SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ શ્રીમદ્ રાજચંદ્ર છે, તે માટે ક્ષમા કરશે. ઈ. જેમ યોગ્ય લાગે તેમ કરી આત્મનિવૃત્તિ કરશે. અત્યારે એ જ. વિ. રાયચંદના યથા ૧૪૬ વવાણિયા, આસો સુદ ૫, શનિ, ૧૯૪૬ ઊંચનીચને અંતર નથી, સમજ્યા તે પામ્યા સદૂગતિ. તીર્થંકર દેવે રાગ કરવાની ના કહી છે, અર્થાત્ રાગ હોય ત્યાં સુધી મોક્ષ નથી. ત્યારે આ પ્રત્યેને રાગ તમને બધાને હિતકારક કેમ થશે? લખનાર અવ્યક્તદશા ૧૪૭ વવાણિયા, આસો સુદ ૬, રવિ, ૧૯૪૬ સુજ્ઞ ભાઈ ખીમજી, આજ્ઞા પ્રત્યે અનુગ્રહ દર્શાવનારું સંતોષપ્રદ પત્ર મલ્યું. આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. એકતાન થવું પણ બહુ જ અસુલભ છે. એને માટે તમે શું ઉપાય કરશે? અથવા ધાર્યો છે? અધિક શું? અત્યારે આટલુંય ઘણું છે. વિટ રાયચંદના યથા. ૧૪૮ વવાણિયા, આ સુદ ૧૦, ગુરુ, ૧૯૪૬ પાંચેક દિવસ પહેલાં પત્ર મળ્યું, જે પત્રમાં લખ્યાદિકની વિચિત્ર દશા વર્ણવી છે તે. એવા અનેક પ્રકારના પરિત્યાગી વિચારે પાલટી પાલટીને જ્યારે આત્મા એકત્વ બુદ્ધિ પામી મહાત્માના સંગને આરાધશે, વા પિતે કઈ પૂર્વના સ્મરણને પામશે તે ઇચ્છિત સિદ્ધિને પામશે. આ નિઃસંશય છે. વિગતપૂર્વક પત્ર લખી શકું એવી દશા રહેતી નથી. વિ. રાયચંદના યોચિત ૧૪૯ વવાણિયા, આસો સુદ ૧૦, ગુરુ, ૧૯૪૬ ધર્મધ્યાન, વિદ્યાભ્યાસ ઇત્યાદિની વૃદ્ધિ કરશે. ૧૫૦ વવાણિયા, આસે, ૧૯૪૬ મતનું ઔષધ હું આ તને દઉં છું. વાપરવામાં દોષ કરજે નહીં. તને કે પ્રિય છે? મને ઓળખનાર. આમ કાં કરે? હજુ વાર છે. શું થનાર છે તે ? હે કર્મ! તને નિશ્ચય આજ્ઞા કરું છું કે નીતિ અને નેકી ઉપર મને પગ મુકાવીશ નહીં. ૧૫૧ - આસે, ૧૯૪૬ ત્રણ પ્રકારનાં વીર્ય પ્રણીત ક્ય : (૧) મહાવીર્ય. (૨) મધ્યવીર્ય. ૩) અ૫વીર્ય. ત્રણ પ્રકારે મહાવીર્ય પ્રણીત કર્યું – (૧) સાત્વિક. (૨) રાજસી. (૩) તામસી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy