવામાં આ કર્મની મુખ્યતા છે; આવું મેહનીયકર્મનું બળવાનપણું છે, છતાં પણ તેને ક્ષય કરે સહેલ છે એટલે કે જેમ વેદનીયકર્મ વેદ્યા વિના નિષ્ફળ થતું નથી તેમ આ કર્મને માટે નથી. મેહનીયકર્મની પ્રકૃતિરૂપ ક્રોધ, માન, માયા, અને લેભાદિ કષાય તથા નેકષાયના અનુક્રમે ક્ષમા, નમ્રતા, નિરભિમાનપણું, સરળપણું, નિર્દભતા અને સંતોષાદિની વિપક્ષ ભાવનાથી એટલે માત્ર વિચાર કરવાથી ઉપર દર્શાવેલા કષાયે નિષ્ફળ કરી શકાય છે. નેકષાય પણ વિચારથી ક્ષય પમાડી શકાય છે, એટલે કે તેને સારુ બાહ્ય કઈ કરવું પડતું નથી. | મુનિ એ નામ પણ આ પૂર્વોક્ત રીતે વિચારીને વચન બોલવાથી સત્ય છે. ઘણું કરીને પ્રયજન વિના બેલવું જ નહીં તેનું નામ મુનિપણું. રાગદ્વેષ ને અજ્ઞાન વિના યથાસ્થિત વસ્તુનું સ્વરૂપ કહેતાં બેલતાં છતાં પણ મુનિ પણું મૌનપણું જાણવું. પૂર્વ તીર્થંકરાદિ મહાત્માઓએ આમ જ વિચાર કરી મૌનપણું ધારણ કરેલું અને સાડાબાર વર્ષ લગભગ મૌનપણું ધારણ કરનાર ભગવાન વીરપ્રભુએ આવા ઉત્કૃષ્ટ વિચારે કરી આત્મામાંથી ફેરવી ફેરવીને મેહનીયકર્મને સંબંધ કાઢી નાંખી કેવળજ્ઞાનદર્શન પ્રગટ કર્યું હતું. આત્મા ધારે તે સત્ય બોલવું કંઈ કઠણ નથી. વ્યવહાર સત્યભાષા ઘણી વાર બલવામાં આવે છે, પણું પરમાર્થસત્ય બોલવામાં આવ્યું નથીમાટે આ જીવનું ભવભ્રમણ મટતું નથી. સમ્યકત્વ થયા બાદ અભ્યાસથી પરમાર્થ સત્ય બોલવાનું થઈ શકે છે, અને પછી વિશેષ અભ્યાસે સહજ ઉપયોગ રહ્યા કરે છે. અસત્ય બોલ્યા વિના માયા થઈ શક્તી નથી. વિશ્વાસઘાત કરે તેને પણ અસત્યમાં સમાવેશ થાય છે. ખેટા દસ્તાવેજો કરવા તે પણ અસત્ય જાણવું. અનુભવવા ગ્ય પદાર્થનું સ્વરૂપ અનુભવ્યા વિના અને ઇન્દ્રિયથી જાણવા ગ્ય પદાર્થનું સ્વરૂપ જાણ્યા વિના ઉપદેશ કરે તે પણ અસત્ય જાણવું. તે પછી તપપ્રમુખ માનાદિની ભાવનાથી કરી, આત્મહિતાર્થ કરવા જેવો દેખાવ, તે અસત્ય હોય જ એમ જાણવું. અખંડ સમ્યક્દર્શન આવે તે જ સંપૂર્ણપણે પરમાર્થસત્ય વચન બેલી શકાય; એટલે કે તે જ આત્મામાંથી અન્ય પદાર્થ ભિન્નપણે ઉપયોગમાં લઈ વચનની પ્રવૃત્તિ થઈ શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy