SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૫ મું ૩૪૫ પણે સિદ્ધપદ સુધીને ઉપદેશ જીવ અનંત વાર કરી ચૂક્યો છે, તે ઉપર જણાવ્યો છે, તે પ્રકાર વિચાર્યા વિના કરી ચૂક્યો છે, વિચારીને – યથાર્થ વિચાર કરીને – કરી ચૂકયો નથી. જેમ પૂર્વે જીવે યથાર્થ વિચાર વિના તેમ કર્યું છે, તેમજ તે દશા (યથાર્થ વિચારદશા) વિના વર્તમાને તેમ કરે છે. પિતાના બેધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી હવે પછી પણ તે વર્યા કરશે. કોઈ પણ મહાપુણ્યને યેગે જીવ ઓસરીને તથા તેવા મિથ્યા-ઉપદેશના પ્રવર્તનથી પિતાનું બધબળ આવરણને પામ્યું છે, એમ જાણી તેને વિષે સાવધાન થઈ નિરાવરણ થવાનો વિચાર કરશે ત્યારે તેવો ઉપદેશ કરતાં, બીજાને પ્રેરતાં, આગ્રહે કહેતાં અટકશે. વધારે શું કહીએ? એક અક્ષર બેલતાં અતિશય – અતિશય એવી પ્રેરણાએ પણ વાણું મૌનપણાને પ્રાપ્ત થશે અને તે મૌનપણું પ્રાપ્ત થયા પહેલાં જીવને એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે; આ વાત કોઈ પણ પ્રકારે ત્રણે કાળને વિષે સંદેહપાત્ર નથી. તીર્થકરે પણ એમ જ કહ્યું છે, અને તે તેના આગમમાં પણ હાલ છે, એમ જાણવામાં છે. કદાપિ આગમને વિષે એમ કહેવાયેલ અર્થ રહ્યો હત નહીં, પણ ઉપર જણાવ્યા રહ્યો હત નહીં, તે પણ ઉપર જણાવ્યા છે તે શબ્દો આગમ જ છે, જિનાગમ જ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણે કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છે, માટે સેવનીય છે. થોડાં વાક્યોમાં લખી વાળવા ધારેલે આ પત્ર વિસ્તાર પામ્યું છે, અને ઘણું જ ટૂંકાણમાં તે લખે છે છતાં કેટલાક પ્રકારે અપૂર્ણ સ્થિતિએ આ પત્ર અત્ર પરિસમાપ્ત કરવું પડે છે. આ પત્ર તમને, તથા તમારા જે બીજા જે જે ભાઈઓને પ્રસંગ છે તેમને, પ્રથમ ભાગ વિશેષ કરી તેવા પ્રસંગે સ્મરણમાં રાખવા યોગ્ય છે, અને બાકીને બીજો ભાગ તમને અને બીજા મુમુક્ષુ જીવને વારંવાર વિચારવા યોગ્ય છે. અત્રે ઉદય-ગર્ભમાં સ્થિત એવી સમાધિ છે. કૃષ્ણદાસના સંગમાં “વિચારસાગરના છેડા પણ તરંગ વાંચવાને પ્રસંગ મળે તે લાભારૂપ છે. કૃષ્ણદાસને આત્મસ્મરણપૂર્વક યથાયોગ્ય. પ્રારબ્ધ દેહી” ૩૯૮ મુંબઈ, શ્રાવણ વદ ૧૪, રવિ, ૧૯૪૮ સ્વસ્તિ શ્રી સાયલા ગ્રામ શુભસ્થાને સ્થિત, પરમાર્થના અખંડ નિશ્ચયી, નિષ્કામ સ્વરૂપ (.)– ના વારંવાર સ્મરણરૂપ, મુમુક્ષુ પુરુષોએ અનન્ય પ્રેમે સેવન કરવા ગ્ય, પરમ સરળ અને શાંતમૂર્તિ એવા શ્રી “સુભાગ્ય’, તેમના પ્રત્યે. શ્રી “મોહમયી” સ્થાનેથી નિષ્કામ સ્વરૂપ છે જેનું એવા સ્મરણરૂપ સત્પરુષના વિનયપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. જેમાં પ્રેમભક્તિ પ્રધાન નિષ્કામપણે રહી છે, એવાં તમ લિખિત ઘણાં પત્રે અનુક્રમે પ્રાપ્ત થયાં છે. આત્માકાર સ્થિતિ અને ઉપાધિગરૂપ કારણને લીધે માત્ર તે પત્રેની પહોંચ લખવા જેટલું બન્યું છે. . અત્ર ભાઈ રેવાશંકરની શારીરિક સ્થિતિ યથાયોગ્યપણે રહેતી નહીં હોવાથી, અને વ્યવહાર સંબંધીનું કામકાજ વધ્યું હોવાથી ઉપાધિોગ પણ વિશેષ રહ્યો છે, અને રહે છે, જેથી આ ચોમાસામાં બહાર નીકળવાનું અશકય થયું છે, અને તેને લીધે તમ સંબંધી નિષ્કામ સમાગમ તે પ્રાપ્ત થઈ શકયો નથી. વળી દિવાળી પહેલાં તે જોગ પ્રાપ્ત થવા સંભવ નથી. તમ લિખિત કેટલાંક પત્રને વિષે જવાદિ સ્વભાવ અને પરભાવનાં કેટલાંક પ્રશ્નો આવતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy