SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૬ શ્રીમદ્ રાજચંદ્ર પુરુષો થયા તેના વચનમાં અને તારાં વચનમાં પણ શંકા નાંખી દીધી. એકાંત ઈ કૂટી તારું શાસન નિંદાવ્યું. શાસન દેવી ! એવી સહાયતા કંઈ આપ કે જે વડે કલ્યાણના માર્ગ હું ખીજાને ખાધી શકું, દર્શાવી શકું,-ખરા પુરુષા દર્શાવી શકે. સર્વોત્તમ નિગ્રંથપ્રવચનના મેધ ભણી વાળી આ આત્મવિરાધક પંથેાથી પાછા ખેંચવામાં સહાયતા આપ!! તારા ધર્મ છે કે સમાધિ અને બાધિમાં સહાયતા આપવી. [ અંગત ] સંવત ૧૯૫૩ ૭૫૫ ૐ નમઃ શારીરિક, માનસિક અનંત પ્રકારનાં દુઃખાએ આકુલવ્યાકુલ જીવાને તે દુઃખોથી છૂટવાની અહુ પ્રકારે ઇચ્છા છતાં તેમાંથી તે મુક્ત થઈ શકતા નથી તેનું શું કારણ ? એવું પ્રશ્ન અનેક વેાને ઉત્પન્ન થયા કરે; પણ તેનું યથાર્થ સમાધાન કોઈ વિરલ જીવને જ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી દુઃખનું મૂળ કારણ યથાર્થપણે જાણવામાં ન આવ્યું હાય, ત્યાં સુધી તે ટાળવાને માટે ગમે તેવું પ્રયત્ન કરવામાં આવે તાપણુ દુ:ખનેા ક્ષય થઈ શકે નહીં, અને ગમે તેટલી અરુચિ, અપ્રિયતા અને અભાવ તે દુઃખ પ્રત્યે હાય છતાં એને અનુભવ્યા જ કરવું પડે. અવાસ્તવિક ઉપાયથી તે દુઃખ મટાડવાનું પ્રયત્ન કરવામાં આવે, અને તે પ્રયત્ન ન સહન થઈ શકે એટલા પરિશ્રમપૂર્વક કર્યું હાય છતાં તે દુઃખ ન મટવાથી દુઃખ મટાડવા ઇચ્છતા મુમુક્ષુને અત્યંત વ્યામેહ થઈ આવે છે, અથવા થયા કરે છે કે આનું શું કારણ ? આ દુઃખ ટળતું કેમ નથી ? કોઈ પણ પ્રકારે મારે તે દુઃખની પ્રાપ્તિ ઇચ્છિત નહીં છતાં, સ્વપ્નેય પણ તેના પ્રત્યે કંઈ પણુ વૃત્તિ નહીં છતાં, તેની પ્રાપ્તિ થયા કરે છે, અને હું જે જે પ્રયત્ન કરું છું તે તે બધાં નિષ્ફળ જઈ દુઃખ અનુભવ્યા જ કરું છું એનું શું કારણ ? શું એ દુઃખ કેાઈને મટતું જ નહીં હોય? દુઃખી થવું એ જ જીવના સ્વભાવ હશે ? શું કઈ એક જગતકર્તા ઈશ્વર હશે તેણે આમ જ કરવું યેાગ્ય ગણ્યું હશે ? શું ભવિતવ્યતાને આધીન એ વાત હશે ? અથવા કોઈક મારા કરેલા આગલા અપરાધાનું ફળ હશે? એ વગેરે અનેક પ્રકારના વિકલ્પે જે જીવા મનસહિત દેહધારી છે તે કર્યા કરે છે, અને જે જીવા મનરહિત છે તે અવ્યક્તપણે દુઃખને અનુભવ કરે છે, અને અવ્યક્તપણે તે દુઃખ મટે એવી ઇચ્છા રાખ્યા કરે છે. આ જગતને વિષે પ્રાણીમાત્રની વ્યક્ત અથવા અવ્યક્ત ઇચ્છા પણ એ જ છે કે, કોઈ પણ પ્રકારે મને દુ:ખ ન હેા, અને સર્વથા સુખ હા. પ્રયત્ન પણ એ જ અર્થે છતાં તે દુઃખ શા માટે મટતું નથી ? એવા પ્રશ્ન ઘણા ઘણા વિચારવાનાને પણ ભૂતકાળે ઉત્પન્ન થયા હતા, વર્તમાનકાળે પણ થાય છે, અને ભવિષ્યકાળે પણ થશે. તે અનંત અનંત વિચારવાનામાંથી અનંત વિચારવાને તેના યથાર્થ સમાધાનને પામ્યા, અને દુઃખથી મુક્ત થયા. વર્તમાનકાળે પણ જે જે વિચારવાને યથાર્થ સમાધાન પામે છે, તે પણ તથારૂપ ફળને પામે છે, અને ભવિષ્યકાળે પણ જે જે વિચારવાના યથાર્થ સમાધાન પામશે, તે તે તથારૂપ ફળને પામશે એમાં સંશય નથી. શરીરનું દુઃખ માત્ર ઔષધ કરવાથી મટી જતું હેાત, મનનું દુ:ખ ધનાદિ મળવાથી જતું હાત, અને બાહ્ય સંસર્ગ સંબંધનું દુ:ખ મનને કંઇ અસર ઉપજાવી શકતું ન હેાત તા દુઃખ મટવા માટે જે જે પ્રયત્ન કરવામાં આવે છે તે તે સર્વ જીવાનું સફળ થાત; પણ જ્યારે તેમ બનતું જોવામાં ન આવ્યું ત્યારે જ વિચારવાનાને પ્રશ્ન ઉત્પન્ન થયું કે, દુ:ખ મટવા માટે બીજે જ ઉપાય હાવેા જોઈએ; આ જે કરવામાં આવે છે તે ઉપાય અયથાર્થ છે, અને બધા શ્રમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy