SearchBrowseAboutContactDonate
Page Preview
Page 763
Loading...
Download File
Download File
Page Text
________________ ६७४ શ્રીમદ્ રાજચંદ્ર ૩૧ આસ્થા તથા શ્રદ્ધા : દરેક જીવે જીવના અસ્તિત્વથી તે મોક્ષ સુધીની પૂર્ણપણે શ્રદ્ધા રાખવી. એમાં જરા પણ શંકા રાખવી નહીં. આ જગ્યાએ અશ્રદ્ધા રાખવી તે જીવને પતિત થવાનું કારણ છે, અને તે એવું સ્થાનક છે કે ત્યાંથી પડવાથી કાંઈ સ્થિતિ રહેતી નથી. સિત્તેર કટાકટિ સાગરોપમ સ્થિતિ અંતર્મુહૂર્તમાં બંધાય છે જેને લઈને જીવને અસંખ્યાતા ભવ ભ્રમણ કરવા પડે છે. ચારિત્રમેહને લટક્યો તે ઠેકાણે આવે છે, પણ દર્શનમોહન પડ્યો ઠેકાણે આવતું નથી. કારણ, સમજવા ફેર થવાથી કરવા ફેર થાય છે. વીતરાગરૂપ જ્ઞાનીનાં વચનમાં અન્યથાપણું હોવાને સંભવ જ નથી. તેને અવલંબને રહી સીસું રેડ્યું હોય એવી રીતે શ્રદ્ધાને આઘે પણ મજબૂત કરવી. જ્યારે જ્યારે શંકા થવાને પ્રસંગ આવે ત્યારે જીવે વિચારવું કે તેમાં પિતાની ભૂલ જ થાય છે. વીતરાગ પુરુષોએ જ્ઞાન જે મતિથી કહ્યું છે, તે મતિ આ જીવમાં છે નહીં અને આ જીવની મતિ તે શાકમાં મીઠું ઓછું પડ્યું હોય તે તેટલામાં જ રોકાઈ જાય છે. તે પછી વીતરાગના જ્ઞાનની મતિને મુકાબલો ક્યાંથી કરી શકે ? તેથી બારમા ગુણસ્થાનકના અંત સુધી પણ જીવે જ્ઞાનીનું અવલંબન લેવું એમ કહ્યું છે. અધિકારી નહીં છતાં પણ ઊંચા જ્ઞાનને ઉપદેશ કરવામાં આવે છે તે માત્ર આ જીવે પિતાને જ્ઞાની તથા ડાહ્યો માની લીધેલ હોવાથી તેનું માન ગાળવાના હેતુથી અને નીચેના સ્થાનકેથી વાત કહેવામાં આવે છે તે માત્ર તે પ્રસંગ પ્રાપ્ત થયે નીચે ને નીચે જ રહે. મુંબઈ, આશ્વિન, ૧૯૪૯ जे अबुद्धा महाभागा वीरा असमत्तदंसिणो । असुद्धं तेसिं परक्कंतं सफलं होइ सव्वसो ॥ २२ ॥ जे य बुद्धा महाभागा वीरा सम्मत्तदंसिणो । सुद्धं तेसिं परक्कंतं अफलं होइ सव्वसो ॥ २३ ॥ શ્રી સૂયગડાંગ સૂત્ર, વીર્યાધ્યયન ૮મું ૨૨-૨૩ ઉપર જ્યાં “સફળ” છે ત્યાં “અફળ” ઠીક લાગે છે, અને “અફળ” છે ત્યાં “સફળ” ઠીક લાગે છે, માટે તેમાં લખિત દોષ છે કે બરાબર છે? તેનું સમાધાન કે : લખિત દોષ નથી; સફળ છે ત્યાં સફળ અને અફળ છે ત્યાં અફળ બને બરાબર છે. મિથ્યાદ્રષ્ટિની ક્રિયા સફળ છે, ફળે કરીને સહિત છે, અર્થાત્ તેને પુણ્ય પાપ ફળનું બેસવાપણું છે સમ્યવૃષ્ટિની ક્રિયા અફળ છે, ફળ રહિત છે, તેને ફળ બેસવાપણું નથી, અર્થાત નિર્જરા છે. એકની, મિથ્યાષ્ટિની ક્રિયાનું સંસારહેતુક સફળપણું અને બીજાની, સમ્યગ્દષ્ટિની ક્રિયાનું સંસારહેતુક અફળપણું એમ પરમાર્થ સમજવા ગ્ય છે. ૩૩ વૈશાખ, ૧૫૦ નિત્યનિયમ » શ્રીમત્પરમગુરુભ્યો નમ: સવારમાં ઊઠી ઈર્યાપથિકી પ્રતિકમી રાત્રિ-દિવસ જે કંઈ અઢાર પાપસ્થાનકમાં પ્રવૃત્તિ થઈ હાય, સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર સંબંધી તથા પંચપરમપદ સંબંધી જે કંઈ અપરાધ થયે હોય, ૧. આ છે નિત્યનિયમ જણાવેલ છે તે “શ્રીમદુ’ના ઉપદેશામૃતમાંથી ઝીલી શ્રી ખંભાતના એક મુમુક્ષુ ભાઈ એ યોજેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy