SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૪ મું ૨૯૩ શ્રાવણ વદમાં આપને વખત મળે તેવું હોય તે પાંચ પંદર દિવસ માટે સમાગમની ગોઠવણ કરવાની ઈચ્છા કરું, જ્ઞાનધારા સંબંધી મૂળમાર્ગ અમે તમને આ વખતના સમાગમમાં છેડે પણ કહીશું; અને તે માર્ગ પૂરી રીતે આ જ જન્મમાં તમને કહીશું એમ અમને હરિની પ્રેરણા હોય તેવું લાગે છે. તમે અમારે માટે જન્મ ધર્યો હશે એમ લાગે છે. તમે અમારા અથાગ ઉપકારી છે. તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે, તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલે વાળીએ? પણ અમને લાગે છે કે અમારે હાથે હરિ તમને પરાભક્તિ અપાવશે; હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે; અને એ જ અમે મોટો ભાગ્યોદય માનીશું. અમારું ચિત્ત તે બહુ હરિમય રહે છે, પણ સંગ બધા કળિયુગના રહ્યા છે. માયાના પ્રસંગમાં રાત દિવસ રહેવું રહે છે, એટલે પૂર્ણ હરિમય ચિત્ત રહી શકવું દુર્લભ હોય છે, અને ત્યાં સુધી અમારા ચિત્તને ઉદ્વેગ મટશે નહીં. ખંભાતવાસી રેગ્યતાવાળા જીવ છે, એમ અમે જાણીએ છીએ, પણ હરિની ઈચ્છા હજુ થોડો વિલંબ કરવાની દેખાય છે. આપે દેહરા વગેરે લખી મોકલ્યું તે સારું કર્યું. અમે તે હાલ કેઈની સંભાળ લઈ શકતા નથી. અશક્તિ બહુ આવી ગઈ છે, કારણ કે ચિત્ત બાહ્ય વિષયમાં હાલ જતું નથી. લિ. ઈશ્વરાર્પણ ૨૬૦ મુંબઇ, શ્રાવણ સુદ ૯, ગુરુ, ૧૯૪૭ ' નથુરામજીનાં પુસ્તક વિષે, તથા તેના વિષે આપે લખ્યું તે જાણ્યું. હાલ કંઈ એવું જાણવા ઉપર ચિત્ત નથી. તેના એકાદ બે પુસ્તકો છપાયેલાં છે, તે મેં વાંચેલાં છે. ચમત્કાર બતાવી યુગને સિદ્ધ કરે, એ ભેગીનું લક્ષણ નથી. સર્વોત્તમ યોગી તે એ છે કે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ જે સર્વ પ્રકારે “સ” જ આચરે છે, જગત જેને વિસ્મૃત થયું છે. અમે એ જ ઈચ્છીએ છીએ. २६१ મુંબઈ, શ્રાવણ સુદ ૯, ગુરુ, ૧૯૪૭ પત્ર પહોંચ્યું. તમારા ગામથી (ખંભાતથી) પાંચ સાત ગાઉ પર એવું ગામ છે કે જ્યાં અજાણપણે રહેવું હોય તે અનુકૂળ આવે ? જળ, વનસ્પતિ અને સૃષ્ટિરચના જ્યાં ઠીક હોય તેવું સ્થળ જે ધ્યાનમાં આવે તે લખશે. જૈનનાં પર્યુષણથી પહેલાં અને શ્રાવણ વદ ૧ પછી અત્રેથી થોડા વખતને માટે નિવૃત્ત થવાની ઈચ્છા છે. ધર્મ સંબંધે પણ જ્યાં અમને ઓળખતા હોય તેવા ગામમાં હાલ તે અમે પ્રવૃત્તિ માની છે; જેથી ખંભાત આવવા વિષે વિચાર હાલ સંભવ નથી. ' હાલમાં થોડા વખતને માટે આ નિવૃત્તિ લેવા ઈચ્છું છું. સર્વ કાળને માટે (આયુષ્ય પર્યંત) જ્યાં સુધી નિવૃત્તિ મેળવવાને પ્રસંગ ન આવ્યો હોય ત્યાં સુધી ધર્મ સંબંધે પણ પ્રગટમાં આવવાની ઈચ્છા રહેતી નથી. માત્ર નિર્વિકારપણે (પ્રવૃત્તિ રહિત) જ્યાં રહેવાય, અને એકાદ બે મનુષે ત્યા ૫ પૂરતાં (વ્યવહારની પ્રવૃત્તિ જુઓ !) હોય એટલે ઘણુંય છે. ક્રમપૂર્વક તમારે જે કંઈ સમાગમ રાખવો ઘટશે તે રાખશું. અધિક જંજાળ જોઈતી નથી. ઉપરની બાબત માટે સાધારણ તજવીજ કરવી. - વધારે જાણમાં આવે એવું ન થવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy