SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ શ્રીમદ્ રાજચંદ્ર તમે ઈત્યાદિ છે, એમ કલ્પના છે. અને હું પણ ઈચ્છું છું કે કોઈ પણ જિજ્ઞાસુ હો તે ધર્મ પામેલાથી ધર્મ પામે, તથાપિ વર્તમાન વર્તુ છું તે કાળ એ નથી. પ્રસંગોપાત્ત મારા કેટલાક પત્રો તેમને વંચાવતા રહેશે, અથવા તેમાં કહેલી વાતને તમારાથી સમજાવાય તેટલે હેતુ સમજાવતા રહેશે. પ્રથમ મનુષ્યને યથાયોગ્ય જિજ્ઞાસુપણું આવવું જોઈએ છે. પૂર્વના આગ્રહો અને અસત્સંગ ટળવાં જોઈએ છે. એ માટે પ્રયત્ન કરશે. અને તેમને પ્રેરણા કરશે તે કોઈ પ્રસંગે જરૂર સંભાળ લેવાનું સ્મરણ કરીશ. નહીં તે નહીં. બીજા ભાઈઓને પણ જેની પાસેથી ધર્મ માગવા તે પુરુષ ધર્મ પામ્યા વિષેની પૂર્ણ ચેકસી કરવી, આ સંતની સમજવા જેવી વાત છે. વિ૦ રાયચંદના યથાવ ૧૭૯ મુંબઈ, કારતક, ૧૯૪૭ ઉપશમ ભાવ સોળ ભાવનાઓથી ભૂષિત થયેલે છતાં પણ પિતે સર્વોત્કૃષ્ટ જ્યાં મનાવે છે ત્યાં બીજાની ઉત્કૃષ્ટતાને લીધે પિતાની ન્યૂનતા થતી હોય અને કંઈ મત્સરભાવ આવી ચાલ્યું જાય તે, તેને ઉપશમ ભાવ હતો, ક્ષાયક નહોતે, આ નિયમ છે. મુંબઈ, માગશર સુદ ૪, સોમ, ૧૯૪૭ પરમ પૂજ્ય શ્રી, ગઈ કાલના પત્રમાં સહજ વ્યવહારચિંતા જણાવી; તે તે માટે સર્વ પ્રકારે નિર્ભય રહેવું. રેમ રોમ ભક્તિ તે એ જ છે કે, એવી દશા આવ્ય અધિક પ્રસન્ન રહેવું. માત્ર બીજા જીવને કચવાયાનું કારણ આત્મા થાય ત્યાં ચિંતા સહજ કરવી. દ્રઢજ્ઞાનની પ્રાપ્તિનું એ જ લક્ષણ છે. મુનિને સમજાવ્યાની માથાકૂટમાં આપ ન પડે તે સારું. જેને પરમેશ્વર ભટકવા દેવા ઈચ્છે છે, તેને નિષ્કારણ ભટકતા અટકાવવા એ ઈશ્વરી નિયમનો ભંગ કર્યો નહીં ગણાય શા માટે ? રામ રામ ખુમારી ચઢશે, અમરવરમય જ આત્મવૃષ્ટિ થઈ જશે, એક “Úહિ તેહિ મનન કરવાને પણ અવકાશ નહીં રહે, ત્યારે આપને અમરવરને આનંદ અનુભવ થશે. અત્રે એ જ દશા છે. રામ હદે વસ્યા છે, અનાદિનાં ખસ્યાં છે. સુરતિ ઇત્યાદિક હસ્યાં છે. આ પણ એક વાક્યની વેઠ કરી છે. હમણું તે ભાગી જવાની વૃત્તિ છે. આ શબ્દને અર્થ જુદો થાય છે. નીચે એક વાક્યને સહજ સ્યાદ્વાદ કર્યું છે. “આ કાળમાં કઈ ક્ષે ન જ જાય.” આ કાળમાં કેઈ આ ક્ષેત્રેથી મોક્ષે ન જ જાય.” આ કાળમાં કેઈ આ કાળને જન્મેલે આ ક્ષેત્રેથી મેક્ષે ન જાય.” આ કાળમાં કેઈ આ કાળને જન્મેલે સર્વથા ન મુકાય.” આ કાળમાં કોઈ આ કાળને જન્મેલે સર્વ કર્મથી સર્વથા ન મુકાય.” હવે એ ઉપર સહજ વિચાર કરીએ. પ્રથમ એક માણસ બે કે આ કાળમાં કઈ ક્ષે ન જ જાય. જેવું એ વાકય નીકળ્યું કે શંકા થઈ. આ કાળમાં શું મહાવિદેહથી મેશે ન જ જાય? ત્યાંથી તે જાય, માટે ફરી વાક્ય બોલો. ત્યારે બીજી વાર કહ્યું; આ કાળમાં કેઈ આ ક્ષેત્રેથી મેસે ૧. મુનિ દીપચંદજી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy