SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧૦ શ્રીમદ્ રાજચંદ્ર મોક્ષનાં સાધન જે સમ્યફદર્શનાદિક છે તેમાં ધ્યાન ગર્ભિત છે. તે કારણ ધ્યાનને ઉપદેશ હવે પ્રકટ કરતાં કહે છે કે “હે આત્મન્ ! તું સંસારદુઃખના વિનાશ અર્થે જ્ઞાનરૂપી સુધારસને પી અને સંસારસમુદ્ર પાર ઊતરવા માટે ધ્યાનરૂપ વહાણનું અવલંબન કર. [ અપૂર્ણ ] ૧૦૩ મુંબઈ, માહ, ૧૯૪૬ કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણ કરશે તે પણ એકાંતથી જેટલે સંસારક્ષય થવાને છે, તેને સામે હિસે પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાને નથી. કષાયનું તે નિમિત્ત છે મેહને રહેવાને અનાદિકાળને પર્વત છે. પ્રત્યેક અંતરગુફામાં તે જાજવલ્યમાન છે. સુધારણ કરતાં વખતે શ્રાદ્ધોત્પત્તિ થવી સંભવે, માટે ત્યાં અ૫ભાષી થવું, અ૫હાસી થવું, અ૫૫રિચયી થવું, અલ્પઆવકારી થવું, અપભાવને દર્શાવવી, અલ્પસહચારી થવું, અલ્પગુરુ થવું, પરિણામ વિચારવું, એ જ શ્રેયસ્કર છે. ૧૦૪ મુંબઈ, માહ વદ ૨, શુક, ૧૯૪૬ તમારું પત્ર ગઈ કાલે મળ્યું. ખંભાતવાળા ભાઈ મારી પાસે આવે છે. તેમની મારાથી બનતી ઉપાસના કરું છું. તેઓ કોઈ રીતે મતાગ્રહી હોય એવું મને હજુ સુધી તેઓએ દેખાડ્યું નથી. જીવ ધર્મજિજ્ઞાસુ જણાય છે. ખરું કેવલીગમ્ય. તમારી આરોગ્યતા ઈચ્છું છું. તમારી જિજ્ઞાસા માટે હું નિરુપાય છું. વ્યવહારક્રમ તેડીને હું કંઈ નહીં લખી શકું, એ તમને અનુભવ છે, તે હવે કાં પુછા? તમારી આત્મચર્યા શુદ્ધ રહે તેમ પ્રવતેજે. જિને કહેલા પદાર્થો યથાર્થ જ છે. એ જ અત્યારે ભલામણ. ૧૦૫ ફાગણ સુદ ૬, ૧૯૪૬ મહાવીરના બેધને પાત્ર કેણુ? ૧. પુરુષના ચરણને ઈચ્છક, ૨. સદૈવ સૂક્ષ્મ બેધને અભિલાષી, ૩. ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર, ૪. બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન, ૫. જ્યારે સ્વદેષ દેખે ત્યારે તેને છેદવાને ઉપગ રાખનાર, ૬. ઉપગથી એક પળ પણ ભરનાર, ૭. એકાંતવાસને વખાણનાર, ૮. તીર્થાદિ પ્રવાસને ઉછરંગી, ૯. આહાર, વિહાર, નિહારને નિયમી, ૧૦. પોતાની ગુરુતા દબાવનાર, એ કઈ પણ પુરુષ તે મહાવીરના બેધને પાત્ર છે, સમ્યફદશાને પાત્ર છે. પહેલા જેવું એકે નથી. ૧. શ્રાદ્ધ એટલે શ્રાવક ધર્મ અને ઉત્પત્તિ એટલે પ્રગટતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy