SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૩૧ મું ૬૨૧ જેમ આકાશમાં વિશ્વને પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યફદ્રષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આંત્મા દીઠે છે. જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માને નાશ પણ ક્યાંથી હોય? અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજઅનુભવ પ્રમાણુસ્વરૂપમાં પરમ જાગૃત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અક્ષેશ સમાધિને પામે છે. પરમસુખસ્વરૂપ, પરમેસ્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેને તે સત્યરુષોને નમસ્કાર. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમેસ્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ છે? વિકલ્પ છે? ભય છે? ખેદ છે? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિવિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૩૪ વવાણિયા, જયેષ્ઠ સુદ ૬, ગુરુ, ૧૯૫૪ મહત ગુણનિષ્ઠ સ્થવિર આર્ય શ્રી ડુંગર ચેષ સુદિ ૩ સેમવારની રાત્રીએ નવ વાગ્યે સમાધિ સહિત દેહમુક્ત થયા. મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. ૮૩૫ મુંબઈ, યેક વદ ૪, બુધ, ૧૫૪ * નમ: મનની વૃત્તિ શુદ્ધ અને સ્થિર થાય એ સત્સમાગમ પ્રાપ્ત થવે બહુ દુર્લભ છે. વળી તેમાં આ દુષમકાળ હોવાથી જીવને તેને વિશેષ અંતરાય છે. જે જીવને પ્રત્યક્ષ સત્સમાગમને વિશેષ લાભ પ્રાપ્ત થાય તે મહપુણ્યવાનપણું છે. સત્સમાગમના વિયોગમાં સશાસ્ત્રને સદાચારપૂર્વક પરિચય અવશ્ય કરવા એગ્ય છે. આ ભાવ એક વસ્તુમાં એક સમયે છે. ઉત્પાદ ) વ્યય કે ધ્રુવ ) જીવ અને પરમાણુઓને જીવા જીવ પરમાણુ ભાવ પરમાણુઓ. સંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy