SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ શ્રીમદ્ રાજચંદ્ર તે ચેતન અને અચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં, અથવા એક પુદ્ગલદ્રવ્ય અચેતન અને ચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં. માત્ર પિતે પિતાના જ પરિણામમાં પરિણમે. ચેતનપરિણામ તે અચેતન પદાર્થને વિષે હોય નહીં, અને અચેતન પરિણામ તે ચેતનપદાર્થને વિષે હોય નહીં માટે બે પ્રકારનાં પરિણમે એક દ્રવ્ય પરિણમે નહીં,–બે પરિણામને ધારણ કરી શકે નહીં. એક કરતુતિ દોઈ દવે કબહું ન કરે, માટે એક ક્રિયા તે બે દ્રવ્ય કયારે પણ કરે નહીં. બે દ્રવ્યનું મળવું એકાંતે હોવું યેગ્ય નથી. જે બે દ્રવ્ય મળીને એક દ્રવ્ય ઊપજતું હોય, તે વસ્તુ પિતાના સ્વરૂપને ત્યાગ કરે; અને એમ તે કેઈ કાળે બને નહીં કે વસ્તુ પિતાના સ્વરૂપને કેવળ ત્યાગ કરે. જ્યારે એમ બનતું નથી, ત્યારે બે દ્રવ્ય કેવળ એક પરિણામને પામ્યા વિના એક ક્રિયા પણ કયાંથી કરે ? અર્થાત્ ન જ કરે દોઈ કરતુતિ એક દવે ન કરતુ હૈ.' તેમ જ બે ક્રિયા એક દ્રવ્ય ધારણ પણ કરે નહીં, એક સમયને વિષે બે ઉપગ હોઈ શકે નહીં. માટે - “જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દઉ” જીવ અને પુદ્ગલ કદાપિ એક ક્ષેત્રને રેકી રહ્યાં હોય તે પણ “અપને અપને રૂ૫, કોઉ ન કરતુ હૈ' પિતાપિતાનાં સ્વરૂપથી કોઈ અન્ય પરિણામ પામતું નથી, અને તેથી કરીને જ એમ કહીએ છીએ કે, જડ પરિનામનિકે, કરતા હૈ પુદ્ગલ, દેહાદિકે કરીને જે પરિણામ થાય છે તેને પુદ્ગલ કર્તા છે. કારણ કે તે દેહાદિ જડ છે, અને જડપરિણામ તે પુદ્ગલને વિષે છે. જ્યારે એમ જ છે તે પછી જીવ પણ જીવ સ્વરૂપે જ વર્તે છે, એમાં કંઈ બીજું પ્રમાણ પણ હવે જોઈતું નથી; એમ ગણી કહે છે કે, ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ, કાવ્યકત્તને કહેવાને હેત એમ છે કે, જે આમ તમે વસ્તુસ્થિતિ સમજે તે તે જડને વિષેને જે સ્વસ્વરૂપભાવ છે તે માટે, અને સ્વસ્વરૂપનું જે તિભાવપણું છે તે પ્રગટ થાય. વિચાર કરે, સ્થિતિ પણ એમ જ છે. ઘણી ગહન વાતને અહીં ટૂંકા માં લખી છે. (જો કે) જેને યથાર્થ બેધ છે તેને તે સુગમ છે. એ વાતને ઘણી વાર મનન કરવાથી કેટલેક બેધ થઈ શકશે. આપનું પd ૧ ગઈ પરમે મળ્યું છે. ચિત્ત તે આપને પત્ર લખવાનું રહે છે, પણ જે લખવાનું સૂઝે છે તે એવું સૂઝે છે કે આપને તે વાતને ઘણા વખત સુધી પરિચય થવો જોઈએ અને તે વિશેષ ગહન હોય છે. સિવાય લખવાનું સૂઝતું નથી. અથવા લખવામાં મન રહેતું નથી. બાકી તે નિત્ય સમાગમને ઈચ્છીએ છીએ. પ્રસંગોપાત્ત કંઈ જ્ઞાનવાર્તા લખશે. આજીવિકાના દુઃખને માટે આપ લખે છે તે સત્ય છે. ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે, આત્મા તે માટે મુક્તસ્વરૂપ લાગે છે. વીતરાગપણું વિશેષ છે. વેઠની પિઠે પ્રવૃત્તિ કરીએ છીએ. બીજાને અનુસરવાનું પણ રાખીએ છીએ. જગતથી બહુ ઉદાસ થઈ ગયા છીએ. વસ્તીથી કંટાળી ગયા છીએ. દશા કેઈને જણાવી શકતા નથી. જણાવીએ તે સત્સંગ નથી; મનને જેમ ધારીએ તેમ વાળી શકીએ છીએ, એટલે પ્રવૃત્તિમાં રહી શક્યા છીએ. કઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy