SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૧ મું ૩૫ વવાણિયા, શ્રાવણ વદ ૦)), ૧૯૪૪ ઉપાધિ ઓછી છે, એ આનંદજનક છે. ધર્મકરણને કંઈ વખત મળતું હશે. ધર્મકરણીને શેડો વખત મળે છે, આત્મસિદ્ધિને પણ ઘેડે વખત મળે છે, શાસ્ત્રપઠન અને અન્ય વાંચનને પણ છેડે વખત મળે છે, થડે વખત લેખનક્રિયા રેકે છે, થેડે વખત આહાર-વિહાર-ક્રિયા રોકે છે, થોડો વખત શૌચક્રિયા રેકે છે, છ કલાક નિદ્રા રોકે છે, થડે વખત મને રાજ રેકે છે; છતાં છ કલાક વધી પડે છે. સત્સંગને લેશ અંશ પણ નહીં મળવાથી બિચારે આ આત્મા વિવેકઘેલછા ભેગવે છે. ૩૬ મુંબઈ, ભાદ્રપદ વદ ૧, શનિ, ૧૯૪૪ વંદામિ પાદે પ્રભુ વિદ્ધમાન પ્રતિમાના કારણથી અહીં આગળને સમાગમી ભાગ ઠીક પ્રતિકૂળ વર્તે છે. એમ જ મતભેદથી અનંત કાળે, અનંત જન્મ પણ આત્મા ધર્મ ન પામે. માટે પુરુષે તેને ઈચ્છતા નથી, પણ સ્વરૂપશ્રેણિને ઇચ્છે છે. ૩૭ મુંબઈ બંદર, આ વદ ૨, ગુરુ, ૧૯૪૪ પાશ્વનાથ પરમાત્માને નમસ્કાર પ્રિય ભાઈ સત્યાભિલાષી ઉજમસી, રાજનગર તમારું હસ્તલિખિત શુભપત્ર મને કાલે સાયંકાલે મલ્યું. તમારી તત્વજિજ્ઞાસા માટે વિશેષ સંતેષ થયો. જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જે આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તે અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજ્યો છું અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. આ મહા બંધનથી રહિત થવામાં જે જે સાધન, પદાર્થ શ્રેષ્ઠ લાગે, તે ગ્રહવા એ જ માન્યતા છે, તે પછી તે માટે જગતની અનુકૂળતા-પ્રતિકૂળતા શું જેવી ? તે ગમે તેમ બેલે પણ આત્મા જે બંધનરહિત થતું હોય, સમાધિમય દશા પામતે હોય તે તેમ કરી લેવું. એટલે કીર્તિ અપકીર્તિથી સર્વ કાળને માટે રહિત થઈ શકાશે. અત્યારે એ વગેરે એમના પક્ષના લોકોના જે વિચારે મારે માટે પ્રવર્તે છે, તે મને ધ્યાનમાં સ્મત છે, પણ વિસ્મૃત કરવા એ જ શ્રેયસ્કર છે. તમે નિર્ભય રહેજો. મારે માટે કઈ કંઈ કહે તે સાંભળી મૌન રહે, તેઓને માટે કંઈ શેક-હર્ષ કરશે નહીં. જે પુરુષ પર તમારે પ્રશસ્ત રાગ છે, તેના ઈષ્ટદેવ પરમાત્મા જિન, મહાગદ્ર પાર્શ્વનાથાદિકનું સ્મરણ રાખજે અને જેમ બને તેમ નિમોહી થઈ મુક્તદશાને ઈચ્છજો. જીવિતવ્ય કે જીવનપૂર્ણતા સંબંધી કંઈ સંકલ્પ-વિકલ્પ કરશે નહીં. ઉપગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ-વિકલ્પને ભૂલી જજે, પાર્શ્વનાથાદિક ગીશ્વરની દશાની સ્મૃતિ કરજે, અને તે જ અભિલાષા રાખ્યા રહેજે, એ જ તમને પુનઃ પુનઃ આશીર્વાદપૂર્વક મારી શિક્ષા છે. આ અલ્પજ્ઞ આત્મા પણ તે પદને અભિલાષી અને તે પુરુષનાં ચરણકમળમાં તલ્લીન થયેલે દીન શિષ્ય છે. તમને તેવી શ્રદ્ધાની જ શિક્ષા દે છે. વીરસ્વામીનું બધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સર્વ સ્વરૂપ યથાતથ્ય છે, એ ભૂલશો નહીં. તેની શિક્ષાની કોઈ પણ પ્રકારે વિરાધના થઈ હય, તે માટે પશ્ચાત્તાપ કરજો. આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા આત્મભાવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy