SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૯ મું ૫૩૫ જે સદ્ગુરુ ઉપદેશથી, પામે કેવળજ્ઞાન, ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. ૧૯ જે સગુરુના ઉપદેશથી કોઈ કેવળજ્ઞાનને પામ્યા, તે સદ્ગુરુ હજુ છદ્મસ્થ રહ્યા હોય, તો પણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે કેવળીભગવાન છદ્મસ્થ એવા પિતાના સદ્દગુરૂની વૈયાવચ્ચ કરે. ૧૯ એ માર્ગ વિનય તણે, ભાખે શ્રી વિતરાગ; મૂળ હેતુ એ માર્ગને, સમજે કોઈ સુભાગ્ય. ૨૦ * એ વિનયને માર્ગ શ્રી જિને ઉપદે છે. એ માર્ગને મૂળ હેતુ એટલે તેથી આત્માને શો ઉપર થાય છે, તે કોઈક સુભાગ્ય એટલે સુલભધિ અથવા આરાધક જીવ હોય તે સમજે. ૨૦ અસદ્દગુરુ એ વિનયને, લાભ લહે જે કાંઈ મહામેહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી. ૨૧ આ વિનયમાર્ગ કહ્યો તેને લાભ એટલે તે શિષ્યાદિની પાસે કરાવવાની ઈચ્છા કરીને જે કોઈ પણ અસશુરુ પિતાને વિષે સદ્દગુરુપણું સ્થાપે તે તે મહામેહનીય કર્મ ઉપાર્જન કરીને ભવસમુદ્રમાં બૂડે. ૨૧ હાય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર; હોય મતાથ જીવ તે, અવળો લે નિર્ધાર. ૨૨ જે મેક્ષાથી જીવ હોય તે આ વિનયમાગદિનો વિચાર સમજે, અને જે મતાથ હોય તે તેને અવળે નિર્ધાર લે, એટલે કાં પિતે તે વિનય શિષ્યાદિ પાસે કરાવે, અથવા અસદૂગુરુને વિષે પિતે સદૂગુરુની બ્રાંતિ રાખી આ વિનયમાર્ગને ઉપયોગ કરે. ૨૨ હોય મતાથ તેહને, થાય ન આતમલક્ષ તેહ મતાથ લક્ષણે, અહીં કહ્યાં નિપક્ષ. ૨૩ જે મતાથી જીવ હોય તેને આત્મજ્ઞાનને લક્ષ થાય નહીં, એવા મતાથી જીવનાં અહીં નિષ્પક્ષપાતે લક્ષણે કહ્યાં છે. ૨૩ મતાર્થી–લક્ષણ બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ૨૪ જેને માત્ર બાહ્યથી ત્યાગ દેખાય છે પણ આત્મજ્ઞાન નથી, અને ઉપલક્ષણથી અંતરંગ ત્યાગ નથી, તેવા ગુરુને સાચા ગુરુ માને, અથવા તે પિતાને કુળધર્મના ગમે તેવા ગુરુ હોય તે પણ તેમાં જ મમત્વ રાખે. ૨૪ જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ વર્ણન સમજે જિનનું, રોકીં રહે નિજ બુદ્ધિ. ૨૫ જે જિનના દેહાદિનું વર્ણન છે તેને જિનનું વર્ણન સમજે છે, અને માત્ર પિતાના કુળધર્મના દેવ છે માટે મારાપણાના કલ્પિત રાગે સમવસરણાદિ મહામ્ય કહ્યા કરે છે, અને તેમાં પિતાની બુદ્ધિને રોકી રહે છે, એટલે પરમાર્થહેતુસ્વરૂપ એવું જિનનું જે અંતરંગ સ્વરૂપ જાણવા યોગ્ય છે તે જાણતા નથી, તથા તે જાણવાનું પ્રયત્ન કરતા નથી, અને માત્ર સમવસરણાદિમાં જ જિનનું સ્વરૂપ કહીને મતાર્થમાં રહે છે. ૨૫ પ્રત્યક્ષ સદ્દગુરુગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ; અસદ્દગુરુને દૃઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy