SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ વર્ષ ૨૫ મું ૩૦૭ આણંદ, માગશર સુદ ૨, ગુરુ, ૧૯૪૮ (એવું જે) પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. માટે અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. જે સત્યનું ધ્યાન કરે છે, તે સત્ય હોય છે. ૩૦૮ મુંબઈ, માગશર સુદિ ૧૪, ભોમ, ૧૯૪૮ ૩ સત્ શ્રી સહજ સમાધિ અત્ર સમાધિ છે. સ્મૃતિ રહે છે, તથાપિ નિરૂપાયતા વર્તે છે. અસંગવૃત્તિ હોવાથી આસુમાત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી, તેય સહન કરીએ છીએ. સત્સંગી “પર્વત’ને નામે જેમનું નામ છે તેમને યથાયોગ્ય. બન્ને જણ વિચાર કરી વસ્તુને ફરી ફરીને સમજેમનથી કરેલે નિશ્ચય સાક્ષાત્ નિશ્ચય માનશે નહીં. જ્ઞાનીથી થયેલે નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. પછી જેમ ભાવિ. સુધાને વિષે અમને સંદેહ નથી, તમે તેનું સ્વરૂપ સમજે, અને ત્યારે જ ફળ છે. પ્રણામ પહોંચે. ૩૦૯ મુંબઈ, માગશર વદ ૦)), ગુરુ, ૧૯૪૮ “અનુક્રમે સંયમ સ્પર્શતે જી, પાયે લાયકભાવ રે; સંયમ શ્રેણ ફૂલડે છે, પૂજું પદ નિષ્પાવ રે.”— (આત્માની અભેદચિંતનારૂપ) સંયમના એક પછી એક કમને અનુભવીને ક્ષાયકભાવ (જડ પરિણતિને ત્યાગ)ને પામેલો એ જે સિદ્ધાર્થને પુત્ર તેના નિર્મળ ચરણકમળને સંયમશ્રેણિરૂપ ફૂલથી પૂજું છું. ઉપરનાં વચને અતિશય ગંભીર છે. લિ. યથાર્થ સ્વરૂપના યથાર્થ મુંબઈ, પિષ સુદ ૩, ૧૯૪૮ અનુક્રમે સંયમ સ્પર્શતે જી, પાપે ક્ષાયકભાવ રે; સંયમ શ્રેણી ફૂલડે છે, પૂજું પદ નિપાવ રે. દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે; હિતકરી જનને સંજીવની, ચારે તે ચરાવે રે. દર્શન જે થયાં જૂજવાં, તે એઘ નજરને ફેરે રે, ભેદ થિરાદિક દ્રષ્ટિમાં, સમકિતદ્રષ્ટિને હરે રે. ગનાં બીજ ઈહ ગ્રહે, “જિનવરી શુદ્ધ પ્રણામ રે; ભાવાચારજ’ સેવના, ભવ ઉદ્વેગ સુકામે રે. ૩૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy