SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૭ મું ૪૦૩ વિમાસવું યાગ્ય છે. અમ પ્રત્યે કોઈ જ્ઞાનપ્રશ્નાર્થે પત્ર લખવાની તમારી ઇચ્છા હેાય તે તે શ્રી દેવકરણુજીને પૂછીને લખવા કે જેથી તમને ગુણુ ઉત્પન્ન થવામાં બાધ એ થાય. તમે અંબાલાલને પત્ર લખ્યા વિષેમાં ચર્ચા થઈ તે જોકે ઘટારત થયું નથી, તમને કાંઈ પ્રાયશ્ચિત્ત આપે તે તે લેવું, પણ કોઈ જ્ઞાનવાર્તા લખવાને ખદલે લખાવવામાં તમારે અડચણ કરવી ન જોઈએ, એમ સાથે યથાયેાગ્ય નિર્મળ અંતઃકરણથી જણાવવું ચેાગ્ય છે, કે જે વાત માત્ર જીવના હિતને અર્થે કરવા માટે છે. પર્યુષણાદિમાં પત્રવ્યવહાર સાધુએ લખાવીને કરે છે, જેમાં આત્મહિત જેવું થાડું જ હોય છે, તથાપિ તે રૂઢિ થઈ હોવાથી તેને લેાક નિષેધ કરતા નથી, તેમ તે રૂઢિને અનુસરી વર્તવાનું રાખશે, તાપણ હરકત નથી; એટલે તમને પત્ર લખાવવામાં અડચણ નહીં પહેાંચે અને લેાકેાને અંદેશા નહીં થાય. ઉપમા આદિ લખવામાં લોકોનું વિપર્યયપણું રહેતું હોય તે અમને એક સાધારણ ઉપમા લખશે।, નહીં ઉપમા લખેા તાપણુ અડચણ નથી. માત્ર ચિત્તસમાધિ અર્થે તમને લખવાના પ્રતિબંધ કર્યાં નથી. અમને ઉપમાનું કંઇ સફળપણું નથી. આત્મસ્વરૂપે પ્રણામ. ૫૦૨ મુનિ શ્રી લલ્લુજી તથા દેવકરણજી આદિ પ્રત્યે, સહેજે સમાગમ થઈ આવે અથવા એ લેાકેા ઇચ્છીને સમાગમ કરવા આવતા હાય તા સમાગમ કરવામાં શું હાનિ છે? કદાપિ વિરાધવૃત્તિથી એ લેકે સમાગમ કરવાનું કરતા હોય તેા પણ શું હાનિ છે? આપણે તે તેના પ્રત્યે કેવળ હિતકારી વૃત્તિથી, અવિધ દૃષ્ટિથી સમાગમમાં પણ વર્તવું છે, ત્યાં શે! પરાભવ છે? માત્ર ઉદીરણા કરીને સમાગમ કરવાનું હાલ કારણ નથી. તમ સર્વ મુમુક્ષુઓના આચાર વિષે તેમને કંઈ સંશય હાય, તેપણુ વિકલ્પના અવકાશ નથી. વડવામાં સત્પુરુષના સમાગમમાં ગયા આદિનું પ્રશ્ન કરે તે તેના ઉત્તરમાં તે એટલું જ કહેવું યેાગ્ય છે કે “તમે, અમે સૌ આત્મહિતની કામનાએ નીકળ્યા છીએ; અને કરવા યેાગ્ય પણ તે જ છે. જે પુરુષના સમાગમમાં અમે આવ્યા છીએ; તેમના સમાગમમાં કેઈ વાર તમે આવીને પ્રતીતિ કરી જોશે કે તેમના આત્માની દશા કેમ છે? અને તેએ આપણને કેવા ઉપકારના કર્તા છે? હાલ એ વાત આપ જવા દો...૧ સુધી સહેજે પણ જવું થઇ શકે, અને આ તેા જ્ઞાન..... ઉપકારરૂપ પ્રસંગમાં જવું થયું છે, એટલે આચા....વિકલ્પ કરવા ઘટતા નથી. વધુ રાગદ્વેષ પરિ... ....ઉપદેશે કંઈ પણ સમજાય. પ્રા.... ..ટલા એ તેવા પુરુષની કેવા........તેમ જ શાસ્ત્રાદિથી વિચારી....નથી, કેમ કે તેમણે પાતે એમ કહ્યું હતું કે, તમારા મુનિપણાના સામાન્ય વ્યવહાર એવા છે કે, બાહ્ય અવિરતિ પુરુષ પ્રત્યે વંદનાદિ વ્યવહાર કર્તવ્ય નહીં. તે વ્યવહાર તમારે પણ સાચવવા, તે વ્યવહાર તમે રાખે તેમાં તમારા સ્વચ્છંદ નથી, માટે રાખવા યેાગ્ય છે. ઘણા જીવાને સંશયના હેતુ નહીં થાય. અમને કંઈ વંદનાદિની અપેક્ષા નથી.’ આ પ્રકારે જેમણે સામાન્ય વ્યવહાર પણ સચવાવ્યો હતા, તેમની દૃષ્ટિ કેવી હોવી જોઇએ, તે તમે વિચાર કરો. કદાપિ હાલ તમને તે વાત નહીં સમજાય તે આગળ ઉપર સમજાશે, એ વાતમાં તમે નિઃસંદેહ. થાઓ. ૧. આ પત્ર ફાટેલા મળ્યો છે. જે જે ઠેકાણે અક્ષરા ગયા છે તે તે ઠેકાણે...(ટપકાં ) મૂક્યાં છે, પાછળથી આ પત્ર આખા મળવાથી ફરી છાપ્યા છે. જુએ આંક ૭૫૦, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy