SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ શ્રીમદ્ રાજચંદ્ર તે વિરોધી લાગતું નથી; મને ઘણું કરી સમજાય છે, પણ વિશેષપણે લખવાનું થઈ શક્યું નહીં હોવાથી તમને તે વાત વિચારવામાં કારણ થાય એમ ઉપર ઉપરથી લખ્યું છે. ચક્ષુને વિષે મેનમેષ અવસ્થા છે તે પર્યાય છે. દીપકની ચલન સ્થિતિ તે પર્યાય છે. આત્માની સંકલ્પવિકલ્પ દશા કે જ્ઞાનપરિણતિ તે પર્યાય છે તેમ વર્ણ ગંધ પલટનપણું પામે તે પરમાણુને પર્યાય છે. જે તેવું પલટનપણું થતું ન હોય તે આ જગત આવા વિચિત્રપણને પામી શકે નહીં. કેમકે એક પરમાણુમાં પર્યાયપણું ન હોય તે સર્વ પરમાણુમાં પણ ન હોય. સંયેગ-વિયેગ, એવપૃથકત્વ, એ આદિ પરમાણુના પર્યાય છે અને તે સર્વ પરમાણમાં છે. તે ભાવ સમયે સમયે તેમાં પલટનપણું પામે તેય પરમાણુને વ્યય (નાશ) થાય નહીં, જેમ મેમેષથી ચક્ષુને થતું નથી તેમ. ૫૪૭ મેહમયી ક્ષેત્ર, માગશર વદ ૮, બુધ, ૧૯૫૧ અત્રેથી નિવવા પછી ઘણું કરી વવાણિયા એટલે આ ભવના જન્મગામમાં સાધારણ વ્યાવહારિક પ્રસંગે જવાનું કારણ છે. ચિત્તમાં ઘણું પ્રકારે તે પ્રસંગથી છૂટી શકવાનું વિચારતાં છૂટી શકાય તેમ પણ બને, તથાપિ કેટલાક જીવને અલ્પ કારણમાં વિશેષ અસમાધાન વખતે થવાને સંભવ રહે જેથી અપ્રતિબંધભાવને વિશેષ દ્રઢ કરી, જવાનો વિચાર રહે છે. ત્યાં ગયે, વખતે એક માસથી વિશેષ વખત જવાને સંભવ છે, વખતે બે માસ પણ થાય. ત્યાર પછી પાછું ત્યાંથી વળી આ ક્ષેત્ર તરફ આવવાનું કરવું પડે તેમ છે, છતાં, બને ત્યાં સુધી વચ્ચે બેએક મહિના એકાંત જે નિવૃત્તિ જોગ બને તે તેમ કરવાની ઈચ્છા રહે છે, અને તે જેગ અપ્રતિબંધ પણ થઈ શકે તે માટે વિચારું છું. | સર્વ વ્યવહારથી નિવૃત્ત થયા વિના ચિત્ત ઠેકાણે બેસે નહીં એ અપ્રતિબંધ અસંગભાવ ચિત્તે બહુ વિચાર્યો હોવાથી તે જ પ્રવાહમાં રહેવું થાય છે. પણ ઉપાર્જિત પ્રારબ્ધ નિવૃત્ત થયે તેમ બની શકે એટલે પ્રતિબંધ પૂર્વકૃત છે; આત્માની ઈચ્છાને પ્રતિબંધ નથી, સર્વસામાન્ય લકવ્યવહારની નિવૃત્તિ સંબંધી પ્રસંગને વિચાર બીજે પ્રસંગે જણાવી રાખી, આ ક્ષેત્રેથી નિવર્તવા વિષે વિશેષ અભિપ્રાય રહે છે. તે પણ ઉદય આગળ બનતું નથી. તેપણ અહોનિશ એ જ ચિંતન રહે છે, તે તે વખતે ચેડા કાળમાં બનશે એમ રહે છે. આ ક્ષેત્ર પ્રત્યે કંઈ દ્વેષ પરિણામ નથી, તથાપિ સંગનું વિશેષ કારણ છે. પ્રવૃત્તિના પ્રયજન વિના અત્રે રહેવું કંઈ આત્માને તેવા લાભનું કારણ નથી એમ જાણી, આ ક્ષેત્રથી નિવર્તવાને વિચાર રહે છે. પ્રવૃત્તિ પણ નિજબુદ્ધિથી પ્રજન ભૂત કોઈ પણ પ્રકારે લાગતી નથી, તથાપિ ઉદય પ્રમાણે વર્તવાને જ્ઞાનને ઉપદેશ અંગીકાર કરી ઉદય દવા પ્રવૃત્તિ જોગ વેઠીએ છીએ. જ્ઞાન કરીને આત્મામાં ઉત્પન્ન થયેલે એવો નિશ્ચય બદલતું નથી, કે સર્વસંગ મેટા આસવ છે; ચાલતાં, જોતાં, પ્રસંગ કરતાં, સમય માત્રમાં નિજભાવને વિસ્મરણ કરાવે છે અને તે વાત કેવળ પ્રત્યક્ષ જોવામાં આવી છે, આવે છે, અને આવી શકે તેવી છે, તેથી અહેનિશ તે મોટા આસવરૂપ એવા સર્વસંગમાં ઉદાસપણું રહે છે, અને તે દિવસે દિવસ પ્રત્યે વધતા પરિણામને પામ્યા કરે છે, તે તેથી વિશેષ પરિણામને પામી સર્વસંગથી નિવૃત્તિ થાય એવી અનન્ય કારણ કેગે ઈચ્છા રહે છે. આ પત્ર પ્રથમથી વ્યાવહારિક આકૃતિમાં લખાયેલ હોય એમ વખતે લાગે, પણ તેમાં તે સહજમાત્ર નથી. અસંગપણને, આત્મભાવનાને માત્ર અલ્પ વિચાર લખે છે. આ૦ રૂ૦ પ્રણામ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy