SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ શ્રીમદ્ રાજચંદ્ર ક્રોધાદિક કષાનું સમાઈ જવું, ઉદય આવેલા કષામાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી તે “શમ”. મુક્ત થવા સિવાય બીજી કઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહીં તે “સંગ”. જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું ત્યારથી હવે ઘણી થઈ, અરે જીવ ! હવે થંભ, એ “નિર્વેદી. માહાસ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષનાં વચનમાં જ તલ્લીનતા તે “શ્રદ્ધા-આસ્થા. એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે “અનુકંપા. આ લક્ષણે અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઈરછવા યોગ્ય છે, અનુભવવા ગ્ય છે. અધિક અન્ય પ્રસંગે. વિટ રાયચંદ્રના ય૦ ૧૩૬ વવાણિયા, બી. ભા. સુદ ૧૪, રવિ, ૧૯૪૬ તમારું સંવેગ ભરેલું પત્ર મળ્યું. પત્રથી અધિક શું જણાવું? જ્યાં સુધી આત્મા આત્મભાવથી અન્યથા એટલે દેહભાવે વર્તશે, હું કરું છું એવી બુદ્ધિ કરશે, હું રિદ્ધિ ઈત્યાદિકે અધિક છું એમ માનશે, શાસ્ત્રને જાળરૂપે સમજશે, મર્મને માટે મિથ્યા મેહ કરશે, ત્યાં સુધી તેની શાંતિ થવી દુર્લભ છે એ જ આ પત્તાથી જણાવું છું. તેમાં જ બહુ સમાયું છે. ઘણે સ્થળેથી વાંચ્યું હોય, સુર્યું હોય તે પણ આ પર અધિક લક્ષ રાખશે. રાયચંદ ૧૩૭ મેરબી, બી. ભાદ. વદ ૪, ગુરુ, ૧૯૪૬ પત્ર મળ્યું. “શાંતિપ્રકાશ' નથી મળ્યું. મળે એગ્ય જણાવીશ. આત્મશાંતિમાં પ્રવર્તશે. વિ. રાયચંદ્રના ય૦ ૧૩૮ મેરબી, બી. ભાદ્ર. વદ ૬, શનિ, ૧૯૪૬ યોગ્યતા મેળવે. એમ જ મળશે. ૧૩૯ મોરબી, બી. ભા. વદ ૭, રવિ, ૧૯૪૬ મુમુક્ષુ ભાઈઓ, ગઈ કાલે મળેલા પત્રની પહોંચ પત્તાથી આપી છે. તે પત્રમાં લખેલાં પ્રશ્નોને ટૂંકો ઉત્તર નીચે યથામતિ લખું છું. આઠ ટુચકપ્રદેશ સંબંધીનું પ્રથમ તમારું પ્રશ્ન છે. ઉત્તરાધ્યયન સિદ્ધાંતમાં સર્વ પ્રદેશે કર્મ વળગણ બતાવી એને હેતુ એ સમજાવે છે કે એ કહેવું ઉપદેશાર્થે છે. સર્વ પ્રદેશ કહેવાથી શાસ્ત્રકર્તા આઠ રુકપ્રદેશ કર્મ રહિત નથી એ નિષેધ કરે છે, એમ સમજાતું નથી. અસંખ્યાત પ્રદેશી આત્મામાં જ્યારે માત્ર આઠ જ પ્રદેશ કર્મ રહિત છે, ત્યારે અસંખ્યાત પ્રદેશ પાસે તે કઈ ગણતીમાં છે? અસંખ્યાત આગળ તેનું એટલું બધું લઘુત્વ છે કે શાસ્ત્રકારે ઉપદેશની અધિક્તા માટે એ વાત અંતઃકરણમાં રાખી બહારથી આ પ્રમાણે ઉપદેશ કર્યો અને એવી જ શૈલી નિરંતર શાસ્ત્રકારની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy