SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૬ મું ૩૮૫ ૪૭૧ મુંબઈ, આસો સુદ ૫, શનિ, ૧૯૪૯ આત્માને સમાધિ થવા માટે, આત્મસ્વરૂપમાં સ્થિતિ માટે સુધારસ કે જે મુખને વિષે વરસે છે, તે એક અપૂર્વ આધાર છે; માટે કઈ રીતે તેને બીજજ્ઞાન કહે તે હરકત નથી, માત્ર એટલે ભેદ છે કે તે જ્ઞાન જ્ઞાની પુરુષ, કે જે તેથી આગળ છે, આત્મા છે, એમ જાણનાર હોવા જોઈએ. દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી, એમ જાણનારને કંઈ કર્તવ્ય કહી શકાય નહીં, પણ તે ક્યારે ? સ્વદ્રવ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે યથાવસ્થિત સમજાયે, સ્વદ્રવ્ય સ્વરૂપપરિણામે પરિણમી અન્યદ્રવ્ય પ્રત્યે કેવળ ઉદાસ થઈ, કૃતકૃત્ય થયે કંઈ કર્તવ્ય રહેતું નથી, એમ ઘટે છે, અને એમ જ છે. ૪૭૨ મુંબઈ, આસો સુદ ૯, બુધ, ૧૯૪૯ પરમ સ્નેહી શ્રી સુભાગ્ય તથા શ્રી ડુંગર, શ્રી સાયેલા. આજે કાગળ ૧ શ્રી સુભાગ્યને લખેલે આવ્યો તે પહોંચ્યું છે. ખુલ્લા કાગળમાં સુધારસ પરત્વે પ્રાયે અષ્ટ લખ્યું હતું, તે ચાહીને લખ્યું હતું. એમ લખવાથી વિપરિણામ આવવાનું છે નહીં, એમ જાણીને લખ્યું હતું. કંઈ કંઈ તે વાતના ચર્ચક જીવને જે તે વાત વાંચવામાં આવે તે કેવળ તેથી નિર્ધાર થઈ જાય એમ બને નહીં, પણ એમ બને કે જે પુરુષે આ વાકયો લખ્યાં છે તે પુરુષ કેઈ અપૂર્વ માર્ગના જ્ઞાતા છે, અને આ વાતનું નિરાકરણ તે પ્રત્યેથી થવાને મુખ્ય સંભવ છે, એમ જાણું તેની તે પ્રત્યે કંઈ પણ ભાવના થાય. કદાપિ એમ ધારીએ કે તેને કંઈ કંઈ સંજ્ઞા તે વિષેની થઈ હોય, અને આ સ્પષ્ટ લખાણ વાંચવાથી તેને વિશેષ સંજ્ઞા થઈ પિતાની મેળે તે નિર્ધારમાં આવી જાય, પણ તે નિર્ધાર એમ થત નથી. યથાર્થ તેના સ્થળનું જાણવું તેનાથી થઈ શકે નહીં, અને તે કારણથી જીવને વિક્ષેપની ઉત્પત્તિ થાય કે આ વાત કોઈ પ્રકારે જાણવામાં આવે તે સારું. તે તે પ્રકારે પણ જે પુરુષે લખ્યું છે તે પ્રત્યે તેને ભાવનાની ઉત્પત્તિ થવી સંભવે છે. - ત્રીજો પ્રકાર એમ સમજવા યોગ્ય છે કે સત્પરુષની વાણી સ્પષ્ટપણે લખાઈ હોય તે પણ તેને પરમાર્થ સત્પરુષને સત્સંગ જેને આજ્ઞાંકિતપણે થયે નથી, તેને સમજાવે દુર્લભ થાય છે, એમ તે વાંચનારને સ્પષ્ટ જાણવાનું ક્યારેય પણ કારણ થાય. જોકે અમે તે અતિ સ્પષ્ટ લખ્યું નહોતું પણ તેમને એ કંઈ સંભવ થાય છે, પણ અમે તે એમ ધારીએ છીએ કે અતિ સ્પષ્ટ લખ્યું હોય, તો પણ ઘણું કરી સમજાતું નથી, અથવા વિપરીત સમજાય છે, અને પરિણામે પાછે તેને વિક્ષેપ ઉત્પન્ન થઈ સન્માર્ગને વિષે ભાવના થવાનો સંભવ થાય છે. એ પત્તામાં અમે ઈચ્છાપૂર્વક સ્પષ્ટ લખ્યું હતું. સહેજ સ્વભાવે પણ ન ધારેલું ઘણું કરી પરમાર્થ પર લખાતું નથી, અથવા બેલાતું નથી, કે જે અપરમાર્થરૂપ પરિણામને પામે. બીજે અમારે આશય તે જ્ઞાન વિષે લખવાને વિશેષપણે અત્ર લખે છે. (૧) જે જ્ઞાની પુરુષે સ્પષ્ટ એવો આત્મા કોઈ અપૂર્વ લક્ષણે, ગુણે અને વેદનપણે અનુભવ્યો છે, અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે, તે જ્ઞાની પુરુષે જે તે સુધારસ સંબંધી જ્ઞાન આપ્યું હોય તે તેનું પરિણામ પરમાર્થ–પરમાર્થસ્વરૂપ છે. (૨) અને જે પુરુષ તે સુધારસને જ આત્મા જાણે છે, તેનાથી તે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તે તે વ્યવહાર–પરમાર્થસ્વરૂપ છે. (૩) તે જ્ઞાન કદાપિ પરમાર્થ–પરમાર્થસ્વરૂપ એવા જ્ઞાનીએ ન આપ્યું હોય, પણ તે જ્ઞાની પુરુષે સન્માર્ગ સન્મુખ આકર્ષે એ જે જીવને ઉપદેશ કર્યો હોય તે જીવને દુઓ હોય તેનું જ્ઞાન તે પરમાર્થ-વ્યવહારસ્વરૂપ છે. (૪) અને તે સિવાય ૧. જુઓ આંક ૪૭૧, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy