SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૬ મું ૩૬૯ નથી. જે પદાર્થના પ્રકાશને વિષે ચૈતન્યપણાથી તે પદાર્થ્ય જાણ્યા જાય છે, તે પદાર્થાં પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કોઇ છે તે જીવ છે. અર્થાત્ તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન, અચળ એવું નિરાખાધ પ્રકાશ્યમાન ચૈતન્ય, તે જીવનું તે જીવપ્રત્યે ઉપયાગ વાળતાં પ્રગટ દેખાય છે. એ જે લક્ષણા કહ્યાં તે ફરી ફરી વિચારી જીવ નિરામાધપણે જાણ્યા જાય છે, જે જાણવાથી જીવ જાણ્યા છે તે લક્ષણા એ પ્રકારે તીર્થંકરાદિએ કહ્યાં છે. મુંબઇ, ચૈત્ર સુદ ૬, ગુરુ, ૧૯૪૯ “સમતા રમતા ઊરધતા”, એ પદ વગેરે પદ જે જીવ લક્ષણનાં લખ્યાં હતાં, તેના વિશેષ અર્થ લખી પત્ર ૧ દિવસ પાંચ થયાં મેારખી રવાને કર્યાં છે; જે મારખી ગયે પ્રાપ્ત થવા સંભવે છે. ઉપાધિના જોગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃત્તિના જોગની વિશેષ ઇચ્છા થઇ આવે છે, તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિના જોગ વિશેષ દેખાય છે. ચારે બાજુથી ઉપાધિના ભીડે છે. કોઇ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટી ચાલ્યા જવું હાય તેા કોઈને અપરાધ કર્યા ન ગણાય. છૂટવા જતાં કોઈના મુખ્ય અપરાધમાં આવી જવાના સ્પષ્ટ સંભવ દેખાય છે, અને આ વર્તમાન અવસ્થા ઉપાધિરહિતપણાને અત્યંત ચેાગ્ય છે; પ્રારબ્ધની વ્યવસ્થા એવી પ્રબંધ કરી હશે. ૪૩૯ મુમુક્ષુભાઇ શ્રી મનસુખ દેવશી, ૪૪૦ મુમુક્ષુભાઈ સુખલાલ છગનલાલ, વીરમગામ. કલ્યાણની જિજ્ઞાસાવાળા એક કાગળ ગઈ સાલમાં મળ્યા હતા, તેવા જ અર્થના ખીજો કાગળ થડા દિવસ થયાં મળ્યે છે. કેશવલાલના તમને ત્યાં સમાગમ થાય છે એ શ્રેયવાળા જોગ છે. આરંભ, પરિગ્રહ, અસત્સંગ આદિ કલ્યાણુને પ્રતિબંધ કરનારાં કારણામાં જેમ બને તેમ આ પરિચય થાય તથા તેમાં ઉદાસીનતા પ્રાપ્ત થાય તે વિચાર હાલ મુખ્યપણે રાખવા યાગ્ય છે. મુંબઈ, ચૈત્ર સુદ ૯, ૧૯૪૯ Jain Education International લિ રાયચંદના પ્રણામ. મુંબઈ, ચૈત્ર સુદ ૯, ૧૯૪૯ ૪૪૧ લીમડી. હાલ તે તરફ થયેલા શ્રાવકે વગેરેના સમાગમ સંબંધીની વિગત વાંચી છે. તે પ્રસંગમાં રુચિ કે અરુચિ જીવને ઉદય આવી નહીં, તે શ્રેયવાળું કારણ જાણી, તેને અનુસરી નિરંતર પ્રવર્તન કરવાના પરિચય કરવા યાગ્ય છે; અને તે અસત્સંગના પરિચય જેમ ઓછે પડે તેમ તેની અનુકંપા ઇચ્છી રહેવું યાગ્ય છે. જેમ બને તેમ સત્સંગના જોગને ઇચ્છવા અને પાતાના દોષને જોવા યેાગ્ય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy