SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ શ્રીમદ્ રાજચંદ્ર અસુગમતાથી લેખ દોષિત થયે છે, પણ કેટલીક નિરૂપાયતા હતી. નહીં તો સરળતા વાપરવાથી આત્મત્વની પ્રફુલ્લિતતા વિશેષ થઈ શકે. વિ. ધર્મજીવનના ઈચ્છક રાયચંદ રવજીભાઈના વિનયભાવે પ્રશસ્ત પ્રણામ. ૬૫ મેરબી, જેઠ સુદ ૧૦, સેમ, ૧૯૪૫ તમારે અતિશય આગ્રહ છે અને ન હોય તે પણ એક ધર્મનિષ્ઠ આત્માને જો કંઈ મારાથી શાંતિ થતી હોય તે એક પુણ્ય સમજી આવવું જોઈએ. અને જ્ઞાનતૃષ્ટ હશે તે હું જરૂર ગણ્યા દિવસમાં આવું છું. વિશેષ સમાગમે. ૬૬ અમદાવાદ, યેષ્ઠ વદ ૧૨, ભેમ, ૧૯૪૫ આપને મેં વવાણિયા બંદરથી પુનર્જન્મ સંબંધી પરેક્ષજ્ઞાનની અપેક્ષાએ એકાદ બે વિચારો દર્શાવ્યા હતા; અને એ વિષે અવકાશ લઈ કેટલુંક દર્શાવી પછી પ્રત્યક્ષ અનુભવગમ્ય જ્ઞાનથી તે વિષયને નિશ્ચય મારા સમજવામાં જે કંઈ આવ્યું છે તે દર્શાવવાની ઈચ્છા રાખી છે. એ પત્ર ૪ સુદ ૫ મે આપને મળેલું હોવું જોઈએ અવકાશ પ્રાપ્ત કરી કંઈ ઉત્તર ઘટે તે ઉત્તર, નહીં તે પહોંચ માત્ર આપી પ્રશમ આપશે, એ વિજ્ઞાપના છે. નિગ્રંથનાં બેધેલાં શાસ્ત્રના શેપ માટે અહીં સાતેક દિવસ થયાં મારું આવવું થયું છે. ધર્મોપજીવનના ઈચ્છક રાયચંદ રવજીભાઈના યથાવિધિ પ્રણામ. ૬૭ વઢવાણકૅમ્પ, અષાડ સુદ ૮, શનિ, ૧૯૪૫ આત્માનું કલ્યાણ સંશોધવા માટે જે તમારી અભિલાષાઓ દેખાય છે તે, મને પ્રસન્નતા આપે છે. ધર્મપ્રશસ્તધ્યાન કરવા માટે વિજ્ઞાપન કરી અત્યારે આ પત્ર પૂર્ણ કરું છું. રાયચંદ ૬૮ બજાણુ-કાઠિયાવાડ, અષાડ સુદ ૧૫, શુક્ર, ૧૯૪૫ અષાડ સુદ ૭ નું લખેલું આપનું પત્ર મને વઢવાણુકેમ્પ મળ્યું. ત્યાર પછી મારું અહીં આવવું થયું; એથી પહોંચ લખવામાં વિલંબ થે. પુનર્જન્મના મારા વિચારે આપને અનુકૂળ થવાથી મને એ વિષયમાં આપનું સહાયકપણું મળ્યું. આપે અંતઃકરણીય–આત્મભાવજન્ય–અભિલાષા જે એ દર્શાવી તે નિરંતર સત્પરુષે રાખતા આવ્યા છે તેવી મન, વચન, કાયા અને આત્માથી દશા તેઓએ પ્રાપ્ત કરી છે, અને તે દશાના પ્રકાશ વડે દિવ્ય થયેલા આત્માએ વાણી દ્વારા સર્વોત્તમ આધ્યાત્મિક વચનામૃતેને પ્રદર્શિત કર્યા છે, જેને આપ જેવા સત્પાત્ર મનુષ્ય નિરંતર સેવે છે; અને એ જ અનંત ભવનું આત્મિક દુઃખ ટાળવાનું પરમૌષધ છે. | સર્વ દર્શન પારિણામિક ભાવે મુક્તિને ઉપદેશ કરે છે એ નિઃસંશય છે, પણ યથાર્થદ્રષ્ટિ થયા વિના સર્વ દર્શનનું તાત્પર્યજ્ઞાન હૃદયગત થતું નથી. જે થવા માટે સત્પરુષની પ્રશસ્ત ભક્તિ, તેના પાદપંકજ અને ઉપદેશનું અવલંબન, નિર્વિકાર જ્ઞાનયોગ જે સાધને, તે શુદ્ધ ઉપગ વડે સમ્મત થવાં જોઈએ. પુનર્જન્મના પ્રત્યક્ષ નિશ્ચય, તેમ જ અન્ય આધ્યાત્મિક વિચારો હવે પછી પ્રસંગનુકૂળ દર્શાવવાની આજ્ઞા લઉં છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy