SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ર૦ મું ૪૯૭ ઉપમાવાચક નથી. અવધિ, મન ૫ર્યવાદિ જ્ઞાન વર્તમાનકાળમાં વ્યવચ્છેદ જેવાં લાગે છે, તે પરથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવાયેગ્ય નથી. એ જ્ઞાન મનુષ્ય જીવેને ચારિત્રપર્યાયની વિશુદ્ધ તારતમ્યતાથી ઊપજે છે. વર્તમાનકાળમાં તે વિશુદ્ધ તારતમ્યતા પ્રાપ્ત થવી દુર્લભ છે, કેમકે કાળનું પ્રત્યક્ષ સ્વરૂપ ચારિત્રહનીય આદિ પ્રકૃતિના વિશેષ બળસહિત વર્તતું જોવામાં આવે છે. સામાન્ય આત્મચારિત્ર પણ કોઈક જીવને વિષે વર્તવા યોગ્ય છે, તેવા કાળમાં તે જ્ઞાનની લબ્ધિ, વ્યવદ જેવી હોય એમાં કંઈ આશ્ચર્ય નથી, તેથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવા ગ્ય નથી; આત્મસ્વરૂપ વિચારતાં તે તે જ્ઞાનનું કંઈ પણ અસંભવિતપણું દેખાતું નથી. સર્વ જ્ઞાનની સ્થિતિનું ક્ષેત્ર આત્મા છે, તે પછી અવધિ મન:પર્યવાદિ જ્ઞાનનું ક્ષેત્ર આત્મા હોય એમાં સંશય કેમ ઘટે? યદ્યપિ શાસ્ત્રના યથાસ્થિત પરમાર્થને અજ્ઞ છે તેની વ્યાખ્યા જે પ્રકારે કરે છે, તે વ્યાખ્યા વિધવાળી હેય, પણ પરમાર્થે તે જ્ઞાનને સંભવ છે. જિનાગમમાં તેની જે પ્રકારના આશયથી વ્યાખ્યા કરી હોય તે વ્યાખ્યા અને અજ્ઞાની છે આશય જાણ્યા વિના જે વ્યાખ્યા કરે તેમાં મેટો ભેદ હોય એમાં આશ્ચર્ય નથી, અને તે ભેદને લીધે તે જ્ઞાનના વિષય માટે સંદેહ થવા યોગ્ય છે, પણ આત્મદ્રષ્ટિએ જોતાં તે સંદેહને અવકાશ નથી. ૪. કાળને સૂફમમાં સૂક્ષમ વિભાગ “સમય” છે, રૂપી પદાર્થને સૂફમમાં સૂક્ષ્મ વિભાગ પરમાણુ છે, અને અરૂપી પદાર્થને સૂમમાં સૂફમ વિભાગ “પ્રદેશ” છે. એ ત્રણે એવા સૂક્ષ્મ છે કે અત્યંત નિર્મળ જ્ઞાનની સ્થિતિ તેનાં સ્વરૂપને ગ્રહણ કરી શકે, સામાન્યપણે સંસારી જીને ઉપયોગ અસંખ્યાત સમયવતી છે, તે ઉપગમાં સાક્ષાત્પણે એક સમયનું જ્ઞાન સંભવે નહીં; જે તે ઉપગ એક સમયવર્તી અને શુદ્ધ હેય તે તેને વિષે સાક્ષાત્પણે સમયનું જ્ઞાન થાય. તે ઉપગનું એકસમયવતીપણું કષાયાદિના અભાવે થાય છે, કેમકે કષાયાદિ વેગે ઉપગ મૂઢતાદિ ધારણ કરે તેમ જ અસંખ્યાત સમયવતીપણું ભજે છે; તે કષાયાદિને અભાવે એકસમયવતી પણ થાય છે; અર્થાત્ કષાયાદિના વેગે તેને અસંખ્યાત સમયમાંથી એક સમય જુદો પાડવાનું સામર્થ્ય નહતું તે કષાયાદિને અભાવે એક સમય જુદો પાડીને અવગાહે છે. ઉપગનું એકસમયવતી પણું, કષાયરહિતપણું થયા પછી થાય છે, માટે એક સમયનું, એક પરમાણુનું, અને એક પ્રદેશનું જેને જ્ઞાન થાય તેને કેવળજ્ઞાન પ્રગટે એમ કહ્યું છે, તે સત્ય છે. કષાયરહિતપણ વિના કેવળજ્ઞાનને સંભવ નથી, અને કષાયરહિતપણું વિના ઉપગ એક સમયને સાક્ષાત્પણે ગ્રહણ કરી શકતું નથી. માટે એક સમયને ગ્રહણ કરે તે સમયે અત્યંત કષાયરહિતપણું જોઈએ, અને જ્યાં અત્યંત કષાયને અભાવ હોય ત્યાં “કેવળજ્ઞાન” હોય છે, માટે એ પ્રકારે કહ્યું કે : એક સમય, એક પરમાણું અને એક પ્રદેશનો જેને અનુભવ થાય તેને કેવળજ્ઞાન પ્રગટે. જીવને વિશેષ પુરુષાર્થને અર્થે આ એક સુગમ સાધનને જ્ઞાની પુરુષે ઉપદેશ કર્યો છે. સમયની પેઠે પરમાણુ અને પ્રદેશનું સૂક્ષ્મપણું હોવાથી ત્રણે સાથે ગ્રહણ કર્યા છે. અંતવિચારમાં વર્તવાને અર્થે જ્ઞાની પુરુષોએ અસંખ્યાત એગ કહ્યા છે. તે મળેને એક આ “વિચારગ' કહ્યો છે એમ સમજવા યોગ્ય છે. ૫. શુભેચ્છાથી માંડીને સર્વકર્મરહિતપણે સ્વસ્વરૂપસ્થિતિ સુધીમાં અનેક ભૂમિકાઓ છે. જે જે આત્માથી જી થયા, અને તેમનામાં જે જે અંગે જાગૃતદશા ઉત્પન્ન થઈ, તે તે દશાના ભેદે અનેક ભૂમિકાઓ તેમણે આરાધી છે. શ્રી કબીર, સુંદરદાસ આદિ સાધુજને આત્માથી ગણવા ગ્ય છે, અને શુભેચ્છાથી ઉપરની ભૂમિકામાં તેમની સ્થિતિ સંભવે છે. અત્યંત સ્વસ્વરૂપસ્થિતિ માટે તેમની જાગૃતિ અને અનુભવ પણ લક્ષગત થાય છે; એથી વિશેષ સ્પષ્ટ અભિપ્રાય હાલ આપવાની ઈચ્છા નથી થતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy