SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર શિક્ષાપાડૅ ૨૩. સત્ય ષ્ટિનું ધારણ' સામાન્ય કથનમાં પણ કહેવાય છે કે, સત્ય એ આ છે; અથવા સત્યના આધારે આ સૃષ્ટિ' રહી છે. એ કથનમાંથી એવી શિક્ષા મળે છે કે, ધર્મ, નીતિ, રાજ અને વ્યવહાર એ સત્ય વડે પ્રવર્તન કરી રહ્યાં છે; અને એ ચાર ન હેાય તે જગતનું રૂપ કેવું ભયંકર હાય ? એ માટે થઇને સત્ય એ સૃષ્ટિનું ધારણ’ છે એમ કહેવું એ કંઈ અતિશયાક્તિ જેવું, કે નહીં માનવા જેવું નથી. ૭૪ વસુરાજાનું એક શબ્દનું અસત્ય બેલવું કેટલું દુ:ખદાયક થયું હતું તે તત્ત્વવિચાર કરવા માટે અહીં હું કહું છું.' વસુરાજા, નારદ અને પર્વત એ ત્રણે એક ગુરુ પાસેથી વિદ્યા ભણ્યા હતા. પર્વત અધ્યાપકને પુત્ર હતા; અધ્યાપકે કાળ કર્યાં. એથી પર્વત તેની મા સહિત વસુરાજાના દરબારમાં આવી રહ્યો હતા. એક રાત્રે તેની મા પાસે બેઠી છે; અને પર્વત તથા નારદ શાસ્ત્રાભ્યાસ કરે છે. એમાં એક વચન પર્વત એવું મેલ્યા કે, અાહેાતત્યં'. ત્યારે નારદ આલ્યેા, અજ તે શું પર્વત ?” પર્વતે કહ્યું, “અજ તે એકડો.” નારદ એલ્યા : “આપણે ત્રણે જણ તારા પિતા કને ભણતા હતા ત્યારે તારા પિતાએ તે ‘અજ’ તે ત્રણ વર્ષની ‘વ્રીહિ' કહી છે; અને તું અવળું શા માટે કહે છે?”’ એમ પરસ્પર વચનવિવાદ વધ્યા. ત્યારે પર્વતે કહ્યું : “આપણને વસુરાજા કહે તે ખરું.’’ એ વાતની નારદે પણ હા કહી અને જીતે તેને માટે અમુક શરત કરી. પર્વતની મા જે પાસે બેઠી હતી તેણે આ સાંભળ્યું. ‘અજ' એટલે ‘ત્રીહિ’ એમ તેને પણ યાદ હતું. શરતમાં પેાતાના પુત્ર હારશે એવા ભયથી પર્વતની મા રાત્રે રાજા પાસે ગઈ અને પૂછ્યું; “ રાજા ! ‘અજ’ એટલે શું ?’’ વસુરાજાએ સંબંધપૂર્વક કહ્યું : “ ‘અજ’ એટલે ‘ત્રીહિ’.” ત્યારે પર્વતની માએ રાજાને કહ્યું : “મારા પુત્રથી ‘એકડો' કહેવાયા છે માટે તેને પક્ષ કરવા પડશે; તમને પૂછવા માટે તે આવશે.’’ વસુરાજા બેલ્ટે : ‘હું અસત્ય કેમ કહું ? મારાથી એ ખની શકે નહીં.” પર્વતની માએ કહ્યું : “પણુ જો તમે મારા પુત્રના પક્ષ નહીં કરે તે તમને હું ત્યા આપીશ.’’ રાજા વિચારમાં પડી ગયા કે, સત્ય વડે કરીને હું મણિમય સિંહાસન પર અધ્ધર બેસું છું. લોકસમુદાયને ન્યાય આપું છું. લેક પણ એમ જાણે છે કે, રાજા સત્યગુણે કરીને સિંહાસન પર અંતરીક્ષ બેસે છે; હવે કેમ કરવું ? જો પર્વતનો પક્ષ ન કરું તે બ્રાહ્મણી મરે છે; એ વળી મારા ગુરુની સ્ત્રી છે. ન ચાલતાં છેવટે રાજાએ બ્રાહ્મણીને કહ્યું : “તમે ભલે નએ. હું પર્વતના પક્ષ કરીશ.' આવે। નિશ્ચય કરાવીને પર્વતની મા ઘેર આવી. પ્રભાતે નારદ, પર્વત અને તેની મા વિવાદ કરતાં રાજા પાસે આવ્યાં. રાજા અજાણ થઈ પૂછવા લાગ્યા કે “પર્વત, શું છે?” પર્વતે કહ્યું : “રાજાધિરાજ ! અજ' તે શું ? તે કહે.” રાજાએ નારદને પૂછ્યું : “તમે શું કહે છે ?’’નારદે કહ્યું : ‘અજ’ તે ત્રણ વર્ષની ‘ત્રીહિ', તમને કયાં નથી સાંભરતું ? વસુરાજા મલ્યા : 'અજ' એટલે ‘એકડા’, પણ ‘શ્રીહિ' નહીં. તે જ વેળા દેવતાએ સિંહાસનથી ઉછાળી હેઠો નાખ્યા; વસુ કાળ પરિણામ પામ્યા. આ ઉપરથી આપણે ૪‘સઘળાએ સત્ય, તેમજ રાજાએ સત્ય અને ન્યાય બન્ને ગ્રહણ કરવા રૂપ છે,' એ મુખ્ય એધ મળે છે. કિં॰ આ પાડા॰ — ૧. ‘જગતનું અહીં કહીશું.’૪. ‘સામાન્ય મનુષ્યએ કરવા યોગ્ય છે. Jain Education International ધારણ’૨. ‘જગત રહ્યું છે’૩. ‘તે પ્રસંગ વિચાર કરવા માટે સત્ય તેમજ રાજાએ ન્યાયમાં અપક્ષપાત અને સત્ય બન્ને ગ્રહણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy