SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૫ વર્ષ ૩૩ મું વ્રત, નિયમ, શીલ અને દેવગુરુધર્મની ભક્તિમાં વિર્ય પરમ ઉલ્લાસ પામી પ્રવર્તે એમ સુદ્રઢતા કરવી યોગ્ય છે અને એ જ પરમ મંગળકારી છે.' જ્યાં સ્થિતિ કરે ત્યાં તે તે સમાગમવાસીઓને જ્ઞાનીના માર્ગની પ્રતીતિ સુદ્રઢ થાય અને અપ્રમત્તપણે સુશીલની વૃદ્ધિ કરે એવું તમારું વર્તન રાખજે. » શાંતિઃ મેરબી, શ્રાવણ વદ ૧૦, ૧૯૫૬ ભાઈ કિલાભાઈ તથા ત્રિભવન આદિ મુમુક્ષુઓ, સ્તંભતીર્થ. આજે વેગશાસ્ત્ર' ગ્રંથ ટપાલમાં મોકલવાનું થયું છે. શ્રી અંબાલાલની સ્થિતિ સ્તંભતીર્થ જ થવાને વેગ બને તે તેમ, નહીં તે તમે અને કીલાભાઈ આદિ મુમુક્ષુઓના અધ્યયન અને શ્રવણ-મનન અર્થે શ્રાવણ વદ ૧૧ થી ભાદ્રપદ પૂર્ણિમા પર્યત સુવત, નિયમ અને નિવૃત્તિપરાયણતાના હેતુએ એ ગ્રંથને ઉપયોગ કર્તવ્ય છે. પ્રમત્તભાવે આ જીવનું ભૂંડું કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નથી, તથાપિ આ જીવને નિજહિતને ઉપગ નથી એ જ અતિશય ખેદકારક છે. જ છે આ! હાલ તે પ્રમત્તભાવને ઉલ્લાસિત વિર્યથી મેળે પાડી, સુશીલ સહિત, સત્કૃતનું અધ્યયન કરી નિવૃત્તિએ આત્મભાવને પિષ. ' હાલ નિત્યપ્રતિ પત્રથી નિવૃત્તિપરાયણતા લખવી યોગ્ય છે. અંબાલાલને પત્ર પ્રાપ્ત થયું હશે. અત્રથી સ્થિતિને ફેરફાર થશે અને અંબાલાલને જણાવવા યોગ બનશે તે આવતી કાલ સુધીમાં બનવા ગ્યા છે. બનતાં સુધી તારથી ખબર આપવાનું થશે. ૯૪૫ મોરબી, શ્રાવણ વદ ૧૦, ૧૫૬ શ્રી પર્યુષણ આરાધના એકાંત યુગ્ય સ્થળમાં, પ્રભાતે ઃ (૧) દેવગુરુની ઉત્કૃષ્ટ ભક્તિવૃત્તિએ અંતરાત્મધ્યાનપૂર્વક બે ઘડીથી ચાર ઘડી સુધી ઉપશાંત વ્રત. (૨) શ્રત “પદ્મનંદી” આદિ અધ્યયન, શ્રવણ. મધ્યાહૈઃ (૧) ચાર ઘડી ઉપશાંત વ્રત. (૨) શ્રત કર્મગ્રંથ'નું અધ્યયન, શ્રવણ, “સુદૃષ્ટિતરંગિણી' આદિનું થોડું અધ્યયન. સાયંકાળેઃ (૧) ક્ષમાપનાને પાઠ. (૨) બે ઘડી ઉપશાંત વ્રત. (૩) કર્મવિષયની જ્ઞાનચર્ચા રાત્રીભોજન સર્વ પ્રકારના સર્વથા ત્યાગ. અને તે ભાદ્રપદ પૂર્ણિમા સધી એક વખત આહારગ્રહણ. પંચમીને દિવસે ઘી, દૂધ, તેલ, દહને પણ ત્યાગ. ઉપશાંત વ્રતમાં વિશેષ કાળનિર્ગમન. બને તે ઉપવાસ ગ્રહણ કરે. લીલેરી સર્વથા ત્યાગ. બ્રહ્મચર્ય આઠે દિવસ પાળવું. અને તે ભાદ્રપદ પુનમ સુધી. શમમ. શ્રી મોક્ષમાળાના “પ્રજ્ઞાવબોધ ભાગની સંકલના ૧ વાચકને પ્રેરણ. ૨ જિન દેવ. ૩ નિગ્રંથ. ૪ દયાની પરમ ધર્મતા. ૫ સાચું બ્રાહ્મણપણું. ૬ મૈત્રી આદિ ચાર ભાવના, ૭ સશાસ્ત્રને ઉપકાર. ૮ પ્રમાદના સ્વરૂપને વિશેષ ૯ ત્રણ મને રથ. વિચાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy