SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૮ મું ૪૩૭ ૫૪. મુંબઈ, કારતક સુદ ૧૪, સોમ, ૧૫૧ વિષમ સંસારરૂપ બંધનને છેદીને જે પુરુષે ચાલી નીકળ્યા તે પુરુષોને અનંત પ્રણામ છે. આજે આ૫નું પત્ર ૧ પ્રાપ્ત થયું છે. સુદ પાંચમ છઠ પછી મારે અત્રેથી વિદાય થઈ ત્યાં આવવાનું થશે, એમ લાગે છે. આપે લખ્યું કે વિવાહના કામમાં આગળથી આપ પધાર્યા હો તે કેટલાક વિચાર થઈ શકે, તે સંબંધમાં એમ છે કે એવાં કાર્યોમાં મારું ચિત્ત અપ્રવેશક હોવાથી – અને તેમ તેવાં કાર્યનું માહામ્ય કંઈ છે નહીં એમ ધ્યાન ઠર્યું હોવાથી મારું અગાઉથી આવવું કંઈ તેવું ઉપયેગી નથી. જેથી રેવાશંકરભાઈનું આવવું ઠીક જાણી તેમ કર્યું છે. રૂના વેપાર વિષે કઈ કઈ વખત કરવારૂપ કારણ તમે પત્ર દ્વારા લખે છે. તે વિષેમાં એક વખત સિવાય ખુલાસો લખ્યો નથી, તેથી આજે એકઠો લખ્યો છે – આડતને વ્યવસાય ઉત્પન્ન થયે તેમાં કંઈક ઈચ્છાબળ અને કંઈક ઉદયબળ હતું. પણ મોતીને વ્યવસાય ઉત્પન્ન થવામાં તે મુખ્ય ઉદયબળ હતું. બાકી વ્યવસાયને હાલ ઉદય જણાતું નથી. અને વ્યવસાયની ઈચ્છા થવી તે તે અસંભવ જેવી છે. શ્રી રેવાશંકર પાસેથી આપે રૂપિયાની માગણી કરી હતી, તે કાગળ પણ મણિ તથા કેશવલાલને વાંચવામાં આવે તેવી રીતે તેમના પત્રમાં બીડ્યો હતો, જોકે તે જાણે તેમાં બીજી કંઈ અડચણ નહીં, પણ લૌકિક ભાવનાને જીવને અભ્યાસ વિશેષ બળવાન છે, તેથી તેનું શું પરિણામ આવ્યું અને અમે તે વિષે છે અભિપ્રાય આપે ? તે જાણવાની તેમની આતુરતા વિશેષ થાય તે તે પણ યોગ્ય નહીં. હાલ રૂપિયાની સગવડ કરવી પડે તેટલા માટે તમારા વ્યવસાયના માં અમે વખતે ના કહી હશે. એવે વગર કારણે તેમના ચિત્તમાં વિચાર આવે. અને અનુક્રમે વ્યાવહારિક બુદ્ધિ અમારા પ્રત્યે વિશેષ થાય, તે પણ યથાર્થ નહીં. - જીજીબાનાં લગ્ન મહા મહિનામાં થશે કે કેમ? તે સંબંધમાં વવાણિયેથી અમારા જાણવામાં કંઈ આવ્યું નથી, તેમ એ બાબતમાં મેં કંઈ વિશેષ વિચાર કર્યો નથી. વવાણિયેથી ખબર મળશે તે તમને અત્રેથી રેવાશંકરભાઈ કે કેશવલાલ જણાવશે. અથવા રેવાશંકરભાઈને વિચાર મહા મહિનાને હશે તે તેઓ વવાણિયે લખશે, અને આપને પણ જણાવશે. તે પ્રસંગ પર આવવું કે ન આવવું એ વિચાર પર ચેકસ હાલ ચિત્ત આવી શકશે નહીં કેમકે તેને ઘણે વખત છે અને અત્યારથી તે માટે વિચાર સૂઝી આવે તેમ બનવું કઠણ છે. ત્રણ વર્ષ થયાં તે તરફ જવાયું નથી તેથી શ્રી રવજીભાઈના ચિત્તમાં તથા માતુશ્રીના ચિત્તમાં, ન જવાય તે વધારે ખે કારણ તે તરફ આવવા વિષેમાં છે. તેમ અમારું ન આવવું થાય તે ભાઈબહેનને પણ ખેદ રહે, એ બીજું કારણ પણ આવવા તરફના વિચારને બળવાન કરે છે. અને ઘણું કરીને અવાશે એમ ચિત્તમાં લાગે છે. અમારું ચિત્ત પિષ મહિનાના આરંભમાં અત્રેથી નીકળવાનું રહે છે અને વચ્ચે રોકાણ થાય તે કંઈક પ્રવૃત્તિથી લાગેલા પછડાટની વિશ્રાંતિ વખતે થાય. પણ કેટલુંક કામકાજ એવા પ્રકારનું છે કે ધાર્યા કરતાં કંઈક વધારે દિવસ ગયા પછી અત્રેથી છૂટી શકાશે. આપે હાલ કોઈને વેપાર રોજગારની પ્રેરણા કરતાં એટલે લક્ષ રાખવાને છે કે જે ઉપાધિ તમારે જાતે કરવી પડે તે ઉપાધિને ઉદય તમે આણવા ઈચ્છે છે. અને વળી તેથી નિવૃત્તિ ઈચ્છે છે. જોકે ચારે બાજુનાં આજીવિકાદિ કારણથી તે કાર્યની પ્રેરણા કરવાનું તમારા ચિત્તમાં ઉદયથી -મધ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy