SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦ શ્રીમદ્ રાજચંદ્ર સહજ પ્રશ્ન થશે, કે ચિત્ત અસ્થિરવત્ થઇ જવાના હેતુ શે છે ? પરમાર્થમાં જે ચિત્ત વિશેષ એકાગ્રવત્ રહેતું તે ચિત્ત પરમાર્થમાં અસ્થિરવત્ થવાનું કારણ કંઈ પણ જોઇએ. જો પરમાર્થ સંશયના હેતુ લાગ્યા હોય, તેા તેમ બને, અથવા કાઈ તથાવિધ આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારüાદયના બળથી તેમ થાય. આ એ હેતુથી પરમાર્થવિચાર કરતાં, લખતાં કે કહેતાં ચિત્ત અસ્થિરવત્ વર્તે. તેમાં પ્રથમ કહ્યો તે હેતુ વર્તવાના સંભવ નથી. માત્ર બીજો હેતુ કહ્યો તે સંભવે છે. આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારüાય હોવાથી તે હેતુ ટાળવાના પુરુષાર્થ છતાં કાળક્ષેપ થયા કરે છે; અને તેવા ઉદ્દય સુધી તે અસ્થિરતા ટળવી કઠણ છે; અને તેથી પરમાર્થસ્વરૂપ ચિત્ત વિના તે સંબંધી લખવું, કહેવું એ કલ્પિત જેવું લાગે છે, તેપણ કેટલાક પ્રસંગમાં વિશેષ સ્થિરતા રહે છે. વ્યવહાર સંબંધી કંઈ પણ લખતાં તે સારભૂત અને સાક્ષાત્ ભ્રાંતિરૂપ લાગ વાથી તે સંબંધી જે કંઈ લખવું કે કહેવું તે તુચ્છ છે, આત્માને વિકળતાના હેતુ છે, અને જે કંઇ લખવું કહેવું છે તે ન કહ્યું હેય તેપણુ ચાલી શકે એવું છે, માટે જ્યાં સુધી તેમ વર્તે ત્યાં સુધી તે જરૂર તેમ વર્તવું ઘટે છે; એમ જાણી ઘણી વ્યાવહારિક વાત લખવા, કરવા, કહેવાની ટેવ નીકળી ગઈ છે. માત્ર જે વ્યાપારાદિ વ્યવહારમાં તીવ્ર પ્રારબ્ધાદયે પ્રવૃત્તિ છે ત્યાં કંઈક પ્રવૃત્તિ થાય છે. જોકે તેનું પણ યથાર્થપણું જણાતું નથી. શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંચેગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે; અને તે સંયેાગના વિશ્વાસ પરમજ્ઞાનીને પણુ કર્જન્મ નથી; એવા નિશ્ચળ માર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળને વિષે અત્યંત નમ્ર પરિણામથી નમસ્કાર છે. જે પ્રશ્ન આજના પત્રમાં ક્યાં છે તેનેા સમાગમે ઉત્તર પૂછશેા. દર્પણુ, જળ, દીપક, સૂર્ય અને ચક્ષુના સ્વરૂપ પર વિચાર કરશે તેા કેવળજ્ઞાનથી પદાર્થનું જે પ્રકાશકપણું થાય છે એમ જિને કહ્યું છે તે સમજવાને કંઇક સાધન થશે. ૫૮૭ મુંબઇ, ચૈત્ર વદ ૧૨, રવિ, ૧૯૫૧ કેવળજ્ઞાનથી પદાર્થ કેવા પ્રકારે દેખાય છે?' એ પ્રશ્નના ઉત્તર વિશેષ કરી સમાગમમાં સમજવાથી સ્પષ્ટ સમજી શકાય તેવે છે, તેપણુ સંક્ષેપમાં નીચે લખ્યા છે :~ જેમ દીવા જ્યાં જ્યાં હોય છે, ત્યાં ત્યાં પ્રકાશકપણે હાય છે, તેમ જ્ઞાન જ્યાં જ્યાં હાય છે ત્યાં ત્યાં પ્રકાશકપણે હાય છે. દીવાના સહજ સ્વભાવ જ જેમ પદાર્થપ્રકાશક હાય છે, તેમ જ્ઞાનના સહજ સ્વભાવ પણ પદાર્થપ્રકાશક છે. દીવેા દ્રવ્યપ્રકાશક છે, અને જ્ઞાન દ્રવ્ય, ભાવ બન્નેને પ્રકાશક છે. દીવાના પ્રગટવાથી તેના પ્રકાશની સીમામાં જે કોઇ પદાર્થ હાય છે તે સહજે દેખાઈ રહે છે; તેમજ્ઞાનના વિદ્યમાનપણાથી પદાર્થનું સહેજે દેખાવું થાય છે. જેમાં યથાતથ્ય અને સંપૂર્ણ પદાર્થનું સહેજે દેખાઈ રહેવું થાય છે, તેને ‘કેવળજ્ઞાન’ કહ્યું છે. જોકે પરમાર્થથી એમ કહ્યું છે કે કેવળજ્ઞાન પણ અનુભવમાં તે માત્ર આત્માનુભવકર્તા છે, વ્યવહારનયથી લેાકાલેાક પ્રકાશક છે. આરસા, દીવા, સૂર્ય, અને ચક્ષુ જેમ પદાર્થપ્રકાશક છે, તેમ જ્ઞાન પણ પદાર્થપ્રકાશક છે. ૧૮૮ મુંબઇ, ચૈત્ર વદ ૧૨, શિવ, ૧૯૫૧ શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયાગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, અને તે સંયેાગના વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી, એવા અખંડમાર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy