SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ર શ્રીમદ્ રાજચંદ્ર - જેવું સિદ્ધભગવાનનું આત્મસ્વરૂપ છે, તેવું સર્વ જીવેનું આત્મસ્વરૂપ છે; તે માટે ભવ્ય છએ સિદ્ધત્વને વિષે રુચિ કરવી. તેમ જ શ્રી દેવચંદ્રસ્વામીએ શ્રી વાસુપૂજ્યના વનમાં કહ્યું છે કે “જિનપૂજા રે તે નિજ પૂજના.” જે યથાર્થ મૂળદ્રષ્ટિથી જોઈએ તે જિનની પૂજા તે આત્મસ્વરૂપનું જ પૂજન છે. સ્વરૂપઆકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપપ્રાપ્તિને હેતુ જાયે છે. ક્ષીણમેહ ગુણસ્થાનપર્યંત તે સ્વરૂપચિંતવના જીવને પ્રબળ અવલંબન છે. વળી માત્ર એકલું અધ્યાત્મસ્વરૂપચિંતવન જીવને વ્યાહ ઉપજાવે છે, ઘણુ જીવેને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારીપણું ઉત્પન્ન કરે છે; અથવા ઉન્મત્તપ્રલાપદશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી ભક્તિપ્રધાન દ્રષ્ટિ થાય છે, અને અધ્યાત્મદ્રષ્ટિ ગૌણ થાય છે. જેથી શુષ્કતા, સ્વેચ્છાચારીપણું અને ઉન્મત્તપ્રલાપતા થતાં નથી. આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મપ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણને ભજે છે, એટલે શુષ્કતાદિ દોષ ઉત્પન્ન થતા નથી; અને ભક્તિમાર્ગ પ્રત્યે પણ જુગુપ્સિત થતા નથી. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપલીનતા પામતી જાય છે. જ્યાં અહંતાદિના સ્વરૂપધ્યાનાલંબન વગર વૃત્તિ આત્માકારતા ભજે છે, ત્યાં –અપૂર્ણ (૨) વીતરાગ સ્તવના * વીતરાગને વિષે ઈશ્વર એવા ઋષભદેવ ભગવાન મારા સ્વામી છે. તેથી હવે હું બીજા કંથની ઈચ્છા કરતી નથી, કેમકે તે પ્રભુ રીજ્યા પછી છેડતા નથી. તે પ્રભુને યોગ પ્રાપ્ત થશે તેની આદિ છે પણ તે પેગ કઈ વાર પણ નિવૃત્તિ પામતે નથી, માટે અનંત છે. જગતના ભામાંથી ઉદાસીન થઈ ચૈતન્યવૃત્તિ શુદ્ધચૈતન્યસ્વભાવે સમવસ્થિત ભગવાનમાં પ્રીતિમાન થઈ તેને હર્ષ આનંદઘનજી દર્શાવે છે. પિતાની શ્રદ્ધા નામની સખીને આનંદઘનજીની ચૈતન્યવૃત્તિ કહે છે કે : હે સખી! મેં ઋષભદેવ ભગવાનથી લગ્ન કર્યું છે, અને તે ભગવાન મને સર્વથી વહાલા છે. એ ભગવાન મારા પતિ થવાથી હવે હું બીજા કોઈ પણ પતિની ઈચ્છા કરું જ નહીં. કેમકે બીજા બધા જન્મ, જરા, મરણાદિ દુખે કરીને આકુળવ્યાકુળ છે, ક્ષણવાર પણ સુખી નથી; તેવા જીવને પતિ કરવાથી મને સુખ ક્યાંથી થાય? ભગવાન રાષભદેવ તે અનંત અવ્યાબાધ સુખસમાધિને પ્રાપ્ત થયા છે, માટે ૧. આનંદઘન તીર્થંકર સ્તવનાવલી પરત્વેનું આ વિવેચન લખતાં આ સ્થળેથી અપૂર્ણ મુકાયું છે.-સંશોધક * શ્રી ઋષભજનસ્તવન ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે, ઓર ન ચાહું રે કંત; રીઝ સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. ઋષભ૦ ૧ કઈ કંત કારણ કાષ્ઠભક્ષણ કરે છે, મિલશું કંતને ધાય; એ મેળા નવિ કહિયે સંભવે રે, મેળે ઠામ ન થાય. ઋષભ૦ ૩ કઈ પતિરંજન અતિઘણું તપ કરે છે, પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુમેળાપ. ઋષભ૦ ૪ કઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ; દોષરહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ, ઋષભ૦ ૫ ચિત્તપ્રસનને રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટરહિત થઈ આતમ અરપણું રે, આનંદધન ૫દરેહ. ઋષભ૦ ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy