SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ # શાંતિઃ. ૫૬૮ "શ્રીમદ્ રાજચંદ્ર જહાં ક૯૫ના જલ્પના, તહાં માનું દુઃખ છાંઈ મિટે કલ્પના જલ્પના, તબ વસ્તુ તિન પાઈ. “પઢી પાર કહાં પાવને, મિટે ન મનકે ચાર; જે કેલકે બૈલકું, ઘર હી કેશ હજાર.” મેહનીય’નું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. મેહિનીએ મહા મુનીશ્વરેને પણ પળમાં તેના પાશમાં ફસાવી અત્યંત રિદ્ધિસિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે, શાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં લલચાવી રખડાવ્યા છે. નિર્વિકલ્પ સ્થિતિ લાવવી, આત્મસ્વભાવમાં રમણતા કરવી, માત્ર દ્રષ્ટાભાવે રહેવું, એ જ્ઞાનીને ઠામ ઠામ બધ છે; તે બેધ યથાર્થ પ્રાપ્ત થયે આ જીવનું કલ્યાણ થાય. જિજ્ઞાસામાં રહે. મેગ્ય છે. કર્મ મેહનોંય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હિણે બેધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. | ૭૪૭ વવાણિયા, ફાગણ સુદ ૨, શુક્ર, ૧૯૫૩ સર્વ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. મુનિશ્રી દેવકરણજી વશ દેહા “દીનતા”ના મુખપાઠ કરવા ઈચ્છે છે, તેથી આજ્ઞાને અતિક્રમ નથી. અર્થાત્ તે દેહા મુખપાઠ કરવા યોગ્ય છે. કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મેહનીય, હણાય તે કહું પાઠ. કર્મ મેહનોંય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, ઉપાય અચૂક આમ. શ્રી “આત્મસિદ્ધિશાસ્ત્ર ૭૪૮ વવાણિયા, ફાગણ સુદ ૪, રવિ, ૧૯૫૩ જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કર એગ્ય નથી. તેમને શિક્ષા એટલે ઉપદેશ દઈ સુધારવા કરવાનું હવે મૌન રાખી, મળતા રહી કામ નિર્વાહવું એ જ યોગ્ય છે. જાણ્યા પહેલાં ઠપકો લખે તે ઠીક નહીં. તેમ ઠપકાથી અક્કલ આણી દેવી મુશ્કેલ છે. અક્કલને વરસાદ વરસાવવામાં આવે છે, પણ આ લોકેની રીતિ હજ રસ્તે પકડતી નથી. ત્યાં શા ઉપાય ? તેમના પ્રત્યે કંઈ બીજે ખેદ આણવાથી ફળ નથી. કર્મબંધનું વિચિત્રપણું એટલે સર્વને સમ્યક (સારું) સમજાય એમ ન બને. માટે એમને દેષ શું વિચાર? ૭૪૯ વવાણિયા, ફાગણ વદ ૧૧, ૧૯૫૩ ત્રિભવનનું લખેલું પનું તથા સુણાવ અને પિટલાદનાં પત્ર મળ્યાં છે. કર્મગ્રંથ' વિચારતાં કષાયાદિનું સ્વરૂપ, કેટલુંક યથાર્થ સમજાતું નથી, તે વિશેષ અનુપ્રેક્ષાથી, ત્યાગવૃત્તિના બળે, સમાગમે સમજાવા યોગ્ય છે. “જ્ઞાનનું ફળ વિરતિ છે.” વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવનાં કાર્યોથી અને વિભાવનાં પરિણામથી ઉદાસ ન થયે, વિભાવને ત્યાગી ન થયે, વિભાવનાં કાર્યોને અને વિભાવનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy