SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ શ્રીમદ્ રાજચંદ્ર મને રોકી શકતો નથી. બીજાં કઈ પણ સંસારી સાધને મારી પ્રીતિ મેળવી નથી, તેમ કઈ ભયે મને બહુલતાએ ઘેર્યો નથી. સ્ત્રીના સંબંધમાં જિજ્ઞાસા એર છે અને વર્તના ઓર છે. એક પક્ષે તેનું કેટલાક કાળ સુધી સેવન કરવું સમ્મત કર્યું છે. તથાપિ ત્યાં સામાન્ય પ્રીતિ-અપ્રીતિ છે. પણ દુઃખ એ છે કે જિજ્ઞાસા નથી, છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે? એટલેથી પતતું નથી, પણ તેને લીધે નહીં ગમતા પદાર્થોને જેવા, સુંઘવા, સ્પર્શવા પડે છે અને એ જ કારણથી પ્રાયે ઉપાધિમાં બેસવું પડે છે. મહારંભ, મહાપરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેભ કે એવું તેવું જગતમાં કંઈ જ નથી. એમ વિસ્મરણધ્યાન કરવાથી પરમાનંદ રહે છે. તેને ઉપરનાં કારણેથી જેવાં પડે છે. એ મહા ખેદ છે. અંતરંગચર્યા પણ કઈ સ્થળે ખેલી શકાતી નથી. એવાં પાત્રોની દુર્લભતા મને થઈ પડી એ જ મહા દુઃખમતા કહો. વિ. સં. ૧૯૪૫ અત્ર કુશળતા છે; આપના તરફની ઈચ્છું છું. આજે આપનું જિજ્ઞાસુ પત્ર મળ્યું. તે જિજ્ઞાસુ પત્રના ઉત્તર બદલ જે પત્ર મોકલવું જોઈએ તે પત્ર આ છે – આ પત્રમાં ગૃહાશ્રમ સંબંધી મારા કેટલાક વિચારે આપની સમીપ મૂકું છું. એ મૂકવાને હેતુ માત્ર એટલે જ છે કે, કઈ પણ પ્રકારના ઉત્તમ ક્રમમાં આપનું જીવન–વલણ થાય, અને તે ક્રમ જ્યારથી આરંભ જોઈએ તે કાળ હમણું જ આપની પાસે આરંભાય છે, એટલે તે ક્રમ ણાવવાનો ઉચિત સમય છે. તેમ જણાવેલા કુમના વિચારો ઘણા સાંસ્કારિક હોઈને પત્ર વાટે નીકળ્યા છે આપને તેમ જ કેઈ પણ આમેન્નતિ વા પ્રશસ્ત ક્રમને ઈચ્છનારને તે ખચીત વધારે ઉપયેગી થઈ પડશે એમ માન્યતા છે. તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવા જઈએ તે, ત્યાં નેપથ્યમાંથી એવો ધ્વનિ જ નીકળશે કે, તમે કોણ છે? કયાંથી આવ્યા છે? કેમ આવ્યા છે? તમારી સમીપ આ સઘળું શું છે? તમારી તમને પ્રતીતિ છે? તમે વિનાશી, અવિનાશી વા કોઈ ત્રિરાશી છે? એવા અનેક પ્રશ્નો હદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે; અને એ પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાય ત્યાં પછી બીજા વિચારને બહુ જ શેડો અવકાશ રહેશે; યદિ એ વિચારથી જ છેવટે સિદ્ધિ છે; એ જ વિચારેના વિવેકથી જે અવ્યાબાધ સુખની ઈચછા છે, તેની પ્રાપ્તિ થાય છે, એ જ વિચારેના મનનથી અનંત કાળનું મૂંઝન ટળવાનું છે; તથાપિ તે સર્વને માટે નથી. વાસ્તવિક દ્રષ્ટિથી જોતાં તેને છેવટ સુધી પામનાર પાત્રોની ન્યૂનતા બહુ છે; કાળ ફરી ગયું છેએ વસ્તુને અધીરાઈ અથવા અશૌચતાથી અંત લેવા જતાં ઝેર નીકળે છે; અને ભાગ્યહીન અપાત્ર બને લેકથી ભ્રષ્ટ થાય છે, એટલા માટે અમુક સંતેને અપવાદરૂપ માની બાકીનાઓને તે ક્રમમાં આવવા, તે ગુફાનું દર્શન કરવા ઘણુ વખત સુધી અભ્યાસની જરૂર છે; કદાપિ તે ગુફાદર્શનની તેની ઈચ્છા ન હોય તે પણ પોતાનાં આ ભવનાં સુખને અર્થે પણ જમ્યા તથા મૂઆની વચ્ચે ભાગ કઈ રીતે ગાળવા માટે પણ એ અભ્યાસની ખચીત જરૂર છે. એ કથન અનભવગમ્ય છે. ઘણાને તે અનુભવમાં આવ્યું છે. ઘણા આર્ય સત્પર તે માટે વિચાર કરી ગયા છે, તેઓએ તે પર અધિકાધિક મનન કર્યું છે. આત્માને શોધી, તેના અપાર માર્ગમાંથી થયેલી પ્રાપ્તિના ઘણાને ભાગ્યશાળી થવાને માટે, અનેક ક્રમ બાંધ્યા છે, તે મહાત્મા જયવાન હો ! અને તેને ત્રિકાળ નમસ્કાર હો! આપણે થોડીવાર તત્વજ્ઞાનની ગુફાની વિસ્મરણ કરી, આર્યોએ બધેલા અનેક ક્રમ પર આવવા માટે પરાયણ છીએ, તે સમયમાં જણાવી જવું એગ્ય જ છે કે, પૂર્ણલ્લાદકર જેને માન્યું છે, પરમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy