SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ પર૭. વર્ષ ૨૯ મું કઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ માને મારગ મોક્ષને, કરુણા ઊપજે જોઈ. ૩ કોઈ ક્રિયાને જ વળગી રહ્યા છે, અને કોઈ શુષ્કજ્ઞાનને જ વળગી રહ્યા છે, એમ મોક્ષમાર્ગ માને છે, જે જોઈને દયા આવે છે. ૩ બાહ્ય ક્રિયામાં રાચતા, અંતભેદ ન કાંઈક જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ કિયાજડ આઈ. ૪ બાહ્ય ક્રિયામાં જ માત્ર રાચી રહ્યા છે, અંતર કંઈ ભેદાયું નથી, અને જ્ઞાનમાર્ગને નિષેધ્યા કરે છે, તે અહીં ક્રિયાજડ કહ્યા છે. ૪ બંધ મેક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી; . વર્તે મેહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહી. ૫ બંધ, મોક્ષ માત્ર કલપના છે, એવો નિશ્ચયવાય માત્ર વાણીમાં બોલે છે, અને તથારૂપ દશા થઈ નથી, મહના પ્રભાવમાં વર્તે છે, એ અહીં શુષ્કજ્ઞાની કહ્યા છે. ૫ વૈરાગ્યાદિ સફળ તે, જે સહુ આતમજ્ઞાન તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન. ૬ વૈરાગ્યત્યાગાદિ જે સાથે આત્મજ્ઞાન હોય તે સફળ છે, અર્થાત્ મોક્ષની પ્રાપ્તિના હેતુ છે. અને જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં પણ જે તે આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતા હોય, તે તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. ૬ વૈરાગ્ય, ત્યાગ, દયાદિ અંતરંગ વૃત્તિવાળી ક્રિયા છે તે જે સાથે આત્મજ્ઞાન હોય તે સફળ છે અર્થાત્ ભવનું મૂળ છેદે છે, અથવા વૈરાગ્ય, ત્યાગ, દયાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણે છે. એટલે જીવમાં પ્રથમ એ ગુણ આવ્યેથી સગુરુને ઉપદેશ તેમાં પરિણામ પામે છે. ઉજજવળ અંતઃકરણ વિના સદ્દગુરુને ઉપદેશ પરિણમતું નથી, તેથી વૈરાગ્યાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં સાધન છે, એમ કહ્યું. અત્રે જે જીવે ક્રિયાજડ છે તેને એ ઉપદેશ કર્યો કે કાયા જ માત્ર રેકવી તે કાંઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ નથી, વૈરાગ્યાદિ ગુણ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે, માટે તમે તે ક્રિયાને અવગાહો, અને તે ક્રિયામાં પણ અટકીને રહેવું ઘટતું નથી; કેમકે આત્મજ્ઞાન વિના તે પણ ભવનું મૂળ છેદી શકતાં નથી. માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે તે વૈરાગ્યાદિ ગુણોમાં વર્તે, અને કાયક્લેશરૂપ પણ કષાયાદિનું જેમાં તથારૂપ કંઈ ક્ષીણપણું થતું નથી તેમાં તમે મોક્ષમાર્ગને દુરાગ્રહ રાખે નહીં, એમ ક્રિયાજડને કહ્યું અને જે શુષ્કજ્ઞાનીએ ત્યાગરાગ્યાદિ રહિત છે, માત્ર વાચજ્ઞાની છે તેને એમ કહ્યું કે વૈરાગ્યાદિ સાધન છે તે આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણે છે, કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી, તમે વૈરાગ્યાદિ પણ પામ્યા નથી, તે આત્મજ્ઞાન ક્યાંથી પામ્યા છે તે કંઈક આત્મામાં વિચારો. સંસાર પ્રત્યે બહુ ઉદાસીનતા, દેહની મૂર્છાનું અપત્ય, ભેગમાં અનાસક્તિ, તથા માનાદિનું પાતળાપણું એ આદિ ગુણ વિના તે આત્મજ્ઞાન પરિણામ પામતું નથી; અને આત્મજ્ઞાન પામ્યું તે તે ગુણે અત્યંત દૃઢ થાય છે, કેમકે આત્મજ્ઞાનરૂપ મૂળ તેને પ્રાપ્ત થયું. તેને બદલે તમે આત્મજ્ઞાન અમને છે એમ માને છે અને આત્મામાં તે ભેગાદિ કામનાની અગ્નિ બન્યા કરે છે, પૂજાસત્કારાદિની કામના વારંવાર સ્કુરાયમાન થાય છે, સહજ અશાતાએ બહુ આકુળવ્યાકુળતા થઈ જાય છે, તે કેમ લક્ષમાં આવતાં નથી કે આ આત્મજ્ઞાનનાં લક્ષણો નહીં ! “માત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy