SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૩૨ મું ૬૩૧ ૮૬૦ મોરબી, ફાલ્ગન સુદ ૧, રવિ, ૧૯૫૫ છે નમઃ પત્ર પ્રાપ્ત થયું. નાકે રૂપ નિહાળતા” એ ચરણને અર્થ વીતરાગમુદ્રાસૂચક છે. રૂપાવલોકન દ્રષ્ટિથી સ્થિરતા પ્રાપ્ત થયે સ્વરૂપાવલોકનદ્રષ્ટિમાં પણ સુગમતા પ્રાપ્ત થાય છે. દર્શન મેહને અનુભાગ ઘટવાથી સ્વરૂપાવલેકનદૃષ્ટિ પરિણમે છે. મહેપુરુષને નિરંતર અથવા વિશેષ સમાગમ, વીતરાગધ્રુત ચિંતવના, અને ગુણજિજ્ઞાસા દર્શનમેહને અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે. તેથી સ્વરૂપવૃષ્ટિ સહજમાં પરિણમે છે. ૮૬૧ મેરબી, ફાગણ સુદ ૧, રવિ, ૧૫૫ છે નમઃ પત્ર પ્રાપ્ત થયું. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય’નું ભાષાંતર ગુર્જરભાષામાં કરતાં આજ્ઞાને અતિક્રમ નથી. આત્મસિદ્ધિ સ્મરણાર્થે યથાઅવસર આજ્ઞા પ્રાપ્ત થવા એગ્ય છે. વનમાળીદાસે “તવાર્થસૂત્ર” વિશેષ કરી વિચારવું ગ્ય છે. હિંદી ભાષા ન સમજાતી હોય તે ઊગરીબહેને કુંવરજી પાસેથી તે ગંધ શ્રવણ કરી સમજ ગ્ય છે. શિથિલતા ઘટવાને ઉપાય જીવ જે કરે તે સુગમ છે. ૮૬૨ મોરબી, ફાગણ સુદ ૧, રવિ, ૧૫૫ વીતરાગવૃત્તિને અભ્યાસ રાખશે. ૮૬૩ વવાણિયા, ફાત્ર વદ ૧૦, બુધ, ૧૫૫ આત્માર્થીએ બેધ કયારે પરિણમી શકે છે એ ભાવ સ્થિરચિત્તે વિચારવા ગ્ય છે, જે મૂળભૂત છે. અમુક અસદ્દવૃત્તિઓને પ્રથમ અવશ્ય કરી નિરોધ કરવો એગ્ય છે. જે નિરધના હેતુને દૃઢતાથી અનુસરવું જ જોઈએ, તેમાં પ્રમાદ યોગ્ય નથી. . ૮૬૪ વવાણિયા, ફાગણ વદ ૦)), ૧૫૫ ચરમાવર્ત હો ચરમકરણ તથા રે, ભવપરિણતિ પરિપાક, દેષ ટળે વળી દ્રષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાક. ૧ પરિચય પાતિક ઘાતક સાધુ શું રે, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણ, મનન કરી રે, પરિશીલન નહેત. ૨ મુગધ સુગમ કરી સેવન લેખવે રે, સેવન અગમ અનુપ; દેજે કદાચિત્ સેવક યાચના રે, આનંદઘન રસરૂપ”. ૩ -આનંદઘન, સંભવજિન સ્તવન. કેઈ નિવૃત્તિમુખ્ય ક્ષેત્રે વિશેષ સ્થિતિ અવસરે સદ્ભૂત વિશેષ પ્રાપ્ત થવા ગ્ય છે. ગુર્જરી દેશ પ્રત્યે તમારું આગમન થાય એમ ખેરાલુક્ષેત્રે મુનિશ્રી ઈચ્છે છે. વેણુસર અને ટીકરને રસ્તે થઈ ધાંગધ્રા તરફથી હાલ ગુર્જર દેશમાં જઈ શકાવા સંભવ છે. તે માર્ગે પિપાસા પરિષહને કંઈક સંભવ રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy