SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ઘર-કુટુંબાદિ પ્રત્યે મમત્વ ઘટાડી સમાજની સેવા તથા નિવૃત્તિક્ષેત્ર (આશ્રમ)માં રહી સત્સંગ, ભક્તિ, સ્વાધ્યાય, સદાચાર દ્વારા આત્મકલ્યાણ કરવાનો ઉદ્યમ કરવો જોઈએ. જો ૬૦ વર્ષ પછી પણ સંસારની માયાને વળગી રહે તો એકસઠ..બાસઠ..શઠ એટલે લુચ્ચો યુવાવસ્થા એ મનુષ્યજીવનની શ્રેષ્ઠ અવસ્થા છે. આ અવસ્થામાં તાજગી, સ્કૂર્તિ, ઉત્સાહ અને શક્તિ અપાર હોય છે. જો આ શક્તિને સન્માર્ગે વાળવામાં આવે તો જીવન ઉન્નત બની શકે. ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે, “યુવાવયનો સર્વસંગપરિત્યાગ પરમપદને આપે છે.” “ઘડપણમાં ગોવિંદ ગાશું આ વાત સર્વથા સત્ય નથી કારણ કે ઈન્દ્રિયોની શક્તિઓ ક્ષીણ થઈ ગઈ હોય તે અવસ્થામાં પરમાત્મપ્રાપ્તિનું સર્વોત્તમ કાર્ય શી રીતે સંભવે ? છતાં “જાગ્યા . ત્યારથી સવાર એવા મહાપુરુષોના બોધને અનુસરી સ્વ-પર કલ્યાણ માટે તત્પર બનવું જોઈએ. જીવનના અંતે પસ્તાવાનો વારો ન આવે તે માટે અત્યારથી સાવધાન બની જઈએ. સેવા, પરોપકાર, સત્સંગ, સ્વાધ્યાય, ભક્તિ અને સદાચારની સૌરભથી સાચા અર્થમાં જીવન મંગલ બનાવવાનો દઢ સંકલ્પ કરીએ એ જ અભ્યર્થના. આ નૂતન વર્ષે આપણા સૌનું જીવન ન્યારું, પ્યારું, પવિત્ર, નીતિમય અને ધર્મમય બને તેવી પ્રભુને પ્રાર્થના છે. ક મિતેશભાઈ એ. શાહ વALTH www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001357
Book TitleJivanmangal
Original Sutra AuthorN/A
AuthorMitesh H Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy