________________
૪૨૪
શ્રીમદ્ રાજચંદ્ર
રાખી તેથી મેાકળું થવાય તેમ જ કર્યાં કરવું, એ શ્રી વર્ધમાનસ્વામીની છદ્મસ્થ મુનિચર્યાને હૃષ્ટાંતે અમે કહ્યું હતું.
પર૯
મુંબઈ, આસા વદ ૩, બુધ, ૧૯૫૦
ભદ્રજનાનું
ભગવત્ ભગવત્નું સંભાળશે, પણ જ્યારે જીવ પાતાપણું મૂકશે ત્યારે, એવું વચન તે પણ વિચારતાં હિતકારી છે. આપ કંઈ જ્ઞાનકથા લખશે.
૫૩૦ .
Jain Education International
મુંબઈ, આસો વદ ૬, શનિ, ૧૯૫૦
સત્પુરુષને નમસ્કાર આત્માર્થી ગુણગ્રાહી સત્સંગયેાગ્ય ભાઈ શ્રી માહનલાલ પ્રત્યે, ડરબન.
શ્રી મુંબઈથી લિ॰ જીવન્મુક્તદશાઇચ્છક રાયચંદના આત્મસ્મૃતિપૂર્વક યથાયાગ્ય પહેાંચે.
અત્ર કુશળતા છે. તમારું લખેલું એક પત્ર મને પહોંચ્યું છે. કેટલાંક કારણેાથી તેના ઉત્તર લખવામાં ઢીલ થઈ હતી. પાછળથી તમે આ તરફ તરતમાં આવવાના છે એમ જાણવામાં આવ્યાથી પત્ર લખ્યું નહતું; પણ હાલ એમ જાણવામાં આવ્યું કે, હમણાં લગભગ એક વર્ષ સુધી સ્થિતિ કરવાનું ત્યાં સંબંધીનું કારણ છે, જેથી મેં આ પત્ર લખ્યું છે. તમારા લખેલા પત્રમાં જે આત્માદિ વિષયપરત્વે પ્રશ્નો છે અને જે પ્રશ્નોના ઉત્તર જાણવાની તમારા ચિત્તમાં વિશેષ આતુરતા છે, તે બન્ને પ્રત્યે મારું અનુમોદન સહજે સહજે છે, પણ જેવામાં તમારું તે પત્ર મને મળ્યું તેવામાં તેના ઉત્તર લખી શકાય એવી મારા ચિત્તની સ્થિતિ નહોતી, અને ઘણું કરી તેમ થવાનું કારણ પણ તે પ્રસંગમાં ખાદ્યોપાધિ પ્રત્યેના વૈરાગ્ય વિશેષ પરિણામ પામ્યા હતા તે હતું; અને તેમ હોવાથી તે પત્રના ઉત્તર લખવા જેવા કાર્યમાં પણ પ્રવૃત્તિ થઇ શકે તેમ નહેાતું. થાડા વખત જવા દઈ, કંઈ તેવા વૈરાગ્યમાંથી પણ અવકાશ લઈ તમારા પત્રના ઉત્તર લખીશ એમ વિચાર્યું હતું; પણ પાછળથી તેમ પણ બનવું અશકય થયું. તમારા પત્રની પહોંચ પણ મેં લખી નહાતી અને આવા પ્રકારે ઉત્તર લખી મોકલવા પરત્વે ઢીલ થઈ તેથી મારા મનમાં પણ ખેદ થયા હતા; અને જેમાંના અમુક ભાવ હજી સુધી વર્તે છે. જે પ્રસંગમાં વિશેષ કરીને ખેદ થયે, તે પ્રસંગમાં એમ સાંભળવામાં આવ્યું કે તમે તરતમાં આ દેશમાં આવવાની ધારણા રાખા છે તેથી કંઇક ચિત્તમાં એમ આવ્યું કે તમને ઉત્તર લખવાની ઢીલ થઈ છે પણ તમારા સમાગમ થવાથી સામી લાભકારક થશે. કેમકે લેખ દ્વારા કેટલાક ઉત્તર સમજાવવા વિકટ હતા; અને પત્ર તરતમાં તમને નહીં મળી શકવાથી તમારા ચિત્તમાં જે આતુરપણું વર્ધમાન થયેલું તે, ઉત્તર તરત સમજી શકવાને સમાગમમાં એક સારું કારણ ગણવા યાગ્ય હતું. હવે પ્રારબ્ધદયે જ્યારે સમાગમ થાય ત્યારે કંઈ પણ તેવી જ્ઞાનવાર્તા થવાના પ્રસંગ થાય એવી આકાંક્ષા રાખી સંક્ષેપમાં તમારા પ્રશ્નોના ઉત્તર લખું છું. જે પ્રશ્નોના ઉત્તર વિચારવાને નિરંતર તત્સંબંધી વિચારરૂપ અભ્યાસની આવશ્યકતા છે. તે ઉત્તર સંક્ષેપમાં લખવાનું થયું છે, તેથી કેટલાક સંદેહની નિવૃત્તિ વખતે થવી કઠણ પડશે, તે પણ મારા ચિત્તમાં એમ રહે છે કે, મારા વચન પ્રત્યે કંઈ પણ વિશેષ વિશ્વાસ છે, અને તેથી તમને ધીરજ રહી શકશે, અને પ્રશ્નોનું યથાયેાગ્યે સમાધાન થવાને અનુક્રમે કારણભૂત થશે; એમ મને લાગે છે. તમારા પત્રમાં ૨૭ પ્રશ્નો છે તેના સંક્ષેપે નીચે ઉત્તર લખું છું
:
૧. પ્રશ્ન-(૧) આત્મા શું છે? (૨) તે કંઈ કરે છે ? (૩) અને તેને કર્મ નડે છે કે નહીં ? ૧, મહાત્મા ગાંધીજીએ ડરબન, આફ્રિકાથી પૂછેલ પ્રશ્નોના આ ઉત્તર છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org