SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ શ્રીમદ્ રાજચંદ્ર આહાર, વિહાર અને નિહારને નિયમિત” એ વાકયને સંક્ષેપાર્થ આમ – જેમાં યોગદશા આવે છે, તેમાં દ્રવ્ય આહાર, વિહાર અને નિહાર (શરીરના મળની ત્યાગક્રિયા) એ નિયમિત એટલે જેવી જોઈએ તેવી, આત્માને નિબંધક, ક્રિયાથી એ પ્રવૃત્તિ કરનારે. ધર્મમાં પ્રસક્ત રહે એ જ ફરી ફરી ભલામણ. સત્યપરાયણના માર્ગનું સેવન કરીશું તે જરૂર સુખી થઈશું, પાર પામીશું, એમ હું ધારું છું. આ ભવનું પરભવનું નિરુપાધિપણું જે વાટેથી કરી શકાય તે વાટેથી કરશે, એમ વિનંતિ છે. ઉપાધિગ્રાહ્ય રાયચંદના યથાયોગ્ય. . ૧૧૯ મુંબઈ, અષાડ વદ ૭, ભેમ, ૧૯૪૬ નિરંતર નિર્ભયપણાથી રહિત એવા આ બ્રાંતિરૂપ સંસારમાં વીતરાગત્વ એ જ અભ્યાસવા ગ્ય છે, નિરંતર નિર્ભયપણે વિચરવું એ જ શ્રેયસ્કર છે, તથાપિ કાળની અને કર્મની વિચિત્રતાથી પરાધીનપણે આ... કરીએ છીએ. બન્ને પત્ર મળ્યાં. સંતોષ થયે. આચારાંગ સૂત્રને પાઠ અવલકયો. યથાશક્તિ વિચારીને અન્ય પ્રસંગે અર્થ લખીશ. ધર્મચ્છક ત્રિભવનદાસનાં પ્રશ્નનું ઉત્તર પણ પ્રસંગે આપી શકીશ. જેનું અપાર માહાસ્ય છે, એવી તીર્થંકરદેવની વાણીની ભક્તિ કરે. વિ. રાયચંદ ૧૨૦ મુંબઈ, અષાડ વદ ૦)), ૧૯૪૬ આપનું ગવાસિષ્ઠનું પુસ્તક આ સાથે મોકલું છું. ઉપાધિને તાપ શમાવવાને એ શીતળ ચંદન છે, આધિ-વ્યાધિનું એની વાંચનામાં આગમન સંભવતું નથી. આપને એ માટે ઉપકાર માનું છું. આપની પાસે કોઈ કોઈ વાર આવવામાં પણ એક જ એ જ વિષયની જિજ્ઞાસા છે. ઘણાં વર્ષોથી આપના અંતઃકરણમાં વાસ કરી રહેલ બ્રહ્મવિદ્યાનું આપના જ મુખથી શ્રવણ થાય તે એક શાંતિ છે. કોઈ પણ વાટે કલ્પિત વાસનાઓને નાશ થઈ યથાયોગ્ય સ્થિતિની પ્રાપ્તિ સિવાય અન્ય ઇચ્છા નથી; પણ વ્યવહાર પરત્વે કેટલીક ઉપાધિ રહે છે, એટલે સત્સમાગમને અવકાશ જોઈએ તેટલે મળતું નથી, તેમ જ આપને પણ તેટલે વખત આપવાનું કેટલાંક કારણથી અશકય સમજું છું અને એ જ કારણથી કરી કરી અંતઃકરણની છેવટની વૃત્તિ આપને જણાવી શક્તા નથી તેમ જ તે પરત્વે અધિક વાતચીત થઈ શકતી નથી. એ એક પુણ્યની ન્યૂનતા; બીજું શું? વ્યવહાર પરત્વે કઈ રીતે આપના સંબંધથી લાભ લેવાનું સ્વપ્ન પણ ઈક્યું નથી, તેમ જ આપ જેવા બીજાઓની સમીપથી પણ એની ઈચ્છા રાખી નથી. એક જન્મ અને તે થોડા જ કાળને પ્રારબ્બાનુસાર ગાળી લે તેમાં દૈન્યતા ઉચિત નથી, એ નિશ્ચય પ્રિય છે. સહજભાવે વર્તવાની અભ્યાસપ્રણાલિકા કેટલાંક (ભૂજ) વર્ષ થયાં આરંભિત છે. અને એથી નિવૃત્તિની વૃદ્ધિ છે. આ વાત અહીં જણાવવાને હેતુ એટલે જ કે આપ અશંકિત હશે; તથાપિ પૂર્વાપરે પણ અશકિત રહેવા માટે જે હેતુથી આપના ભણું મારું જેવું છે તે જણાવ્યું છે, અને એ અશંકિતતા સંસારથી દાસીન્ય ભાવને પામેલી દશાને સહાયક થશે એમ માન્યું હોવાથી (જણાવ્યું છે). ગવાસિષ્ઠ પરત્વે આપને કંઈ જણાવવા ઈચ્છું છું (પ્રસંગ મળે). તના આગ્રહથી જ મોક્ષ છે. એમ આમા ઘણા વખત થયાં માનવું ભૂલી ગયો છે. માભાવમાં (!) મોક્ષ છે એમ ધારણા છે; એટલે વાતચીત વેળા આપ કંઈ અધિક કહેતાં નહીં તંભે એમ વિજ્ઞાપન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy