SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ શ્રીમદ રાજચંદ્ર જનક વિદેહી વિષે લક્ષમાં છે. ૩૧૧ મુંબઈ, પિષ સુદ ૩, રવિ, ૧૯૪૮ અનુક્રમે સંયમ સ્પર્શતે , પાપે ક્ષાયકભાવ રે; સંયમ શ્રેણી ફૂલડે છે, પૂજું પદ નિપાવ રે. શુદ્ધ નિરંજન અલખ અગોચર, એહિ જ સાધ્ય સુહા રે; જ્ઞાનક્રિયા અવલબી ફર, અનુભવ સિદ્ધિ ઉપાયે રે. રાયસિદ્ધારથ વંશ વિભૂષણ, ત્રિશલા રાણ જાયે રે; અજ અજરામર સહજાનંદી, ધ્યાનભુવનમાં ધ્યાય રે. નાગર સુખ પામર નવ જાણે, વલ્લભ સુખ ન કુમારી રે; અનુભવ વણ તેમ ધ્યાન તણું સુખ કેણ જાણે નરનારી રે. ૩૧૨ મુંબઈ, પિષ સુદ પ, ભેમ, ૧૯૪૮ ક્ષાયિક ચારિત્રને સંભારીએ છીએ. જનક વિદેહીની વાત લક્ષમાં છે. કરસનદાસનું પત્ર લક્ષમાં છે. બોધસ્વરૂપના યથાયોગ્ય. ૩૧૩ મુંબઈ, પિષ સુદ ૭, ગુરુ, ૧૯૪૮ જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ, આપની સ્થિતિ લક્ષમાં છે. આપની ઈચ્છા પણ લક્ષમાં છે; ગુરુ અનુગ્રહવાળી વાર્તા લખી તે પણ ખરી છે. કર્મનું ઉદયપણું ભેગવવું પડે તે પણ ખરું છે. આપ અતિશય ખેદ વખતોવખત પામી જાઓ છે, તે પણ જાણીએ છીએ. વિયેગને તાપ અસહ્ય આપને રહે છે તે પણ જાણીએ છીએ. ઘણુ પ્રકારે સત્સંગમાં રહેવા જોગ છે એમ માનીએ છીએ, તથાપિ હાલ તે એમ સહન કરવું યોગ્ય માન્યું છે. | ગમે તેવા દેશકાલને વિષે યથાયોગ્ય રહેવું, યથાયોગ્ય રહેવા ઈળ્યા જ કરવું એ ઉપદેશ છે. મનની ચિંતા લખી જણ તેય અમને તમારા ઉપર ખેદ થાય તેમ નથી. જ્ઞાની અન્યથા કરે નહીં, તેમ કરવું તેને સૂઝે નહીં, ત્યાં બીજો ઉપાય ઈચ્છા પણ નહીં એમ વિનંતી છે. કઈ એવા પ્રકારને ઉદય છે કે, અપૂર્વ વિતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ, તેમ જ બીજું પણ ખાવાપીવા વગેરેનાં પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ ક્યાંય વિરામ પામતું નથી, ઘણું કરીને અત્ર કેઈને સમાગમ ઈરછતું નથી. કંઈ લખી શકાતું નથી. વધારે પરમાર્થવાક્ય વદવા ઈચ્છા થતી નથી, કેઈએ પૂછેલા પ્રશ્નોને ઉત્તર જાણતાં છતાં લખી શકતા નથી, ચિત્તને પણ ઝાઝો સંગ નથી, આત્મા આત્મભાવે વર્તે છે. સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતું હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. અથવા કળી શકે તેવાને પ્રસંગ નથી. આત્માને વિષે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિષે હતું એમ જણાય છે. પૂર્ણ વિતરાગ જે બોધ તે અમને સહેજે સાંભરી આવે છે, એટલે જ તમને અને ગેસલિયાને લખ્યું હતું કે તમે પદાર્થને સમજે. બીજે કઈ તેમ લખવામાં હેતુ નહોતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy