SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શ્રીમદ્ રાજચંદ્ર હે મહારાજા! તે રૂપમાં અને આ રૂપમાં ભૂમિ આકાશનો ફેર પડી ગયું છે. ચક્રવતીએ તે સ્પષ્ટ સમજાવવાને કહ્યું. બ્રાહ્મણોએ કહ્યું : અધિરાજ ! પ્રથમ તમારી કોમળ કાયા અમૃત તુલ્ય હતી. આ વેળા એ ઝેરતુલ્ય છે. જ્યારે અમૃત તુલ્ય અંગ હતું ત્યારે આનંદ પામ્યા અને આ વેળા ઝેર તુલ્ય છે ત્યારે ખેદ પામ્યા. અમે કહીએ છીએ તે વાતની સિદ્ધતા કરવી હોય તે તમે તાંબૂલ ઘૂંકે. તત્કાળ તે પર માખી બેસશે અને પરલેક પહોંચી જશે. ( શિક્ષાપાઠ ૭૧. સનત્કુમાર–ભાગ ૨ સનત્કુમારે એ પરીક્ષા કરી તે સત્ય ઠરી. પૂર્વિત કર્મનાં પાપને જે ભાગ, તેમાં આ કાયાના મદસંબંધીનું મેલવણ થવાથી એ ચક્રવર્તીની કાયા ઝેરમય થઈ ગઈ હતી. વિનાશી અને અશુચિમય કાયાને આ પ્રપંચ જેઈને સનત્કુમારને અંતઃકરણમાં વૈરાગ્ય ઉત્પન્ન થયે. કેવળ આ સંસાર તજવા ગ્ય છે. આવી ને આવી અશુચિ સ્ત્રી, પુત્ર, મિત્રાદિનાં શરીરમાં રહી છે. એ સઘળું મેહમાન કરવા યોગ્ય નથી, એમ બોલીને તે છ ખંડની પ્રભુતા ત્યાગ કરીને ચાલી નીકળ્યા. સાધુરૂપે જ્યારે વિચરતા હતા ત્યારે મહારોગ ઉત્પન્ન થયો. તેના સત્યત્વની પરીક્ષા લેવાને કઈ દેવ ત્યાં હૈદરૂપે આવ્યો. સાધુને કહ્યું, હું બહુ કુશળ રાજવૈદ છું તમારી કાયા રોગને ભેગા થયેલી છે, જે ઈચ્છા હોય તે તત્કાળ હું તે રોગને ટાળી આપું. સાધુ બોલ્યા, “હે વૈદ! કર્મરૂપી રોગ મહેન્મત્ત છે; એ રોગ ટાળવાની તમારી જો સમર્થતા હોય તે ભલે મારે એ રોગ ટાળે. એ સમર્થતા ન હોય તે આ રેગ ભલે રહ્યો.” દેવતા છે, એ રેગ ટાળવાની સમર્થતા હું ધરાવતું નથી. સાધુએ પિતાની લબ્ધિના પરિપૂર્ણ પ્રબળ વડે ઘૂંકવાળી અંગુલિ કરી તે રેગને ખરડી કે તત્કાળ તે રોગને નાશ થયે, અને કાયા પાછી હતી તેવી બની ગઈ. પછી તે વેળા દેવે પિતાનું સ્વરૂપ પ્રકાશ્ય ધન્યવાદ ગાઈ વંદન કરી તે પિતાને સ્થાનકે ગયે. - રક્તપિત્ત જેવા સદૈવ લેહી પરુથી ગગદતા મહા રેગની ઉત્પત્તિ જે કાયામાં છે, પળમાં વણસી જવાને જેને સ્વભાવ છે, જેના પ્રત્યેક રેમે પિણ બબ્બે રોગને નિવાસ છે, તેવા સાડા ત્રણ કરોડ રેમથી તે ભરેલી હોવાથી ગમે તે ભંડાર છે એમ વિવેકથી સિદ્ધ છે. અન્ન વગેરેની ન્યૂનાધિકતાથી તે પ્રત્યેક રોગ જે કાયામાં દેખાવ દે છે, મળ, મૂત્ર, નરક, હાંડ, માંસ, પરુ અને શ્લેષ્મથી જેનું બંધારણ ટક્યું છે, ત્વચાથી માત્ર જેની મનેહરતા છે, તે કાયાને મેહ ખરે! વિભ્રમ જ છે! સનતુ કુમારે જેનું લેશમાત્ર માન કર્યું, તે પણ જેથી સંખાયું નહીં તે કાયામાં અહે પામર! તું શું મોહે છે? એ મેહ મંગળદાયક નથી. શિક્ષાપાઠ ૭ર. બત્રીસ યોગ સપુરુષે નીચેના બત્રીસ વેગને સંગ્રહ કરી આત્માને ઉજજવળ કરવાનું કહે છે. ૧. “શિષ્ય પિતાના જે થાય તેને માટે તેને કૃતાદિક જ્ઞાન આપવું.” ૨. “પિતાના આચાર્યપણાનું જે જ્ઞાન હોય તેને અન્યને બેધ આપે અને પ્રકાશ કરે.૨ ૩. આપત્તિકાળે પણ ધર્મનું દૃઢપણે ત્યાગવું નહીં. ૪. લેક, પરલેકનાં સુખનાં ફલની વાંછના વિના તપ કરવું. ૫. શિક્ષા મળી તે પ્રમાણે યત્નાથી વર્તવું; અને નવી શિક્ષા વિવેકથી ગ્રહણ કરવી. ૬. મમત્વને ત્યાગ કર. ૧ કિ, આ પાઠા-મોક્ષસાધક યોગ માટે શિષ્ય આચાર્ય પાસે આલોચના કરવી.” ૨ કિ. આ૦ પાઠા-“આચાર્યે આલોચના બીજા પાસે પ્રકાશવી નહીં.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy