SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૩ મું ૨૩૫ (૧૧) મુંબઈ, જેઠ વદ ૧૨, શનિ, ૧૯૪૬ ગઈ કાલ રાત્રે એક અદ્ભુત સ્વપ્ન આવ્યું હતું. જેમાં બેએક પુરુષની સમીપે આ જગતની રચનાનું સ્વરૂપ વર્ણવ્યું હતું. પ્રથમ સર્વ ભુલાવી પછી જગતનું દર્શન કરાવ્યું હતું. સ્વપ્નમાં મહાવીરદેવની શિક્ષા સપ્રમાણ થઈ હતી. એ સ્વપ્નનું સુંદર અને ચમત્કારિક હોવાથી પરમાનંદ થયે હતે. હવે પછી તે સંબંધી અધિક. (૧૨) મુંબઈ, અષાડ સુદ ૪, શનિ, ૧૯૪૬ કળિકાળે મનુષ્યને સ્વાર્થપરાયણ અને મહવશ કર્યા. જેનું હૃદય શુદ્ધ, સંતની બતાવેલી વાટે ચાલે છે તેને ધન્ય છે. સત્સંગના અભાવથી ચઢેલી આત્મશ્રેણિ ઘણું કરીને પતિત થાય છે. (૧૩) મુંબઈ, અષાડ સુદ ૫, રવિ, ૧૯૪૬ જ્યારે આ વ્યવહારે પાધિ ગ્રહણ કરી ત્યારે તે ગ્રહણ કરવાનો હેતુ આ હતા :– ભવિષ્યકાળે જે ઉપાધિ ઘણો વખત રોકશે, તે ઉપાધિ વધારે દુઃખદાયક થાય તોપણ છેડા વખતમાં ભેળવી લેવી એ વધારે શ્રેયસ્કર છે. એ ઉપાધિ નીચેના હેતુથી સમાધિરૂપ થશે એમ માન્યું હતું – ધર્મ સંબંધી વધારે વાતચીત આ કાળમાં ગ્રહવાસપરત્વે ન આવે તે સારું. ભલે તને વસમું લાગે, પણ એ જ ક્રમમાં પ્રવર્ત. ખચીત કરીને એ જ ક્રમમાં પ્રવર્ત. દુઃખને સહન કરી, કમની સાચવણના પરિષહને સહન કરી, અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગને સહન કરી તું અચળ રહે. અત્યારે કદાપિ વસમું, અધિકતર લાગશે, પણ પરિણામે તે વસમું સમું થશે. ઘેરામાં ઘેરાઈશ નહીં. ફરી ફરી કહું છું, ઘેરાઈશ નહીં. દુઃખી થઈશ, પશ્ચાત્તાપ કરીશ; એ કરતાં અત્યારથી આ વચને ઘટમાં ઉતાર – પ્રીતિપૂર્વક ઉતાર. ૧. કેઈના પણ દેષ જો નહીં. તારા પિતાના દોષથી જે કંઈ થાય છે, તે થાય છે, એમ માન. ૨. તારી (આત્મ) પ્રશંસા કરીશ નહીં, અને કરીશ તે તું જ હલકે છે એમ હું માનું છું. ૩. જેમ બીજાને પ્રિય લાગે તેવી તારી વર્તણુક કરવાનું પ્રયત્ન કરજે. એકદમ તેમાં તને સિદ્ધિ નહીં મળે, વા વિદ્ધ નડશે, તથાપિ દૃઢ આગ્રહથી હળવે હળવે તે ક્રમ પર તારી નિષ્ઠા લાવી મૂકજે. ૪. તું વ્યવહારમાં જેનાથી જોડાયે હો તેનાથી અમુક પ્રકારે વર્તવાને નિર્ણય કરી તેને જણાવ. તેને અનુકૂળ આવે તે તેમ; નહીં તે તે જણાવે તેમ પ્રવર્તજે. સાથે જણાવજે કે તમારા કાર્યમાં (જે મને સેપે તેમાં) કઈ રીતે મારી નિષ્ઠાથી કરીને હાનિ નહીં પહોંચાડું. તમે મારા સંબંધમાં બીજી કંઈ કલ્પના કરશે નહીં, મને વ્યવહાર સંબંધી અન્યથા લાગણી નથી, તેમ હું તમારાથી વર્તવા ઈચ્છતે નથી, એટલું જ નહીં પણ કંઈ મારું વિપરીતાચરણ મનવચનકાયાએ થયું, તે તે માટે પશ્ચાત્તાપી થઈશ. એમ નહીં કરવા આગળથી બહુ સાવચેતી રાખીશ. તમે પેલું કામ કરતાં હું નિરભિમાની રહીશ. મારી ભૂલને માટે મને ઠપકે આપશો તે સહન કરીશ. મારું ચાલશે ત્યાં સુધી સ્વપ્ન પણ તમારે દ્વેષ વા તમારા સંબંધી કેઈ પણ જાતની અન્યથા કલ્પના કરીશ નહીં. તમને કોઈ જાતની શંકા થાય તે મને જણાવશે, તે તમારે ઉપકાર માનીશ, અને તેને ખરે ખુલાસે કરીશ. ખુલાસો નહીં થાય તે મૌન રહીશ, પરંતુ અસત્ય બેલીશ નહીં. માત્ર તમારી પાસેથી એટલું જ ઇચ્છું છું કે, કોઈ પણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભાગમાં પ્રવૃત્તિ કરશે નહીં; તમારી ઈચ્છાનુસાર તમે વર્તજે, તેમાં મારે કંઈ પણ અધિક કહેવાની જરૂર નથી. માત્ર મને મારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy