________________
વર્ષ ર૯ મું
૫૨૫ વર્ણાશ્રમાદિ, વર્ણાશ્રમાદિપૂર્વક આચાર તે સદાચારના અંગભૂત જેવા છે. વર્ણાશ્રમાદિપૂર્વક વિશેષ પારમાર્થિક હેતુ વિના તે વર્તવું યોગ્ય છે, એમ વિચારસિદ્ધ છે; જોકે વર્ણાશ્રમધર્મ વર્તમાનમાં બહુ નિર્બળ સ્થિતિને પામે છે, તો પણ આપણે તો જ્યાં સુધી ઉત્કૃષ્ટ ત્યાગદશા ન પામીએ, અને
જ્યાં સુધી ગૃહાશ્રમમાં વાસ હોય ત્યાં સુધી તે વાણિયારૂપ વર્ણધર્મને અનુસરે તે યંગ્ય છે, કેમકે અભક્ષ્યાદિ ગ્રહણને તેને વ્યવહાર નથી. ત્યારે એમ આશંકા થવા યોગ્ય છે કે “લુહાણ પણ તે રીતે વર્તે છે, તે તેના અન્નાહારાદિ ગ્રહણ કરતાં શું હાનિ ?” તે તેના ઉત્તરમાં એટલું જણાવવું યુગ્ય થઈ શકે કે વગર કારણે તેવી રીતિ પણ બદલાવવી ઘટતી નથી, કેમકે તેથી પછી બીજા સમાગમવાસી કે પ્રસંગાદિ આપણુ રીતિ જેનાર ગમે તે વર્ણનું ખાતાં બાધ નથી એવા ઉપદેશના નિમિત્તને પામે. લુહાણુને ત્યાં અન્નાહાર લેવાથી વર્ણધર્મ હાનિ પામતે નથીપણ મુસલમાનને ત્યાં અન્નાહાર લેતાં તે વર્ણધર્મની હાનિને વિશેષ સંભવ છે, અને વર્ણધર્મ લેપવારૂપ દેષ કરવા જેવું થાય છે. આપણે કંઈ લેકના ઉપકારાદિ હેતુથી તેમ વર્તવું થતું હોય, અને રસલુબ્ધતા બુદ્ધિથી તેમ વર્તવું ન થતું હોય, તે પણ બીજા તેનું અનુકરણ તે હેતુને સમજ્યા વિના ઘણું કરીને કરે, અને અંતે અભયાદિ ગ્રહણ કરવામાં પ્રવૃત્તિ કરે એવાં નિમિત્તને હેતુ આપણું તે આચરણ છે, માટે તેમ નહીં વર્તવું તે, એટલે મુસલમાનદિના અન્નાહારાદિનું ગ્રહણ નહીં કરવું તે, ઉત્તમ છે. તમારી વૃત્તિની કેટલીક પ્રતીતિ આવે છે, પણ તેથી ઊતરતી વૃત્તિ હોય તે તે જ પિતે અભક્ષ્યાદિ આહારના વેગને ઘણું કરીને તે રસ્તે પામે. માટે એ પ્રસંગથી દૂર રહેવાય તેમ વિચારવું કર્તવ્ય છે.
દયાની લાગણી વિશેષ રહેવા દેવી હોય તે જ્યાં હિંસાનાં સ્થાનક છે, તથા તેવા પદાર્થો લેવાય દેવાય છે, ત્યાં રહેવાને તથા જવા આવવાને પ્રસંગ ન થવા દેવું જોઈએ, નહીં તે જેવી જોઈએ તેવી ઘણું કરીને દયાની લાગણી ન રહે તેમ જ અભક્ષ્ય પર વૃત્તિ ન જવા દેવા અર્થે, અને તે માર્ગની ઉન્નતિના નહીં અનમેદનને અર્થે, અભક્ષ્યાદિ ગ્રહણ કરનારને આહારાદિ અર્થે પરિચય ન રાખે જોઈએ.
જ્ઞાનદ્રષ્ટિએ જોતાં જ્ઞાત્યાદિ ભેદનું વિશેષાદિપણું જણાતું નથી, પણ ભયાભયભેદને તે ત્યાં પણ વિચાર કર્તવ્ય છે, અને તે અર્થે મુખ્ય કરીને આ વૃત્તિ રાખવી ઉત્તમ છે. કેટલાંક કાર્યો એવાં હોય છે કે તેમાં પ્રત્યક્ષ દેષ હોતો નથી, અથવા તેથી દોષ થતો હેતું નથી, પણ તેને અંગે બીજ દોષનો આશ્રય હોય છે, તે પણ વિચારવાનને લક્ષ રાખવે ઉચિત છે. નાતાલ ઉપકાર અર્થે કદાપિ તમારું એમ પ્રવર્તવું થાય છે એમ પણ નિશ્ચય ન ગણાય; જે બીજે કઈ પણ સ્થળે તેવું વર્તન કરતાં બાધ ભાસે, અને વર્તવાનું ન બને તે માત્ર તે હેતુ ગણાય. વળી તે લેના ઉપકાર અર્થે વર્તવું જોઈએ એમ વિચારવામાં પણ કંઈક તમારા સમજવાફેર થતું હશે
એમ લાગ્યા કરે છે. તમારી સવૃત્તિની કંઈક પ્રતીતિ છે એટલે આ વિષે વધારે લખવું યેગ્ય દેખાતું નથી. જેમ સદાચાર અને સદ્વિચારનું આરાધન થાય તેમ પ્રવર્તવું યંગ્ય છે.
બીજી ઊતરતી જ્ઞાતિઓ અથવા મુસલમાનાદિના કોઈ તેવાં નિમંત્રણમાં અન્નાહારાદિને બદલે નહીં રાંધેલે એ ફળાહાર આદિ લેતાં તે લોકોને ઉપકાર સાચવવાને સંભવ રહેતું હોય, તે તેમ અનુસરે તે સારું છે. એ જ વિનંતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org