SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ તરત જ તુકારામ ઊભા થઈને પેલાના ઘેર પહોંચ્યા અને બોલ્યા, “ભાઈ, મારી કંઈ ભૂલ થઈ હોય તો હું તારી માફી માગું છું પણ મારી ભૂલના કારણે તે પ્રભુના ભજન ન સાંભળે એ તે ક્યાંનો ન્યાય? ચાલ, ભજન સાંભળવા ચાલ. મારા પરનો રોષ ઈશ્વર ઉપર શા માટે ઠાલવે છે ભલા ?'' તુકારામના આ શબ્દો સાંભળી પેલો ખૂબ શરમાયો. તે ભજનમાં આવ્યો. ભજન પૂરા થયા એટલે તેણે તુકારામને કહ્યું, “મને માફ કરો ! આપના જેવા અક્રોધી પર ક્રોધ કરીને મેં મોટું પાપ કર્યું છે.” કોણ ગરીબ? ઘીના વેપારીને ત્યાં ગરીબ મા-દીકરો ઘી લેવા ગયા. માએ ફાટેલા સાડલાના છેડે બાંધેલાં રૂપિયા કાઢીને વેપારીને આપતા કહ્યું, “પા શેર ઘી આપો.” પેલા વેપારીએ આ ગરીબ બાઈની નજર આડી-અવળી જતાં તોલમાં છેતરપિંડી કરી નાખી, પણ તેની બાઈને ખબર ન પડી. ઘરે આવ્યા બાદ દીકરાએ માને વાત કરી, “બા! પેલા વેપારીએ ઘી તોલવામાં ગરબડ કરી હતી.” તે એ જ વખતે વાત કેમ ન કરી?” બા! એ જ વખતે વાત કરી હોત તો પેલો બિચારો વેપારી શરમાઈ જાત..! એ ન શરમાય માટે વાત ન કરી!” પુત્રની વાત સાંભળી માની આંખમાં આંસુ આવી ગયા. ion International For Private & Personal Use Only L udd e .
SR No.001357
Book TitleJivanmangal
Original Sutra AuthorN/A
AuthorMitesh H Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy