________________
- વર્ષ ૨૯ મું
૫૩૩ આત્મજ્ઞાનને ધક નથી, ચારિત્રને રોધક છે.
આશંકા – અત્રે તે સ્વરૂપસ્થિત એવું પદ વાપર્યું છે, અને સ્વરૂપસ્થિત પદ તે તેરમે ગુણસ્થાનકે જ સંભવે છે.
સમાધાન – સ્વરૂપસ્થિતિની પરાકાષ્ઠા તે ચૌદમાં ગુણસ્થાનકને છેડે થાય છે, કેમકે નામ ગોત્રાદિ ચાર કર્મને નાશ ત્યાં થાય છે, તે પહેલાં કેવળીને ચાર કર્મને સંગ છે, તેથી સંપૂર્ણ સ્વરૂપસ્થિતિ તે તેરમે ગુણસ્થાનકે પણ ન કહેવાય.
આશંકા — ત્યાં નામાદિ કર્મથી કરીને અવ્યાબાધ સ્વરૂપસ્થિતિની ના કહે તે તે ઠીક છે, પણ કેવળજ્ઞાનરૂપ સ્વરૂપસ્થિતિ છે, તેથી સ્વરૂપસ્થિતિ કહેવામાં દોષ નથી, અને અત્રે તે તેમ નથી, માટે સ્વરૂપસ્થિતિ પણું કેમ કહેવાય?
સમાધાન – કેવળજ્ઞાનને વિષે સ્વરૂપસ્થિતિનું તારતમ્ય વિશેષ છે; અને એથે, પાંચમે, છ ગુણસ્થાનકે તેથી અલ્પ છે, એમ કહેવાય; પણ સ્વરૂપસ્થિતિ નથી એમ ન કહી શકાય. એથે ગુણસ્થાનકે મિથ્યાત્વમુક્તદશા થવાથી આત્મસ્વભાવઆવિર્ભાવપણું છે, અને સ્વરૂપસ્થિતિ છે, પાંચમે ગુણસ્થાનકે દેશે કરીને ચારિત્રઘાતક કષાયે રોકાવાથી આત્મસ્વભાવનું ચેથા કરતાં વિશેષ આવિર્ભાવપણું છે, અને છઠ્ઠામાં કષાયે વિશેષ રેકાવાથી સર્વ ચારિત્રનું ઉદયપણું છે, તેથી આત્મસ્વભાવનું વિશેષ આવિર્ભાવપણું છે. માત્ર છટ્ટે ગુણસ્થાનકે પૂર્વનિબંધિત કર્મના ઉદયથી પ્રમત્તદશા ક્વચિત વર્તે છે તેને લીધે પ્રમ” સર્વ ચારિત્ર કહેવાય, પણ તેથી સ્વરૂપસ્થિતિમાં વિરોધ નહીં, કેમકે આત્મસ્વભાવનું બાહુલ્યતાથી આવિર્ભાવપણું છે. વળી આગમ પણ એમ કહે છે કે, ચોથે ગુણસ્થાનકેથી તેરમા ગુણસ્થાનક સુધી આત્મપ્રતીતિ સમાન છે, જ્ઞાનને તારતમ્યભેદ છે.
- જે થે ગુણસ્થાનકે સ્વરૂપસ્થિતિ અંશે પણ ન હોય, તે મિથ્યાત્વ જવાનું ફળ શું થયું? કંઈ જ થયું નહીં. જે મિથ્યાત્વ ગયું તે જ આત્મસ્વભાવનું આવિર્ભાવપણું છે, અને તે જ સ્વરૂપસ્થિતિ છે. જે સમ્યકત્વથી તથારૂપ સ્વરૂપસ્થિતિ ન હોત, તે શ્રેણિકાદિને એકાવતારીપણું કેમ પ્રાપ્ત થાય? એક પણ ત્યાં વ્રત, પચ્ચખાણ નથી અને માત્ર એક જ ભવ બાકી રહ્યો એવું અહ૫સંસારીપણું થયું તે જ સ્વરૂપસ્થિતિરૂપ સમકિતનું બળ છે. પાંચમે અને છઠે ગુણસ્થાનકે ચારિત્રનું બળ વિશેષ છે, અને મુખ્યપણે ઉપદેશક ગુણસ્થાનક તે છઠું અને તેરમું છે. બાકીનાં ગુણસ્થાનકે ઉપદેશકની પ્રવૃત્તિ કરી શકવા ગ્ય નથી, એટલે તેરમે અને છઠે ગુણસ્થાનકે તે પદ પ્રવર્તે છે. (૧૦)
પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પક્ષ જિન ઉપકાર;
એ લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ૧૧ જ્યાં સુધી જીવને પૂર્વકાળે થઈ ગયેલા એવા જિનની વાત પર જ લક્ષ રહ્યા કરે, અને તેને ઉપકાર કહ્યા કરે, અને જેથી પ્રત્યક્ષ આત્મબ્રાંતિનું સમાધાન થાય એવા સદ્ગુરુને સમાગમ પ્રાપ્ત થયે હોય તેમાં પક્ષ જિનેનાં વચન કરતાં મેટો ઉપકાર સમાયે છે, તેમ જે ન જાણે તેને આત્મવિચાર ઉત્પન્ન ન થાય. ૧૧
સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ;
સમજ્યા વણ ઉપકાર શે ? સમયે જિનસ્વરૂપ. ૧૨ સદ્દગુરુના ઉપદેશ વિના જિનનું સ્વરૂપ સમજાય નહીં, અને સ્વરૂપ સમજાયા વિના ઉપકાર શું થાય? જે સદૂગુરુઉપદેશે જિનનું સ્વરૂપ સમજે તે સમજનારને આત્મા પરિણામે જિનની દશાને પામે. ૧૨
૧. જુઓ આક પર૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org