SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષે ૨૬ મું ૩૭૫ સત્સંગના ઈચ્છાવાન જીવાની પ્રત્યે કંઈ પણ ઉપકારક સંભાળ થતી હાય તે તે થવા યાગ્ય છે. પણ અવ્યવસ્થાને લીધે અમે તે કારણેામાં અશક્ત થઈ વીએ છીએ, તે અંતઃકરણથી કહીએ છીએ કે ક્ષમા ચાગ્ય છે. એ જ વિનંતી. મુંબઇ, પ્રથમ અસાડ સુદ ૧૨, ૧૯૪૯ ૪૫૨ ઉપાધિના કારણથી હાલ અત્રે સ્થિતિ સંભવે છે. અત્રે સુખવૃત્તિ છે. દુઃખ કલ્પિત છે. લિ॰ રાયચંદ્રના પ્ર૦ મુંબઇ, પ્રથમ અસાડ વદ ૩, રિવ, ૧૯૪૯ ૪૫૩ મુમુક્ષુજનના પરમબંધવ, પરમસ્નેહી શ્રી સેાભાગ્ય, મેરખી. અત્રે સમાધિનો યથાયેાગ્ય અવકાશ નથી. હાલ કોઈ પૂર્વોપાર્જિત પ્રારબ્ધ એવા ઉદયમાં વર્તે છે. ગઈ સાલના માર્ગશીર્ષે માસમાં અત્રે આવવું થયું, ત્યારથી ઉત્તરાત્તર ઉપાધિયાગ વિશેષાકાર થતા આવ્યો છે, અને ઘણું કરી તે ઉપાધિયોગ વિશેષ પ્રકારે કરી ઉપયેાગથી વેદવે પડ્યો છે. આ કાળ સ્વભાવે કરી તીર્થંકરાર્દિકે દુખમ કહ્યો છે. તેમાં વિશેષ કરી પ્રયાગે અનાર્યપણાચેાગ્ય થયેલાં એવાં, આવાં ક્ષેત્રે વિષે તે કાળ બળવાનણે વર્તે છે. લાકોની આત્મપ્રત્યયયેાગ્ય બુદ્ધિ અત્યંત હણાઈ જવા ચેાગ્ય થઇ છે, એવા સર્વ પ્રકારના દુખમયેાગને વિષે વ્યવહાર કરતાં પરમાર્થનું વીસરવું અત્યંત સુલભ છે. અને પરમાર્થનું અવીસરવું અત્યંત અત્યંત દુર્લભ છે. આનંદઘનજીએ ચૌદમા જિનના સ્તવનને વિષે કહ્યું છે, તેમાં આવા ક્ષેત્રનું દુષમપણું એટલી વિશેષતા છે; અને આનંદઘનજીના કાળ કરતાં વર્તમાનકાળ વિશેષ દુષમપરિણામી વર્તે છે; તેમાં જો કોઈ આત્મપ્રત્યયી પુરુષને ખચવા યાગ્ય ઉપાય હાય તેા તે એકમાત્ર નિરંતર અવિચ્છિન્ન ધારાએ સત્સંગનું ઉપાસવું એ જ જણાય છે. પ્રાયે સર્વ કામના પ્રત્યે ઉદાસીનપણું છે, એવા અમને પણ આ સર્વ વ્યવહાર અને કાળાદિ ગળકાં ખાતાં ખાતાં સંસારસમુદ્ર માંડ તરવા દે છે, તથાપિ સમયે સમયે તે પરિશ્રમના અત્યંત પ્રસ્વેદ ઉત્પન્ન થયા કરે છે; અને ઉતાપ ઉત્પન્ન થઈ સત્સંગરૂપ જળની તૃષા અત્યંતપણે રહ્યા કરે છે; અને એ જ દુઃખ લાગ્યા કરે છે. એમ છતાં પણ આવા વ્યવહાર ભજતાં દ્વેષપરિણામ તે પ્રત્યે કરવા ચેગ્ય નથી; એવા જે સર્વ જ્ઞાનીપુરુષોને અભિપ્રાય તે, તે વ્યવહાર પ્રાયે સમતાપણું કરાવે છે. આત્મા તેને વિષે જાણે કંઈ કરતા નથી, એમ લાગ્યા કરે છે. આ જે ઉપાધિ ઉદયવી છે, તે સર્વ પ્રકારે કષ્ટરૂપ છે, એમ પણ વિચારતાં લાગતું નથી. પૂર્વોપાર્જિત પ્રારબ્ધ જે વડે શાંત થાય છે, તે ઉપાધિ પરિણામે આત્મપ્રત્યયી કહેવા યાગ્ય છે. મનમાં એમ ને એમ રહ્યા કરે છે કે અલ્પ કાળમાં આ ઉપાધિયેગ મટી ખાદ્યાન્યંતર નિગ્રંથતા પ્રાપ્ત થાય તો વધારે યાગ્ય છે, તથાપિ તે વાત અલ્પ કાળમાં અને એવું સૂઝતું નથી, અને જ્યાં સુધી તેમ ન થાય ત્યાં સુધી તે ચિંતના મટવી સંભવતી નથી. ખીજો બધા વ્યવહાર વર્તમાનમાં જ મૂકી દીધા હેાય તે તે અને એવું છે. એ ત્રણ ઉદય વ્યવહાર એવા છે કે જે ભાગવ્યે જ નિવૃત્ત થાય એવા છે; અને કષ્ટ પણ તે વિશેષકાળની સ્થિતિમાંથી અલ્પકાળમાં વેઢી શકાય નહીં એવા છે; અને તે કારણે કરી મૂર્ખની પેઠે આ વ્યવહાર ભજ્યા કરીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy