SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૮ મું ૪૪૭ હોવાથી તેમ કરવાનું હાલ કોઈ પણ પ્રકારે ચિત્તમાં આવતું નથી. વઢવાણ સ્ટેશને કેશવલાલની કે તમારી મને મળવાની ઈચ્છા હોય તે અટકાવતાં મન અસંતોષ પામે છે; તેપણ હાલ અટકાવવાનું મારું ચિત્ત રહે છે; કેમકે ચિત્તની વ્યવસ્થા યથાયોગ્ય નહીં હોવાથી ઉદય પ્રારબ્ધ વિના બીજા સર્વ પ્રકારમાં અસંગપણું રાખવું યંગ્ય લાગે છે, તે એટલે સુધી કે જેમને ઓળખાણ પ્રસંગ છે તેઓ પણ હાલ ભૂલી જાય તે સારું, કેમકે સંગથી ઉપાધિ નિષ્કારણ વધ્યા કરે છે, અને તેવી ઉપાધિ સહન કરવા ગ્ય એવું હાલ મારું ચિત્ત નથી. નિરૂપાયતા સિવાય કંઈ પણ વ્યવહાર કરવાનું હાલ ચિત્ત હોય એમ જણાતું નથી, અને જે વ્યાપાર વ્યવહારની નિરૂપાયતા છે, તેથી પણ નિવૃત્ત થવાની ચિંતા રહ્યા કરે છે તેમ ચિત્તમાં બીજાને બંધ કરવા ગ્ય એટલી મારી યેગ્યતા હાલ મને લાગતી નથી; કેમકે જ્યાં સુધી સર્વ પ્રકારના વિષમ સ્થાનકમાં સમવૃત્તિ ન થાય ત્યાં સુધી યથાર્થ આત્મજ્ઞાન કહ્યું જતું નથી, અને જ્યાં સુધી તેમ હોય ત્યાં સુધી તે નિજ અભ્યાસની રક્ષા કરવી ઘટે છે, અને હાલ તે પ્રકારની મારી સ્થિતિ હોવાથી હું આમ વર્તુ છું તે ક્ષમા યોગ્ય છે, કેમકે મારા ચિત્તમાં અન્ય કોઈ હેતુ નથી. વળતી વખતે શ્રી વઢવાણુ સમાગમ કરવાનું થઈ શકે તેવું મારાથી બની શકે તેવું હશે, તે આગળથી તમને લખીશ, પણ મારા સમાગમમાં તમે આવ્યાથી મારું આવવું વઢવાણ થયું હતું એમ બીજાઓના જાણવામાં તે પ્રસંગને લઈને આવે છે તે મને યોગ્ય લાગતું નથી, તેમ વ્યાવહારિક કારણથી તમે સમાગમ કર્યો છે એમ જણાવવું તે અયથાર્થ છે, જેથી જે સમાગમ થવાનું લખવાનું મારાથી બને તે જેમ વાત અપ્રસિદ્ધ રહે તેમ કરશે, એમ વિનંતિ છે. ત્રણેના પત્ર જુદા લખી શકવાની અશક્તિને લીધે એક પત્ર લખ્યું છે. એ જ વિનંતિ. આ૦ સ્વ. પ્રણામ. પપ૯ મુંબઈ, પિષ વદ ૦)), શનિ, ૧૯૫૧ શુભેચ્છા સંપન્ન ભાઈ સુખલાલ છગનલાલ પ્રત્યે, શ્રી વીરમગામ. સમાગમ વિષે તમને ઈચ્છા છે અને તે પ્રમાણે અનુસરવામાં સામાન્યપણે બાધ નથી, તથાપિ ચિત્તના કારણથી હાલ વધારે સમાગમમાં આવવાનું કરવા વિષે લક્ષ થતું નથી. અત્રેથી માહ સુદ ૧૫ ઉપર નિવૃત્ત થવાનો સંભવ જણાય છે, તથાપિ તે વખતમાં રોકાવા જેટલે અવકાશ નથી, મ ઉપર જણાવ્યું છે તે કારણ છે. પણ જે કંઈ બાધ જેવું નહીં હોય, તે સ્ટેશન પર મળવા વિષે આગળથી તમને જણાવીશ. મારા આવવા વિષેના ખબર વિશેષ કઈને હાલ નહીં જણાવશે, કેમકે વધારે સમાગમમાં આવવાનું ઉદાસીનપણું રહે છે. આત્મસ્વરૂપે પ્રણામ. મુંબઈ, પિષ, ૧૫૧ જે જ્ઞાની પુરુષના દ્રઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે; તે પછી ક્ષણે ક્ષણે આત્મપગ સ્થિર કરે ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાનીપુરુષના દ્રઢ આશ્રયે પ્રાપ્ત થવે કેમ સુલભ ન હોય? કેમકે તે ઉપગના એકાગ્રપણા વિના તે એક્ષપદની ઉત્પત્તિ છે નહીં. જ્ઞાનીપુરુષના વચનને દ્રઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન સુલભ થાય એ અખંડ નિશ્ચય સન્દુરુષોએ કર્યો છે, તે પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓને જય કરે ઘટે છે, તે વૃત્તિઓને જ્ય કેમ ન થઈ શકે ? આટલું સત્ય છે કે આ દુષમકાળને વિષે સત્સંગની સમીપતા કે દૃઢ આશ્રય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy