SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ શ્રીમદ્ રાજચંદ્ર ૧૨૫ વવાણિયા, શ્રાવણ વદિ ૧૩, બુધ ૧૯૪૬ ધર્મેચ્છક ભાઈશ્રી, આજે મતાંતરથી ઉત્પન્ન થયેલાં પહેલાં પર્યુષણ આરંભાયાં. આવતા માસમાં બી આરંભાશે. સમ્યફદ્રષ્ટિથી મતાંતર દૂર મૂકી જોતાં એ જ મતાંતર બેવડા લાભનું કારણ છે, કારણ બેવડે ધર્મ સંપાદન કરી શકાશે. ચિત્ત ગુફાને યોગ્ય થઈ ગયું છે. કર્મચના વિચિત્ર છે. વિ. રાયચંદના યથા. ૧૨૬ વવાણિયા, પ્ર. ભાદ્ર. સુદ ૩, સોમ, ૧૯૪૬ આપનાં દર્શનનો લાભ લીધાં લગભગ એક ખાસ ઉપર કંઈ વખત થયે. મુંબઈ મૂક્યાં એક પખવાડિયું થયું. મુંબઈને એક વર્ષને નિવાસ ઉપાધિગ્રાહ્ય રહ્યો. સમાધિરૂપ એક આપને સમાગમ, તેને જેવો જોઈએ તે લાભ પ્રાપ્ત ન થયે. જ્ઞાનીઓએ કપેલે ખરેખર આ કળિકાળ જ છે. જનસમુદાયની વૃત્તિઓ વિષયકષાયાદિકથી વિષમતાને પામી છે. એનું બળવત્તરપણું પ્રત્યક્ષ છે. રાજસીવૃત્તિનું અનુકરણ તેમને પ્રિય થયું છે. તાત્પર્ય વિવેકીઓની અને યથાયોગ્ય ઉપશમપાત્રની છાયા પણ મળતી નથી. એવા વિષમકાળમાં જન્મેલે આ દેહધારી આત્મા અનાદિકાળના પરિભ્રમણને થાકથી વિશ્રાંતિ લેવા આવતાં અવિશ્રાંતિ પામી સપડાય છે. માનસિક ચિંતા કયાંય કહી શકાતી નથી. કહેવાનાં પાત્રોની પણ ખામી છે ત્યાં હવે શું કરવું? જેકે યથાગ્ય ઉપશમભાવને પામેલે આત્મા સંસાર અને મેક્ષ પર સમવૃત્તિવાળ હોય છે. એટલે અપ્રતિબદ્ધપણે વિચારી શકે છે, પણ આ આત્માને તે હજુ તે દશા પ્રાપ્ત થઈ નથી. તેને અભ્યાસ છે. ત્યાં તેને પડખે આ પ્રવૃત્તિ શા માટે ઊભી હશે ? જેની નિરૂપાયતા છે તેની સહનશીલતા સુખદાયક છે અને એમ જ પ્રવર્તન છે; પરંતુ જીવન પૂર્ણ થતા પહેલાં યથાયોગ્યપણે નીચેની દશા આવવી જોઈએ :– ૧. મન, વચન અને કાયાથી આત્માને મુક્તભાવ. ૨. મનનું ઉદાસીનપણે પ્રવર્તન. ૩. વચનનું સ્યાદ્વાદપણું (નિરાગ્રહપણું). ૪. કાયાની વૃક્ષદશા. (આહાર-વિહારની નિયમિતતા). અથવા સર્વ સંદેહની નિવૃત્તિ સર્વ ભયનું છૂટવું, અને સર્વ અજ્ઞાનને નાશ. અનેક પ્રકારે સંતે એ શાસ્ત્ર વાટે તેને માર્ગ કહ્યો છે, સાધને બતાવ્યાં છે, યુગાદિકથી થયેલ પિતાને અનુભવ કહ્યો છે તથાપિ તેથી યથાયોગ્ય ઉપશમભાવ આવ દુર્લભ છે. તે માર્ગ છે પરંતુ ઉપાદાનની બળવાન સ્થિતિ જોઈએ. ઉપાદાનની બળવાન સ્થિતિ થવા નિરંતર સત્સંગ જોઈએ, તે નથી. - શિશુવયમાંથી જ એ વૃત્તિ ઊગવાથી કઈ પ્રકારને પરભાષાભ્યાસ ન થઈ શક્યો. અમુક સંપ્રદાયથી શાસ્ત્રાભ્યાસ ન થઈ શક્યો. સંસારના બંધનથી ઈહાપહાભ્યાસ પણ ન થઈ શક્યો અને તે ન થઈ શક્યો તેને માટે કંઈ બીજી વિચારણું નથી. એથી આત્મા અધિક વિકલ્પી થાત (સર્વને માટે વિકલ્પીપણું નહીં, પણ એક હું પિતાની અપેક્ષાએ કહું છું. અને વિકલ્પાદિક કલેશને તે નાશ જ કરે ઈજ્યો હતે. એટલે જે થયું તે કલ્યાણકારક જ; પણ હવે શ્રીરામને જેમ મહાનુભાવ વસિષ્ઠ ભગવાને આ જ દેષનું વિસ્મરણ કરાવ્યું હતું તેમ કેણ કરાવે ? અર્થાત્ શાસ્ત્રને ભાષાભ્યાસ વિના પણ ઘણે પરિચય થયે છે, ધર્મના વ્યાવહારિક જ્ઞાતાઓને પણ પરિચય થયે છે, તથાપિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy